SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ તર્કરહસ્યદીપિકા अनुस्मरति चायमात्मान्धबधिरत्वादिकालेऽपीन्द्रियोपलब्धानर्थान् अतः स तेभ्योऽर्थान्तरमिति । 162. આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે તેને ઇન્દ્રિયોનો નાશ થઈ ગયા પછી પણ તેમના દ્વારા જ્ઞાત અર્થાત જોયેલા સાંભળેલા પદાર્થોનું સારી રીતે સ્મરણ થાય છે. જે જેમનો નાશ થયા પછી પણ તેમના દ્વારા જ્ઞાત પદાર્થોનું સ્મરણ કરે છે તે તેમનાથી ભિન્ન છે. જેમ મકાનની બારીઓ નાશ પામી ગયા પછી પણ તે બારીઓ દ્વારા દેખેલા પદાર્થોનું સ્મરણ કરનારો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે તેમ આંખો ફૂટી જવાથી અને કાનનો પડદો ફાટી જવાથી આંધળો અને બહેરો થઈ ગયેલો દેવદત્ત(આત્મા) પણ દેખેલા અને સાંભળેલા પદાર્થોનું સ્મરણ કરતો હોવાના કારણે આંખ અને કાન આદિ ઇન્દ્રિયોથી પોતાનું પૃથક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો ઇન્દ્રિય જ આત્મા હોત તો ઇન્દ્રિયોનો નાશ થયા પછી સ્મરણ થાત જ નહિ. 163. ૩થવ્યિો તિરિ માત્મા, જિયવ્યાપુતાપિ તાત્તિदनुपयुक्तावस्थायां वस्त्वनुपलम्भात् । प्रयोगश्चात्र-इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, तद्व्यापारेऽप्यनुपलम्भात् । इह यो यद्वयापारेऽपि यैरुपलभ्यानानोपलभते स तेभ्यो भिन्नो दृष्टः, यथास्थगितगवाक्षोऽप्यन्यमनस्कतयानुपयुक्तोऽपश्यंस्तेभ्यो देवदत्त इति । 163. અથવા આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે આંખ, કાન આદિ ખુલ્લાં રહેવા છતાં અર્થાત્ આંખ કાન આદિ ઇન્દ્રિયો પોતાનો વ્યાપાર કરતી હોવા છતાં આત્માનો ઉપયોગ અર્થાત વ્યાપાર ન હોતાં પદાર્થોનું જ્ઞાન થતું નથી. કેટલીક વાર ચિત્ત બીજી તરફ હોવાથી સામેની વસ્તુને પણ આંખ દેખી શકતી નથી અને નજીકની વાતને પણ કાન સાંભળી શકતા નથી. અનુમાનપ્રયોગ - આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે ઇન્દ્રિયો વ્યાપાર કરતી હોવા છતાં પદાર્થોનું જ્ઞાન થતું નથી. જે શક્તિના ન હોવાથી ઇન્દ્રિયો પદાર્થને જાણી શકતી નથી તે શક્તિ જ આત્મા છે. જેમનો વ્યાપાર હોવા છતાં જેમના વડે જાણી શકાય એવા પદાર્થોને જે પોતે પોતાનો વ્યાપાર ન કરે તો જાણતો નથી તે તેમનાથી ભિન્ન હોય છે એ જોયું છે. જેમ જ્યારે દેવદત્ત અન્યમનસ્ક બની કંઈ વિચારમાં બેઠો હોય ત્યારે તેને ઉઘાડી બારીમાંથી પણ કંઈ દેખાતું નથી તેમ બીજી તરફ ઉપયોગ યા ધ્યાન હોવાથી આંખ આદિરૂપ બારીઓ ઉઘાડી હોવા છતાં પણ જ્યારે સામેની વસ્તુ દેખાતી ન હોય, મધુર સંગીત સંભળાતું ન હોય ત્યારે એ માનવું જ પડશે કે આંખ-કાન સિવાય બીજો કોઈ જાણનારો અવશ્ય છે જ. જેનું ધ્યાન એ તરફ ન હોવાથી દેખાયું કે સંભળાયું નહિ તે ધ્યાનવાળી ચીજ જ આત્મા છે. જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy