SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ તર્કરહસ્યદીપિકા केवलिनि समस्ति । 82. શ્વેતામ્બર જૈન – આનો ઉત્તર અમે આપીએ છીએ. આપે કેવલીના કવલાહાર ન કરવાના સમર્થનમાં જે હેતુ “કારણ કે કેવલીમાં ભોજન કરવા માટેનું કોઈ કારણ નથી આપ્યો છે તે અસિદ્ધ છે કેમ કે ભોજન કરવા માટેનું પ્રધાન કારણ વેદનીય કર્મનો ઉદય કેવલીમાં છે જ. વેદનીયકર્મનો ઉદય જો કેવલીમાં તેવો જ મોજૂદ છે જેવો આપણામાં છે તેમ જ કેવલજ્ઞાનપ્રાશ્ય પહેલાં ખુદ કેવલીમાં હતો તો પછી કેવલજ્ઞાનપ્રાટ્ય પછી કેવલી આહાર લેવાનું બંધ કેમ કરી દે છે? શિરીર છેવટે તો શરીર છે, તેને આહાર નહિ મળે તો તે મશીન બંધ પડી જશે.] તેથી અમે અનુમાનપ્રયોગના રૂપમાં કહી શકીએ છીએ કે – “કેવલી ભોજન કરે છે કેમ કે ભોજન કરવા માટેની સકલ કારણસામગ્રી મોજૂદ છે,જેમ તે પોતાની અસર્વજ્ઞ અવસ્થામાં વેદનીય કર્મના ઉદયના કારણે ભોજન કરતા હતા તેમ આજે તેમણે પોતાની સર્વજ્ઞા અવસ્થામાં પણ ભોજન કરવું જોઈએ, કેમ કે પહેલાં અને આજની શરીરની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી, વળી પહેલાં જેટલાં ભોજન કરવા માટેનાં કારણો હતાં તેટલાં આજ પણ છે. તે કારણો છે – વેદનીય કર્મનો ઉદય (પ્રધાન કારણો, શરીરની પર્યાપ્તિ (પૂર્ણ વિકાસ), આહાર પચાવવામાં કારણભૂત તૈજસ શરીર (જઠરાગ્નિને પ્રદીપ્ત રહેવું) અને દીર્ધાયુ. આ બધાં કારણોની સકલ સામગ્રી કેવલીમાં પણ મોજૂદ છે. ____83. यदपि दग्घरज्जुस्थानिकत्वं वेदनीयस्योच्यते; तदप्यनागमिकमयुक्तियुक्तं च, आगमेऽत्यन्तसातोदयस्य केवलिनि प्रतिपादनात् । युक्तिरपि, यदि घातिकर्मक्षयाज्ज्ञानादयस्तस्य भवेयुः, वेदनीयोद्भवायाः क्षुधः किमायातं येनासौ न भवति । 83. વળી, આપે જે કહ્યું કે “વેદનીયકર્મ બળી ગયેલી દોરડી સમાન શક્તિહીન છે તે આગમવિરુદ્ધ તો છે જ, તર્કથી પણ તેનું સમર્થન થઈ શકતું નથી. આગમમાં તો કેવલીને અત્યન્ત સાતાનો ઉદય સ્પષ્ટપણે કહેવાયો છે. જો ઘાતકર્મોના ક્ષયના કારણે કેવલીને તેના ફળરૂપે કવલજ્ઞાન આદિની પ્રાપ્તિ થતી હોય તો તે ઉચિત જ છે, પરંતુ તેથી વેદનીયકર્મના ઉદયના કારણે ઉત્પન્ન થનારી બિચારી ભૂખે શું બગાડ્યું છે કે કેવલીમાં તેનો નિષેધ કરવામાં આવે છે. જો કેવલીમાં વેદનીયકર્મનો ઉદય હજુ છે જ તો ભૂખ લાગવી જ જોઈએ અને તેને શાન્ત કરવા ભોજન કરવું પણ ઉચિત જ છે.] 84. न तयोश्छायातपयोरिव सहानवस्थानलक्षणो भावाभावायोरिव परस्परपरिहारलक्षणो वा कश्चिद्विरोधोऽस्ति सातासातयोरन्तर्मुहूर्तपरिवर्त Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy