SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ તર્કરહસ્યદીપિકા નિર્વિષય ગણતાં તો “આ ઘટ છે, આ રૂપ છે' ઇત્યાદિ બધાં જ્ઞાનોને નિર્વિષય અને કાલ્પનિક માનવાની આપત્તિ આવે અને જગતમાં કોઈ જ્ઞાન વિષયક રહેશે જ નહિ. ઉપર્યુક્ત જ્ઞાન યા પ્રત્યય શરીરને વિષય કરનારો પણ નથી કેમ કે શરીર આદિ પદાર્થોનું જ્ઞાન તો ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા થાય છે જ્યારે હું સુખનો અનુભવ કરું છું આ જ્ઞાનને ઉત્પન્ન થવા માટે બાહ્ય ઇન્દ્રિયોની જરા પણ આવશ્યકતા નથી, એ તો શુદ્ધ મનોવ્યાપારથી જ ઉત્પન્ન જ્ઞાન છે. શરીર કયારેય પણ કેવળ મનથી ઉત્પન્ન થનારા “હું સુખ અનુભવું છું' એવા માનસિક અહંપ્રત્યયનો વિષય બનતું નથી. તે તો ઘટાદિ પદાર્થોની જેમ ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયો વડે જ જ્ઞાત થાય છે. જે અચેતન છે અને બાહ્ય ઇન્દ્રિયો વડે જ્ઞાત થાય છે તે કદી પણ માનસ અહંપ્રત્યયનું ગ્રાહ્ય બની શકતું નથી. તેથી આ અહંપ્રત્યયનો વિષય શરીરથી ભિન્ન કોઈ જ્ઞાનવાળો પદાર્થ છે એમ સ્વીકારવું જોઈએ, અને તે જ આત્મા યા જીવ છે. આ રીતે સ્વસંવેદનપ્રત્યક્ષ જે આત્માના અસ્તિત્વમાં પ્રમાણ છે, તે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. i10. તથા યુ... “તનાન વેતનસ્વાછરીરવાડ:' इत्यादिः तदपि प्रलापमात्रम्; यतश्चेतनायोगेऽपि स्वयं चेतनस्यैवाहप्रत्ययोत्पादो युक्तः, न त्वचेतनस्य यथा परःसहस्त्रप्रदीपप्रभायोगेऽपि स्वयमप्रकाशस्वरूपस्य घटस्य प्रकाशकत्वं न दृष्टं किन्तु प्रदीपस्यैव । एवं चेतनायोगेऽपि न स्वयमचेतनस्य देहस्य ज्ञातृत्वं किंत्वात्मन एवेति तस्यैव चाहंप्रत्ययोत्पादः । i10. વળી, તમે ચાર્વાકોએ જે કહ્યું કે શરીર ચેતનાના સંબંધથી સચેતન બનીને અહંપ્રત્યયનો વિષય બને છે તે તો કેવળ બકબકાટ છે, કેમ કે સૌપ્રથમ તો ચેતનાના સંયોગથી કદી પણ અચેતન ચેતન બની જતું નથી. જે સ્વયં ચેતન નથી તે અચેતન છે, હજારો વાર ભલે તે ચેતનાના સંબંધમાં આવે પણ તેથી તે ચેતન બની શકતું નથી, અને પરિણામે અહિંપ્રત્યયનો વિષય બની શકતું નથી. ઉદાહરણાર્થ, સ્વયં અપ્રકાશસ્વરૂપ ઘડાની સાથે હજારો દીપકોની પ્રજાનો સંયોગ કરશો તો પણ ઘડો સ્વયં પ્રકાશક બની જશે નહિ, પરંતુ પ્રકાશક તો સ્વયં પ્રકાશસ્વરૂપ દીપક જ બની રહે છે, આ તો આપણા અનુભવની વાત છે. તેવી જ રીતે, શરીર સાથે ચેતનાનો સંબંધ થવા છતાં પણ સ્વયં અચેતન શરીર ક્યારેય પણ જ્ઞાતા યા ચેતન બની શકતું નથી, જ્ઞાતા યાચેતન તો સ્વયં ચૈતન્યસ્વરૂપ આત્મા જ બની શકે છે અને તે જ અહંપ્રત્યયનો વિષય બની શકે છે. iii. યોપિ “શૂનોë શોટ્ટમ્' રૂઢિપ્રત્યયઃ સમુતિ, રોડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy