SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ તર્કરહસ્યદીપિકા 147. અથવા, પૃથ્વી, જલ, આગ, વાયુ અને વનસ્પતિ જીવનાં શરીરો છે કેમ કે તે છેદી, ભેદી, ફેંકી, ભોગવી, સુંધી, ચાટી, સ્પર્શી શકાય એવાં દ્રવ્યો છે, જેમ કે ગાયનાં શિંગડાં, ગાયના ગળે લટકતી ગોદડી વગેરે. પૃથ્વી આદિ છેદી શકાય છે, ભેદી શકાય છે એ તો પ્રત્યક્ષ દેખાય છે, એટલે તેનો ઈન્કાર થઈ શકે નહિ. મોટા મોટા પર્વતોને કાપી પથ્થરો લાવી મહેલો બનાવાય છે એ તો સૌ જાણે છે.] પૃથ્વી આદિને જીવનું શરીર માનવું અનિષ્ટ છે અને અમે અનિષ્ટને સિદ્ધ કરીએ છીએ એવું નથી. અર્થાત પૃથ્વી આદિને જીવનું શરીર માનવું અનિષ્ટ નથી કેમ કે જગતનું સઘળું પુદગલદ્રવ્ય શરીરો બનવાની યોગ્યતા ધરાવે છે. તે શરીરો દ્રવ્યશરીરો તો છે જ, પરંતુ તે દ્રવ્યશરીરોમાં કેટલાંક દ્રવ્યશરીરો સજીવ હોય છે અને કેટલાંક નિર્જીવ. જે પથ્થરની ખાણમાં અત્યાર સુધી શસ્ત્રોનો (ટાંકણાં, પથ્થર કાપવાનું મશીન આદિનો) આઘાત લાગ્યો નથી તે ખાણરૂપ પૃથ્વી સચેતન છે કારણ કે તે વૃદ્ધિ પામતી શિલાઓનો સંઘાત છે જેમ કે હાથપગનો સંઘાત. જ્યારે તેમાં શસ્ત્રોનો પ્રયોગ કરી તેને કાપી પથ્થરો કાઢવામાં આવે છે ત્યારે તે પૃથ્વીનો તે કપાયેલો ભાગ નિર્જીવ થઈ જાય છે કારણ કે તે પૃથ્વીભાગને હથિયારોથી કાપી અલગ કરી દેવામાં આવ્યો છે, જેમ કે સજીવ શરીરમાંથી કાપી નાખેલો હાથ. તેથી પૃથ્વીને સર્વથા અચેતન ન કહી શકાય. હા, જે પૃથ્વી વૃદ્ધિ પામતી નથી તેને તો અમે જૈનો પણ સચેતન નથી કહેતા. કોઈ પૃથ્વી સચેતન હોય છે અને કોઈ પૃથ્વી અચેતન. એટલે પૃથ્વી સચેતન હોય છે એ માનવું જોઈએ. 148. મા ના નીવ, તક્ષયોમા, પ્રવUરિવિિત રે; नैवम्; हेतोरसिद्धत्वात् । यथाहि-हस्तिनः शरीरं कललावस्थायामधुनोत्पन्नं सद्रवं सचेतनं च दृष्टम् एवमप्कायोऽपि, यथा वाण्डके रसमात्रमसंजातावयवमनभिव्यक्तचञ्च्वादिप्रविभागं चेतनावदृष्टम् । एषैव चोपमा अजीवानामपि । प्रयोगश्चायम्-सचेतना आपः, शस्त्रानुपहतत्वे सति दवत्वात्, हस्तिशरीरोपादानभूतकललवत् । हेतोविशेषणोपादानात् प्रस्रवणादिव्युदासः । 148. શંકા- વારુ, પૃથ્વીમાં જીવ છે એ માની લઈએ પણ જલકાય (જલ) જીવ નથી કારણ કે તેમાં જીવનું કોઈ ચિહ્ન મળતું નથી, જેમ કે પેશાબ. જેને ઉત્તર- ના એવું નથી. તમારો હેતુ અસિદ્ધ છે. જયારે હાથીનું શરીર હાથિણીના ગર્ભમાં કલલ અર્થાત્ પાણી જેવું પાતળું હોય છે ત્યારે તે તરલ પ્રવાહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy