SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ૩૦૯ ટકાવી રાખે છે. આમ ચૈતન્ય શરીરનું કાર્ય સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યવિશિષ્ટ શરીરમાં જ “હું જાણું છું આ અહંપ્રત્યયની ઉત્પત્તિ પણ સિદ્ધ થાય છે. પરિણામે આત્માને અહંપ્રત્યયનો વિષય માની પ્રત્યક્ષસિદ્ધ કહેવો અયોગ્ય છે. અને જ્યારે આત્મા પ્રત્યક્ષનો વિષય જ નથી ત્યારે તેનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહિ. તેથી અમે અનુમાનપ્રયોગના રૂપમાં કહીએ છીએ કે–આત્મા નથી, કેમ કે તે અત્યન્ત અર્થાત્ સર્વથા અપ્રત્યક્ષ છે, જે અત્યન્ત અપ્રત્યક્ષ હોય તેનું અસ્તિત્વ ન જ હોય, જેમ કે આકાશકુસુમ. જેનું અસ્તિત્વ હોય છે તેને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે જ, જેમ કે ઘટ. જો કે પરમાણુઓ પ્રત્યક્ષગ્રાહ્ય નથી તેમ છતાં જ્યારે તેઓ મળીને ઘટ આદિ ધૂળ રૂપને ધારણ કરે છે ત્યારે તેઓ પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય બની જાય છે, પ્રત્યક્ષ વડે તેમનું ગ્રહણ થાય છે. પરંતુ આત્મા તો કોઈને ક્યારેય કોઈ પણ રીતે પ્રત્યક્ષ વડે જ્ઞાત થતો નથી જ, એટલે આવા અત્યન્ત અપરોક્ષ આત્માનું અસ્તિત્વ કેવી રીતે મનાય ? તેથી અમે અપ્રત્યક્ષને “અત્યન્ત' વિશેષણ લગાડીને “અત્યન્ત અપ્રત્યક્ષ'ને હેતુ બનાવ્યો છે. પરમાણુઓ તો ઘટ આદિ સ્થળ આકાર ધારણ કરીને પ્રત્યક્ષ બની જાય છે, એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. 102. તથા નાથનુમાનં મૂતવ્યતિરિસમાવે પ્રવર્તતે, તસ્યાप्रमाणत्वात्, प्रमाणत्वे वा प्रत्यक्षबाधितपक्षप्रयोगानन्तरं प्रयुक्तत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । शरीरव्यतिरिक्तात्मपक्षो हि प्रत्यक्षेणैव बाध्यते । 102. તથા પૃથ્વી આદિ ભૂતોથી ભિન્ન આત્માના અસ્તિત્વની સિદ્ધિ અનુમાનથી પણ થઈ શકતી નથી કેમ કે અનુમાન નામનું પ્રમાણ જ નથી, કેવળ એક જ પ્રમાણ છે અને તે પ્રત્યક્ષ છે.] તે પ્રમાણ હોય તો પણ પ્રત્યક્ષથી બાધિત આત્મારૂપ પક્ષમાં પછીથી હેતુ તેની સિદ્ધિ કરવા માટે પ્રયોજાયો હોવાથી તે બાધિતવિષય બની ગયો છે અને એટલે કાલાત્યયાપદિષ્ટ હેત્વાભાસ બની ગયો છે, એટલે તે આત્માને સિદ્ધ કરી શકતો નથી. શરીરથી ભિન્ન એવો સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતો આત્મા તો પ્રત્યક્ષથી બાધિત છે, તેથી એવા આત્માને પક્ષ બનાવી તેનું અસ્તિત્વ સિદ્ધ કરવું એ તો અગ્નિમાં અનુષ્ણતા સિદ્ધ કરવા સમાન પ્રત્યક્ષબાધિત છે. 103. નિર્નાિલિસંવરજીપૂર્વાનુમાનમ્ ા યથા–પૂર્વ महानसादावग्निधूमयोलिङ्गिलिङ्गयोरन्वयव्यतिरेकवन्तमविनाभावमध्यक्षेण गृहीत्वा तत उत्तरकालं वचित्कान्तारपर्वतनितम्बादौ गगनावलम्बिनीं धूमलेखामवलोक्य प्राग्गृहीतसंबन्धमनुस्मरति । तद्यथा-यत्र यत्र धूमस्तत्र तत्र वह्निमद्राक्षं यथा महानसादौ, धूमश्चात्र दृश्यते तस्माद्वह्निनापीह भवितव्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy