SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૫૩ 159. અત્ર સમુલિતાનાં નન્માવીનાં પ્રદ્ઘાત્ ‘નાત તદ્ધિ' ત્યાદિव्यपदेशदर्शनाद्दध्यादिभिरचेतनैर्न व्यभिचारः शङ्कयः । 159. શંકા— ‘તે દહીં ઉત્પન્ન થઈ ગયું છે’ વગેરે શબ્દપ્રયોગો જોવામાં આવે છે. તેથી દહીં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તે તો અચેતન છે, એટલે ઉત્પન્ન થવાના કા૨ણે જ કોઈને ચેતન કેવી રીતે કહી શકાય ? માટે તમે આપેલો હેતુ વ્યભિચારી છે. જૈન ઉત્તર– આ શંકા યોગ્ય નથી કેમ કે અમે કેવળ ઉત્પન્ન થવાને જ સચેતનતા સિદ્ધ કરવામાં હેતુ નથી આપેલ પરંતુ જે ઉત્પન્ન થઈ વધીને વૃદ્ધ થાય છે, રોગી બને છે અને છેવટે મરી જાય છે તેને જ અમે ચેતન સિદ્ધ કરીએ છીએ અર્થાત્ જન્મ, જરા, રોગ અને મરણની ચતુષ્કુટીને એક સાથે હેતુરૂપમાં અમે રજૂ કરી છે. દહીં આદિ અચેતન પદાર્થ પોતાનાં કારણોથી ઉત્પન્ન તો થાય છે પરંતુ તેનામાં ક્રમશઃ વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ હરગિજ પ્રાપ્ત થતી નથી. તે દહીં આદિ સાથે અમે આપેલા હેતુનો વ્યભિચાર છે એમ કહેવું યોગ્ય નથી.. 160. तदेवं पृथिव्यादीनां सचेतनत्वं सिद्धम् । आप्तवचनाद्वा सर्वेषां सात्मकत्वसिद्धिः । 160. આ રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધાંમાં ચેતનતા સિદ્ધ કરવામાં આવી. અથવા, વીતરાગ સર્વજ્ઞ દેવનાં વચનરૂપ નિર્દોષ આગમ દ્વારા પણ પૃથ્વી આદિ બધાં સચેતન સિદ્ધ થાય છે જ. 161. द्वीन्द्रियादिषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यजलचरस्थलचरखचरपश्वादिषु न केषांचित्सात्मकत्वे विगानमिति । ये तु तत्रापि विप्रतिपद्यन्ते तान् प्रतीदमभिधीयते । 161. કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્ય, જલચર માછલી આદિ, થળચર હાથી ઘોડા આદિ, ખેચર ચકલી આદિ પક્ષી આ બધાં દ્વીન્દ્રિય આદિને સાત્મક માનવામાં કોઈને વિવાદ નથી. તેમની સચેતનતા પ્રત્યક્ષથી જ સિદ્ધ છે. પરંતુ જે પરમ નાસ્તિક તેમને સાત્મક સ્વીકારતા નથી અને વિવાદ કરે છે, તેમના અનુગ્રહાર્થે નીચે કેટલાક તર્કો આપીએ છીએ. 162. દૃન્દ્રિયો વ્યતિરિક્ત્ત આત્મા, રૂન્દ્રિયવ્યુપરમેપ તટુપનન્ત્રાઃनुस्मरणात् । प्रयोगोऽत्र - इह यो यदुपरमे यदुपलब्धानामर्थानामनुस्मर्ता स तेभ्यो व्यतिरिक्तः, यथा गवाक्षैरुपलब्धानामर्थानां गवाक्षोपरमेऽपि देवदत्तः । ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy