SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ તર્કરહસ્યદીપિકા હું દેખું છું, હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું, હું સુખી છું, હું ભવ્ય છું' ઇત્યાદિરૂપે જ્ઞાન આદિની સાથે ‘હું’ના અર્થાત્ જીવના અભેદનું ભાન આપણને થાય નહિ. પરંતુ પ્રત્યેક જીવ યા પ્રાણી ‘હું સુખી છું, હું દુઃખી છું' આદિ રૂપે પોતાને જ્ઞાન આદિથી અભિન્ન અનુભવે જ છે. જો જીવ જ્ઞાન આદિ ધર્મથી સર્વથા અભિન્ન હોત તો ‘આ જીવ ધર્મી છે અને આ જ્ઞાન આદિ ધર્મો છે’ એવું ભેદજ્ઞાન ન થાત, પણ એવું ભેદજ્ઞાન થાય છે, એટલે જીવ જ્ઞાનાદિ ધર્મથી સર્વથા અભિન્ન નથી પણ તેનો તેમનાથી ભેદ પણ છે. વળી, જો જીવનો જ્ઞાન આદિ સાથે સર્વથા અભેદ હોય તો કાં તો જીવ જ રહે અને કાં તો જ્ઞાન આદિ જ રહે, ‘આ મારા જ્ઞાન આદિ છે, હું જ્ઞાન આદિ ગુણોવાળો છું’ એ આકારનો ભેદપ્રતિભાસ ન થાય. ઉક્ત પ્રયોગોમાં ‘આ જીવ ધર્મી છે તથા આ જ્ઞાન આદિ ધર્મો છે એવો ભેદનો પ્રતિભાસ થાય છે. જ્યાં ‘મારું ’ પ્રયોગ થાય ત્યાં બે વસ્તુ હોવી જ જોઈએ. જ્યાં એક અભિન્ન હોય ત્યાં ‘મારું’ પ્રયોગ ન થઈ શકે. પરંતુ ‘મારું જ્ઞાન, મારું સુખ’ આદિ મમકારનું ભાન બધાં પ્રાણીઓને હોય છે. વળી, જો જીવ અને જ્ઞાન આદિ ગુણનો સર્વથા અભેદ માનવામાં આવે તો એક જીવથી અભિન્ન હોવાના કારણે જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણોમાં પરસ્પર ભેદ ન રહે અને ‘મને જ્ઞાન પણ છે અને દર્શન પણ છે’ વગેરે પ્રતિભાસોમાં જ્ઞાન, દર્શન આદિ ધર્મોના પરસ્પર ભેદની જે પ્રતીતિ થાય છે તે પણ ન થાય. પરંતુ આવી પરસ્પર ભેદની પ્રતીતિ આપણને થાય છે જ. તેથી જીવને જ્ઞાનાદિ ધર્મોથી ભિન્નાભિન્ન માનવો જોઈએ. આ પ્રતિપાદન દ્વારા વૈશેષિકોએ માનેલા ધર્મ અને ધર્મીના એકાન્ત ભેદનો નિરાસ થઈ ગયો. વૈશેષિક મતે ધર્મી દ્રવ્ય અને ધર્મ ગુણ વચ્ચે અત્યન્ત ભેદ છે. તે બન્નેને જોડતો વિશિષ્ટ સંબંધ સમવાય છે. દ્રવ્યથી અત્યન્ન ભિન્ન ગુણો દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે.] ઉપરાંત બૌદ્ધોએ જ્ઞાનાદિ અને આત્મામાં માનેલા એકાન્ત અભેદનો પણ નિરાસ થઈ ગયો. બૌદ્ધો જ્ઞાનક્ષણોના પ્રવાહને જ આત્મા માને છે એટલે તેમના મતે પણ એવો આત્મા ધર્મ છે. ન 98. तथा विविधं वर्तनं विवृत्तिर्नरामरादिपर्यायान्तरानुसरणं तद्वान् विवृत्तिमान् । अनेन भवान्तरगामिनमात्मानं प्रति विप्रतिपन्नांश्चार्वाकान् कूटस्थनित्यात्मवादिनो नैयायिकादीन्निरस्यति । 98. જીવ વિવૃત્તિમાન છે અર્થાત્ જીવ મનુષ્ય, દેવ આદિ અનેક જાતના પર્યાયોમાં વર્તન (નિવાસ) કરનારો છે. આનો અર્થ એ કે જીવ મનુષ્ય, દેવ આદિ અનેક પર્યાયોમાં પરિણમે છે. આ વિશેષણથી દેહની સાથે આત્મા બળીને ભસ્મ થઈ જાય છે, આત્મા પરલોકમાં જતો નથી એમ માનનાર ચાર્વાકોનું નિરાકરણ થઈ જાય છે. તેવી જ રીતે આત્માને ફૂટનિત્ય અર્થાત્ એકાન્તપણે અપરિવર્તનશીલ માનનાર જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy