SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તર્કરહસ્યદીપિકા આચાર્યપદ વિ.સં. ૧૪૪૨માં મળ્યું છે. આચાર્ય ગુણરત્ન પોતે પોતાની કૃતિ ક્રિયારત્નસમુચ્ચયની પ્રશસ્તિમાં આચાર્ય જ્ઞાનસાગરની પ્રશંસા કરી છે. આચાર્ય જ્ઞાનસાગર સમર્થ આચાર્ય હતા અને ગુણરત્નથી જયેષ્ઠ હતા. ગુણરત્નને સ્વપ્નમાં આવીને તેમણે શિષ્ટશિષ્ટનો વિવેક દર્શાવ્યો હતો તથા સ્વરરાજના રૂપમાં તે દેખાયા હતા. (જુઓ ગર્વાવલી, ૩૪૦). જ્ઞાનસાગરસૂરિએ પોતે અવચૂર્ણિ લખી છે અને તેની હસ્તપ્રતિઓ પણ મળે છે (જુઓ જિનરત્નકોષ). ગુર્વાવલી (શ્લોક ૩૬૧)માં તો સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાનસાગરસૂરિએ લખેલી અવચૂર્ણિઓ દીપિકાઓની જેમ આ જ પણ પ્રકાશ ફેલાવી રહી છે. (૬) વાસોતિકવિતષ્ઠાવિડમ્બનપ્રકરણ – અંચલગચ્છના કેટલાક મતોનું નિરાકરણ કરવા માટે આચાર્ય ગુણરત્ન આ પ્રકરણ લખ્યું છે. જૈન મુનિઓના આચારની કેટલીય વાતો એવી છે કે જેમનો શાસ્ત્રાધાર નથી, તો પછી તેમને સ્વીકારવી કે નહિ? – આ સામાન્ય પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે કે જૈનધર્મનો લોપ થવાનો જ્યારે સમય આવશે ત્યારે શાસ્ત્રનો કેટલોક અંશ જ બચશે. જો તે સમયના લોકો કહે કે ઉપલબ્ધ શાસ્ત્રમાં જે લખ્યું છે તેને જ અમે માનીશું તો તેમનું કહેવું શું ઉચિત ગણાય? તેવી જ રીતે આપણી સમક્ષ પણ વિશાલ શાસ્ત્રરાશિમાંથી કેટલાંક જ શાસ્ત્રો બચ્યાં છે, તો પછી આપણે કેવી રીતે એ કહી શકીએ કે અમુક વાત શાસ્ત્રમાં નથી લખી, માટે અમાન્ય છે. આપણા ઉપલબ્ધ શાસ્ત્રમાં ન પણ લખી હોય પરંતુ કેટલીક તો પરંપરાથી આચારમાં ચાલતી આવી છે અને કેટલીકનું સમર્થન ટીકા આદિ ગ્રન્થોથી થાય પણ છે, તો પછી તે વાતોને શાસ્ત્રસમ્મત કેમ માનવામાં ન આવે? – દલીલના આ ક્રમના આધાર ઉપર આ પ્રકરણ લખવામાં આવ્યું છે અને તેને જોવાથી જણાય છે કે આચાર્ય ગુણરત્ન જૈન આગમગ્રન્થોથી જ નહિ પણ તેમની નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ આદિ ટીકાઓથી પણ સુપરિચિત હતા. આનું બીજું નામ અંચલમતનિરાકરણ પણ મળે છે. જુઓ જિનરત્નકોષ. (૭) ષડ્રદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકાટીકા-આ ટીકા વિસ્તૃત, પ્રૌઢ અને વિદ્વત્તાપૂર્ણ છે. તેનો સામાન્ય પરિચય અગાઉ “પદર્શનસમુચ્ચયનું ટીકાસાહિત્ય' શીર્ષક નીચે આપી દીધો છે. તેથી તેની પુનરુક્તિ કરવી અહીં જરૂરી નથી. ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૩, પૃ. ૪૩૨-૪૩૬ . ૨. એજન-પૃ. ૪૩૪, જ્ઞાનસાગરની પ્રશંસા માટે જુઓ સોમસૌભાગ્ય સર્ગ ૫, શ્લોક ૭-૮ તથા મુનિસુન્દરકૃત ગુર્નાવલી શ્લોક ૩૨ ૭થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy