SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ તર્કરહસ્યદીપિકા સર્વથા નાશ પામી ગયાં છે, જેનો જે વસ્તુને જાણવાનો સ્વભાવ હોય અને જો તે વસ્તુનું જ્ઞાન થવામાં જેટલાં પ્રતિબંધકો હોય તે બધાં નષ્ટ થઈ ગયા હોય તો તે અવશ્યપણે તે વસ્તુને જાણે છે જ. ઉદાહરણાર્થ, આંખનો સ્વભાવ રૂપને જોવાનો છે અને જો આંખમાં કોઈ તિમિરાદિ રોગ ન હોય તથા અંધકાર આદિ રુકાવટ ન હોય તો આંખ રૂપને અવશ્યપણે દેખે છે જ.' આ અનુમાનથી સર્વજ્ઞના સર્વસાક્ષાત્કારિત્વરૂપ વ્યાપક ધર્મની સિદ્ધિ (ઉપલબ્ધિ) થાય છે જ. એટલે વ્યાપક ધર્મની અનુપલબ્ધિ સંભવતી જ નથી, તો પછી વ્યાપક ધર્મની અનુપલબ્ધિરૂપ હેતુ સર્વજ્ઞનો અભાવ કેવી રીતે સિદ્ધ કરી શકે ? [ઊલટું, સર્વસાક્ષાત્કારિત્વરૂપ વ્યાપક ધર્મની ઉપલબ્ધિ સર્વજ્ઞની સિદ્ધિ કરે છે.] 66. विरुद्धविधिरपि साक्षात्परंपरया वा सर्वज्ञाभावं साधयेत् । प्रथमपक्षे सर्वज्ञत्वेन साक्षाद्विरुद्धस्यासर्वज्ञत्वस्य क्वचित्कदाचिद्विधानात्सर्वत्र सर्वदा वा । तत्राद्यपक्षे न सर्वत्र सर्वदा सर्वज्ञाभावः सिध्येत्, यत्रैव हि तद्विधानं तत्रैव तदभावो नान्यत्र । न हि क्वचित्कदाचिदग्नेर्विधाने सर्वत्र सर्वदा वा तद्वयापकविरुद्धशीताभावो दृष्टः । द्वितीयोऽप्ययुक्तः, अर्वाग्दृशः सर्वत्र सर्वदा वा सर्वज्ञत्वविरुद्धासर्वज्ञत्वविधेरसंभवात्, तत्संभवे च तस्यैव सर्वज्ञत्वापत्तेः सिद्धं नः समीहितम् । 66. વિરુદ્ધવિધિ અર્થાત્ સર્વજ્ઞના વિરોધી અસર્વજ્ઞનો વિધિ (નિષેધનો વિરુદ્ધાર્થી શબ્દ વિધિ છે) પણ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞનો વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધો છો કે પછી સર્વજ્ઞના પરંપરાથી વિરોધી કોઈ પદાર્થનો વિધિ કરીને ? જો સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞનો વિધિ કરીને સર્વજ્ઞના અભાવને સાધશો તો પ્રશ્ન ઊઠશે કે અસર્વજ્ઞનો કોઈ ખાસ દેશ યા ખાસ સમયમાં વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો કે ત્રણે કાળ અને ત્રણે લોકમાં અસર્વજ્ઞનો વિધિ કરીને ? જો અસર્વજ્ઞનો કોઈ ખાસ દેશ યા ખાસ સમયમાં વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો તો તેનાથી સર્વજ્ઞનો સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વથા અભાવ સિદ્ધ નહિ થાય.જ્યાં અને જે સમય માટે અસર્વજ્ઞનો વિધિ ક૨વામાં આવે ત્યાં જ અને તે સમય પૂરતો જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થાય, બીજા દેશોમાં અને બીજા સમયોમાં ન થાય. ક્યાંક ક્યારેક તાપણું કરવાથી સર્વકાળે અને સર્વદેશે ઠંડીનો અભાવ ન થાય પરંતુ જ્યારે અને જ્યાં તાપણું કર્યું હોય ત્યારે અને ત્યાં જ ઠંડીનો અભાવ થાય. અગ્નિ ઠંડીનો વિરોધી છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં અર્થાત્ સર્વ કાળે અને સર્વત્ર અસર્વજ્ઞનો વિધિ કરીને તો સર્વજ્ઞનો અભાવ સાધી શકાય જ નહિ કેમ કે સર્વત્ર સર્વદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy