SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ તર્કરહસ્યદીપિકા मित्येवं लिङ्गग्रहणसंबन्धस्मरणाभ्यां तत्र प्रमाता हुतभुजमवगच्छति । न । चैवमात्मना लिङ्गिना सार्धं कस्यापि लिङ्गस्य प्रत्यक्षेण संबन्धः सिद्धोऽस्ति, यतस्तत्संबन्धमनुस्मरतः पुनस्तल्लिङ्गदर्शनाज्जीवे स प्रत्यय: स्यात् । यदि पुनर्जीवलिङ्गयोः प्रत्यक्षतः संबन्धसिद्धिः स्यात्, तदा जीवस्यापि प्रत्यक्षत्वापत्त्यानुमानवैयर्थ्यं स्यात्, तत एव जीवसिद्धेरिति ।। 103. ઉપરાંત, પ્રત્યક્ષ વડે હેતુ અને સાધ્યના ગ્રહણ કરાયેલા અવિનાભાવસંબંધની સ્મૃતિ થયા પછી અનુમાનથી પ્રવૃત્તિ થાય છે. ઉદાહરણાર્થ, રસોડું વગેરે સ્થાનોમાં પહેલાં અગ્નિ અને ધૂમના અન્વય-વ્યતિરેકમૂલક અવિનાભાવસંબંધને પ્રત્યક્ષ વડે ગ્રહણ કરી લીધા પછી જ્યારે કોઈ જંગલ યા પર્વતનો ઢોળાવ આદિ સ્થાનોમાં આકાશ સુધી ઊંચે ફેલાયેલા ધૂમને જોઈએ છીએ ત્યારે પહેલાં પ્રત્યક્ષથી ગ્રહણ કરેલા અગ્નિ અને ધૂમના અવિનાભાવસંબંધનું સ્મરણ થઈ આવે છે. તે વખતે અનુમાન કરનારો વિચારે છે કે રસોડું વગેરે સ્થાનોમાં મેં જ્યાં જ્યાં ધૂમ જોયો હતો ત્યાં અગ્નિને પણ મેં બરાબર જોયો હતો અર્થાતુ અગ્નિ હતો, અત્યારે અહીં પણ ધૂમ દેખાય છે, તેથી અત્યારે અહીં પણ અગ્નિ હોવો જોઈએ. આવી રીતે પ્રમાતા ધૂમરૂપ લિંગને (હેતુને) જોઈને તથા પહેલાં ગ્રહણ કરેલા અગ્નિ-ધૂમના અવિનાભાવસંબંધનું સ્મરણ કરીને અગ્નિનું અનુમાન કરે છે. પરંતુ આત્માની સાથે કોઈ પણ હેતુનો ન તો પહેલાં પ્રત્યક્ષ વડે અવિનાભાવસંબંધ ગ્રહણ કરાયો છે કે ન તો તે હેતુનું દર્શન થાય છે કે જેનાથી તે અવિનાભાવસંબંધનું સ્મરણ કરીને તે હેતુ દ્વારા આત્માનું અનુમાન કરી શકાય. જો આત્મા (જીવ) અને તેના અનુમાપક લિંગ(હેતુ)ના અવિનાભાવસંબંધનું પ્રત્યક્ષથી ગ્રહણ થઈ શકતું હોત તો તે જ વખતે આત્માનું પ્રત્યક્ષથી ગ્રહણ થઈ જ જાત અને તો પછી અનુમાન કરવાની કોઈ આવશ્યકતા જ ન રહેત કેમ કે જે આત્માને સિદ્ધ કરવા માટે અનુમાન કરવામાં આવી રહ્યું છે તે આત્માની સિદ્ધિ તો પહેલાં પ્રત્યક્ષથી થઈ જ ગયેલી છે. 104. ર ર વચ્ચે સામાન્યષ્ટનુમાનાલાલિત્યાતિવર્ષાવ: सिध्यति, यथा गतिमानादित्यो देशान्तरप्राप्तिदर्शनात्, देवदत्तवत् इति । यतो हन्त देवदत्ते दृष्टान्तर्मिणि सामान्येन देशान्तरप्राप्तिर्गतिपूर्विका प्रत्यक्षेणैव निश्चिता सूर्येऽपि तां तथैव प्रमाता साधयतीति युक्तम् । न चैवमत्र क्वचिदपि दृष्टान्ते जीवसत्त्वेनाविनाभूतः कोऽपि हेतुरध्यक्षेणोपलक्ष्यत इत्यतो न सामान्यतोदृष्टादप्यनुमानात्तद्गतिरिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy