SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દર્શન યા મીમાંસા શેની? દર્શન યા મીમાંસાનો વિષય તત્ત્વ છે. “તત્ત્વ' શબ્દના અનેક અર્થો થાય છે. પરંતુ તેમાં બે મુખ્ય છે – તત્વ એટલે મૂળ કારણ અને તત્ત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ. જગતનું મૂળ કારણ શું અના ચિન્તનમાંથી દર્શનનો પ્રમેયભાગ અને વસ્તુનું સ્વરૂપ યથાર્થ કેવી રીતે જાણી શકાય એના ચિન્તનમાંથી દર્શનનો પ્રમાણભાગ ફલિત થાય છે. મૂળ તત્ત્વો કેટલાં?, જડતત્ત્વ અને ચેતનતત્ત્વ સ્વતંત્ર છે કે નહિ?, પ્રાણીઓને દુઃખ કેમ ભોગવવું પડે છે?, દુઃખનાં કારણો કયાં છે?, તે નિર્મૂળ થઈ શકે?, સંપૂર્ણ દુઃખમુક્તિ શક્ય છે? –વગેરે અનેક પ્રશ્નો ચિંતન-મનનના વિષયો છે. કેટલાક સંક્ષેપમાં કહે છે કે દર્શન યા મીમાંસાના ત્રણ વિષયો છે – જીવ, જગત અને ઈશ્વર. દર્શનો કેટલાં? સામાન્ય રીતે છ દર્શનો (ષડ્રદર્શન) છે એવું આપણે વારંવાર સાંભળ્યું છે. પરંતુ દર્શનોની સંખ્યા અંગે કે તેમનાં નામો પરત્વે વિદ્વાનો એકમત નથી. ‘પદર્શન' શબ્દ બહુ જૂનો નથી. પ્રાચીન કાળમાં ચૌદ વિદ્યાસ્થાનોની માન્યતા શરૂ થઈ. ચૌદ વિદ્યાસ્થાનોમાં ચાર વેદો, છ વેદાંગો અને ચાર ઉપાંગોનો સમાવેશ થતો. અહીં ચાર ઉપાંગો આ ગણાવવામાં આવતાં – મીમાંસા, ન્યાય, પુરાણ અને સ્મૃતિ. આમ ચૌદ વિદ્યાસ્થાનોમાં માત્ર બે જ દર્શનો મીમાંસા અને ન્યાયને સ્થાન મળ્યું હતું. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં આન્ધીક્ષિકીમાં સાંખ્ય, યોગ અને લોકાયત એ ત્રણ દર્શનોનો જ સમાવેશ કર્યો છે. અહીં યોગનો અર્થ ન્યાય સમજવાનો છે. નૈયાયિકને માટે “યૌગ' શબ્દનો પ્રયોગ અનેક વાર થયો છે. મહાભારત અને ગીતાથી એ સ્પષ્ટ છે કે સાંખ્ય અને યોગનું સ્થાન દર્શનોમાં જામી ગયું હતું. આમ ઈસ્વી સનની પ્રારંભની શતાબ્દીઓમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને મીમાંસા – આ કહેવાતાં વૈદિક દર્શનોએ પૃથફ પૃથફ સ્થાન જમાવી દીધું હતું. તેમના વિરોધમાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક એ ત્રણ કહેવાતાં અવૈદિક દર્શનો પણ ઈસ્વીસન પૂર્વેના કાળથી તે વૈદિક દાર્શનિકોને પડકારરૂપ બની ગયા હતા. મીમાંસામાં કર્મ અને જ્ઞાનના પ્રાધાન્યને લઈને બે ભેદ થઈ ગયા. પરિણામે વૈદિકોમાં પતર્કયા પદર્શનની સ્થાપના થઈ ગઈ, અને ષદર્શનમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ છની ગણતરી થવા લાગી. પણ પછી તો ન તો દર્શનોની છની સંખ્યા સ્થિર રહી કે ન તો તેમાં સમાવિષ્ટ દર્શનોનાં નામો સ્થિર રહ્યાં. પરિસ્થિતિ આવી હોઈ ‘પદર્શન’ શબ્દ નિરર્થક જેવો થઈ ગયો છે. તેમ છતાં ‘પદર્શન'થી ઉપર જણાવેલાં છ વૈદિક દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy