SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ તર્કરહસ્યદીપિકા શ્વેતામ્બર જૈન તમારી વાત અયોગ્ય છે. [‘બહુ કર્મોના એક સાથે ઉદયથી બહુ પીડા થાય' એવો કોઈ નિયમ નથી.] સમ્યગ્દષ્ટિ આદિ ચોથા વગેરે ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન આદિના કારણે વેદનીયકર્મની ગુણશ્રેણીનિર્જરા અર્થાત્ ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. તે સમયે પ્રચુર કર્મયુગલોનો એક સાથે ઉદય હોવા છતાં પણ પીડા તો થોડી જ થાય છે. તેથી અધિક કર્મપુદ્ગલોના ઉદયથી અધિક પીડા તથા થોડા કર્મોના ઉદયથી થોડું ફળ મળે એવો કોઈ નિયમ નથી.] કેવલીમાં સાતવેદનીયના થોડા જ કર્મયુગલોનો ઉદય હોય છે પરંતુ તેને સાતા તો અધિકાધિક હોય છે. આ રીતે પ્રચુર કર્મપુદ્ગલોના ઉદયનો અભાવ હોવા છતાં પણ (અર્થાત્ થોડા જ કર્મપુ. લોનો ઉદય હોવા છતાં પણ) ફળની તીવ્રતા હોય છે એ દર્શાવવામાં આવ્યું છે. તેથી નિષ્કર્ષ એ નીકળ્યો કે વેદનીયકર્મોની ઉદીરણા સાથે જ ભૂખનો સંબંધ ન જોડી શકાય. અસાતાવેદનીય કર્મનો ઉદય જ ભૂખ લાગવા માટેનું પર્યાપ્ત પ્રબળ કારણ છે.] 86. યશ્રુતે માહીક્ષિા ક્ષા, સા ૨ પરિગ્રહવૃદ્ધિ, સા = मोहनीयविकारः, तस्य चापगतत्वात् केवलिनो न भुक्तिः' इति, तदसम्यक्, यतो मोहनीयविपाकात् क्षुन्न भवति, तद्विपाकस्य प्रतिपक्षभावनानिवर्त्यमानत्वात्, क्रोधादीनां तथोपरमोपलब्धेः । यदुक्तम्- "उवसमेण हणे कोहं" [दशवै० गा० ८।३९] इत्यादि । न च क्षुद्वेदनीयं तद्वद्विपक्षभावनया निवर्त्यमानं दृष्टम्, अतो न मोहविपाकस्वभावा क्षुदिति । 86. દિગમ્બર જૈન – ભૂખનો સીધો અર્થ છે આહારની ઇચ્છા. અને ઇચ્છા તો મોહનીયકર્મના ઉદયથી થતો વિકાર છે. ઇચ્છા આભ્યન્તર પરિગ્રહરૂપ છે [કેમ કે પરિગ્રહનું મૂળ ઈચ્છા છે અને એટલે ઇચ્છાને જ ખરેખર પરિગ્રહ સમજવામાં આવે છે. તેથી નિર્મોહી કેવલીને મોહના વિકારરૂપ આહારની ઇચ્છા કેવી રીતે હોઈ શકે? આહારની ઇચ્છા જ ન હોય ત્યારે ભોજન લેવું સંભવ નહિ. શ્વેતામ્બર જૈન - તમારી વાત સાચી નથી કેમ કે ભૂખે મોહનીય કર્મના ઉદયથી થતો વિકાર નથી. તિ તો અસતાવેદનીયના ઉદયથી લાગે છે.] મોહનીયકર્મના ઉદયથી થનારા કામ આદિ વિકારો તો પ્રતિપક્ષી (વિરોધી) બ્રહ્મચર્ય આદિની ભાવનાથી દૂર થઈ જાય છે. ક્ષમા વડે ક્રોધનો ઉપરમ થાય છે, ઇત્યાદિ, કહ્યું પણ છે કે “ઉપશમ (ચિત્તની શાન્તિ) વડે ક્રોધને હણવો જોઈએ.” દિશવૈકાલિક ગાથા.૮.૩૯]. પરંતુ શુદનીય અર્થાત સુધા (ભૂખ) ગમે તેટલી પ્રતિપક્ષી (અર્થાત્ આહાર ન કરવાની) ભાવના ભાવો પણ જયાં સુધી ખાલી પેટમાં કંઈ પડશે નહિ ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy