SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૧૧ 104. શંકા— જેમ સામાન્યતોદષ્ટ અનુમાનથી સૂર્યની અત્યન્ત અપ્રત્યક્ષ ગતિનું અનુમાન થાય છે તેમ સામાન્યતોદષ્ટ અનુમાનથી અત્યન્ત અપ્રત્યક્ષ આત્માનું અનુમાન થઈ શકે છે. કોઈ વિશેષ દૃષ્ટાન્તમાં અવિનાભાવસંબંધનું ગ્રહણ ભલે ન પણ હોય, તો પણ સામાન્યપણે અવિનાભાવસંબંધનું ગ્રહણ કરીને હેતુ વડે સાધ્યનું અનુમાન કરી શકાય છે, જેમ સૂર્યને એકસ્થાનથી બીજે સ્થાને પહોંચેલો (દેશાન્તરપ્રાપ્ત) જોઈને તેની ગતિનું અનુમાન કરવામાં આવે છે – સૂર્ય ગતિ કરે છે કેમ કે તે દેવદત્તની જેમ એક સ્થાનથી બીજે સ્થાન પહોંચી જાય છે. અહીં જો કે સૂર્યની ગતિ પહેલાં ક્યારેય પણ પ્રત્યક્ષ થઈ નથી (અર્થાત્ તે અત્યન્ત અપ્રત્યક્ષ છે) તેમ છતાં દેવદત્તમાં સામાન્યપણે દેશાન્તરપ્રાપ્તિ અને ગતિના અવિનાભાવનું પ્રત્યક્ષથી ગ્રહણ કરીને સૂર્યની દેશાન્તરપ્રાપ્તિ જોઈ તેની અત્યન્ત અપ્રત્યક્ષ ગતિનું પણ અનુમાન કરાય છે જ. તેવી જ રીતે જો કે આત્માનું પ્રત્યક્ષ કદી થતું ન હોવા છતાં ક્યાંક સામાન્યતઃ અવિનાભાવસંબંધ ગ્રહણ કરીને કોઈક હેતુ વડે આત્માનું પણ અનુમાન કરી શકાય. ચાર્વાક— આ પ્રમાણે તમારે ન કહેવું જોઈએ કેમ કે તમારી વાત જરા પણ તર્કસંગત નથી. અરે ! તમારી સમજમાં આટલી સીધી વાત નથી આવતી કે દેવદત્ત નામના દૃષ્ટાન્તમાં ‘એક દેશથી બીજા દેશે પહોંચવું (દેશાન્તરપ્રાપ્તિ) ગતિપૂર્વક છે' આ વ્યાપ્તિને પ્રત્યક્ષથી જ દેવદત્તને ચાલતો ચાલતો એક સ્થાનેથી નજીકના બીજા સ્થાને પહોંચતો જોઈને ગ્રહણ કરવામાં આવે છે. અને જ્યારે ઉક્ત વ્યાપ્તિ પ્રત્યક્ષથી ગૃહીત થઈ જાય છે ત્યારે સૂર્યને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચેલો (દેશાન્તરપ્રાપ્ત) જોઈને તેની ગતિનું અનુમાન થાય છે. પરંતુ અહીં તો આત્માની (જીવની) સત્તા સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર કોઈ પણ હેતુ પ્રત્યક્ષથી જ્ઞાત થતો જ નથી. તેથી સામાન્યતોદષ્ટ (જેનો સાધ્ય સાથેનો અવિનાભાવસંબંધ સામાન્યપણે પ્રત્યક્ષથી દેખાયો છે એવા) લિંગથી (હેતુથી) પણ આત્માનું અનુમાન થઈ શક્યું નથી. 105. तथा नाप्यागमगम्य आत्मा । अविसंवादिवचनाप्तप्रणीतत्वेन ह्यागमस्य प्रामाण्यम् । न चैवंभूतमविसंवादिवचनं कंचनाप्याप्तमुपलभामहे यस्यात्मा प्रत्यक्ष इति । अनुपलम्भ ( लभ ) मानाश्च कथमात्मानं विप्रलभेमहि । किंच, आगमाश्च सर्वे परस्परविरूद्धप्ररूपिणः । ततश्च कः प्रमाणं कश्चाप्रमाणमिति संदेहदावानलज्वालावलीढमेवागमस्य प्रामाण्यम् । ततश्च नागमप्रमाणादप्यात्मसिद्धिः ३ । 105. તથા આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમ ? તેનું કારણ સમજાવીએ છીએ. જેમનાં વચનો અવિસંવાદી છે – અર્થાત્ જેમનાં વચનોમાં ન તો - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy