SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૯૧ मानतया सातोदयवदसातोदयोऽप्यस्तीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुदुद्भवपीडा च भवत्येव । न चाहारग्रहणे तस्य किंचिक्षूयते केवलमाहोपुरुषिकामात्रमेवेति । 84. જેમ તડકો અને છાંયડો એકબીજાના વિરોધી હોવાના કારણે સાથે રહી શકતા નથી તેમ કેવલજ્ઞાનાદિ અને ભૂખમાં તો એવો સહાનવસ્થાનરૂપ (સાથે ન રહી શકવારૂપ) વિરોધ તો છે નહિ. [જ્ઞાની હોવું અને ભૂખ પણ લાગવી એમાં શો વિરોધ છે?] વળી, જેમ ભાવ અભાવનો પરિહાર (નિષેધ) કરીને પોતાનું અસ્તિત્વ સ્થાપે છે અને અભાવ ભાવનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્વ સ્થાપે છે એટલે તેમની વચ્ચે પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધ છે તેમ કેવલજ્ઞાન આદિ અને ભૂખ વચ્ચે તેવો પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધ પણ નથી. ભૂખના સદ્ભાવનું જ્ઞાનના અભાવ સાથે કોઈ ગઠબંધન નથી.] સાતાવેદનીયનો ઉદય અને અસતાવેદનીયનો ઉદય અન્તર્મુહૂર્તમાં (૪૮ મિનિટથી કંઈક ઓછા સમયમાં) બદલાતો રહે છે. ક્યારેક સાતાવેદનીયનો ઉદય હોય છે અને ક્યારેક અસતાવેદનીયનો. તેથી ભલે કેવલીમાં અનન્તવીર્ય અર્થાત અપરિમિત શક્તિ હોય પરંતુ જયારે અસાતવેદનીયનો ઉદય થશે ત્યારે શારીરિક નબળાઈ તથા ભૂખની પીડા થશે જ. કેવલીએ આહાર કરી લેવાથી કંઈ બગડતું તો છે જ નહિ જેથી કેવલીને નિરાહારી માનવાનો આગ્રહ રાખવો પડે. એ તો કેવળ ખોટી બડાઈ જ છે. 85. યદુવ્યતે–વેનીયાચોલી અમાવાન્ મૂતારપુકાનો માવ, तदभावाच्चात्यन्तं पीडाभावः' इति; तदयुक्तम्; तुर्यादिगुणस्थानकेषु वेदनीयस्य गुणश्रेणीसद्भावात्, प्रचुरपुद्गलोदये सत्यपि तत्कृतपीडाल्पत्वस्यैव दर्शनात्, जिने सातोदयवत् प्रचुरपुद्गलोदयाभावेऽपि तीव्रत्वप्रदर्शनाच्चेति । 85. દિગમ્બર જૈન– જયારે વેદનીયકર્મની ઉદીરા કરવામાં આવે છે અર્થાત્ નિયત સમય પહેલાં પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવવામાં આવે છે ત્યારે ઘણાબધા કર્મપુદ્ગલોના મેક સાથે ઉદય થવાથી પીડા થાય છે. પરંતુ કેવલીને તો વેદનીયકર્મોની ઉદીરણાનો અભાવ હોય છે, તેથી કેવલીને વેદનીયકર્મના ઘણા બધા કર્મપુદ્ગલોનો એક સાથે ઉદય હોતો નથી, પરિણામે કેવલીને પીડાનો અત્યન્ત અભાવ હોય છે. [આમ જયારે ભૂખની પીડા જ ન હોય ત્યારે તે આહાર લે જ શા માટે? એટલે કેવલીના આહારની ચર્ચા જ નિરર્થક છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy