SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૭૭ સર્વજ્ઞની અનુપલબ્ધિ છે એ જાણવું નિતાન્ત અસંભવ છે. જ્યાં સુધી જગતનાં સમસ્ત પ્રાણીઓનું અને તેમનાં જ્ઞાનોનું એક-એક કરીને યથાર્થ પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી બધાં જ પ્રાણીઓનાં જ્ઞાનોમાં સર્વજ્ઞ પ્રતિભાસિત થતો નથી એ જાણવું અસંભવ છે. જેમ દર્પણને જાણ્યા વિના દર્પણમાં પડેલા પ્રતિબિંબને જોવું અસંભવ છે તેમ બધાં પ્રાણીઓનાં જ્ઞાનોને જાણ્યા વિના તેમનામાં પડેલા સર્વજ્ઞાભાવના પ્રતિબિંબને જાણી શકાય નહિ. જે બુદ્ધિમાન મનુષ્યને એ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે “જગતનાં સઘળાં જ પ્રાણીઓ સર્વજ્ઞને જાણતા નથી તે જ બુદ્ધિમાન મનુષ્ય સર્વજ્ઞ છે. આ જ રીતે સર્વજ્ઞતાનાં કારણોની અનુપલબ્ધિ દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરવો પણ અત્યન્ત દુષ્કર છે કેમ કે સર્વજ્ઞતાનું કારણ છે જ્ઞાનાવરણ આદિ પ્રતિબન્ધક કર્મોનો સમૂલ નાશ, અને આ કર્મોનો સમૂલ નાશ તો થઈ જ શકે છે. [કર્મોનો સતત બંધ અને નિર્જરા (આંશિક ક્ષય) થયા જ કરે છે, કર્મો આગન્તુક છે, કર્મો આત્માનો સ્વભાવ નથી, એટલે જ્યારે કર્મોનો પ્રતિપક્ષ વિરોધી આવી મળે છે ત્યારે તેમનો આત્મત્તિક નાશ થાય છે જ.] કર્મોના આત્મત્તિક નાશને સિદ્ધ કરનાર અનુમાન અને તર્કો અમે હવે પછી જણાવીશું. 64. વાર્તાનુપત્તોડવ્યસિદ્ધ, તાર્યચવિસંવાદમચોથે 1 64. સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી કેમ કે સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિ ખુદ અસિદ્ધ છે. કેવી રીતે? તેનું કારણ એ છે કે સર્વજ્ઞ રચેલાં અવિસંવાદી આગમો ઉપલબ્ધ છે. 65. વ્યાપવાનુપત્નોસિદ્ધ, તયિાપી સર્વાઈસાક્ષાત્વરિત્રस्यानुमानेन प्रतीतेः । तथाहि-अस्ति कश्चित्सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धप्रत्ययत्वात् । यद्यद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकं तत्तत्साक्षात्कारि, यथापगततिमिरादिप्रतिबन्धं लोचनं रूपसाक्षात्कारीति नानुपलम्भादिति साधनं सर्वज्ञाभावं साधयति । 65. સર્વજ્ઞના વ્યાપક ધર્મની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી કેમ કે સર્વજ્ઞના વ્યાપક ધર્મની અનુપલબ્ધિ ખુદ અસિદ્ધ છે? કેવી રીતે તે અસિદ્ધ છે તે અમે સમજાવીએ છીએ. સર્વજ્ઞનો વ્યાપક ધર્મ છે સર્વ વસ્તુઓનો સાક્ષાત્કાર કરવા તે. તે વ્યાપક ધર્મ નીચે આપેલા અનુમાનથી બરાબર સિદ્ધ છે, જ્ઞાત છે, ઉપલબ્ધ છે. “કોઈ વ્યક્તિ સકલ વસ્તુઓનો યથાવતુ સાક્ષાત્કાર કરે છે, કેમ કે સકલ વસ્તુઓને જાણવાનો તેનો સ્વભાવ છે તથા તેના જ્ઞાનના પ્રતિબંધક કર્મો અત્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy