SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૬૯ તાત્પર્ય એ છે કે અભ્યાસથી કેળવાતી શક્તિની પણ એક મર્યાદા હોય છે, તેથી જ્ઞાનની વૃદ્ધિ પણ અભ્યાસથી પોતાની મર્યાદાને લાંઘી શકતી નથી, જ્ઞાન એટલું વૃદ્ધિ પામી શકતું નથી કે તે સર્વજ્ઞ બની જાય. ]. 54. ગરિ ર સ સર્વ વસ્તુળાનં વોન vમીન નાનાતિહિં પ્રત્યક્ષેળ, उत यथासंभवं सर्वैरेव प्रमाणैः । न तावत्प्रत्यक्षेण, तस्य संनिहितप्रतिनियतार्थग्राहित्वात् । नाप्यतीन्द्रियप्रत्यक्षेण; तत्सद्भावे प्रमाणाभावात् । नापि सवेरेव प्रमाणैः, तेषां प्रत्यक्षपूर्वकत्वात् सर्वेषां सर्वज्ञतापत्तेश्चेति । 54. વારુ, હવે આપ જૈનો એ કહો કે આપનો સર્વજ્ઞ સર્વ વસ્તુઓને કયા પ્રમાણથી જાણે છે ? શું તે પ્રત્યક્ષથી જાણે છે કે યથાસંભવ બધાં પ્રમાણોથી ? ઇન્દ્રિયપ્રત્યક્ષથી તો તે બધી વસ્તુઓને જાણી શકે નહિ. ઇન્દ્રિયપ્રત્યક્ષ તો ઇન્દ્રિયો સાથે સકૃિષ્ટ વર્તમાન, નિયત વસ્તુઓને જ જાણે છે, તેથી તેના વડે અતીત, અનાગત, દૂરવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિય વસ્તુઓનું જ્ઞાન થઈ શકે નહિ.] અતીન્દ્રિયપ્રત્યક્ષથી પણ તે બધી વસ્તુઓને જાણી શકે નહિ કેમ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ ખુદ વિવાદગ્રસ્ત છે, તેના અસ્તિત્વને સિદ્ધ કરતું કોઈ પ્રમાણ નથી. યથાસંભવ બધાં પ્રમાણોથી થોડું થોડું જાણીને પછી તે બધાં જ્ઞાનોનો કુલ સરવાળો કરી સર્વજ્ઞ બનવું પણ શક્ય નથી કેમ કે બધાં પ્રમાણો પ્રત્યક્ષમૂલક છે અને જ્યારે પ્રત્યક્ષ પોતે જ સર્વ વસ્તુઓને ગ્રહણ કરવામાં અસફળ છે ત્યારે તન્યૂલક પ્રમાણો તો સુતરાં સર્વ વસ્તુઓને ગ્રહણ કરી શકે નહિ. વળી, કેટલીક વસ્તુઓને પ્રત્યક્ષથી જાણી, કેટલીકને અનુમાન આદિથી જાણી, ધર્મ આદિ અતીન્દ્રિય વસ્તુઓને વેદરૂપ આગમથી જાણી પછી તે બધાં જ્ઞાનોના કુલ સરવાળાના રૂપમાં સર્વજ્ઞ બનવાની વાત તમે જૈનો કરતા હો તો એ રીતે તો બધા સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. 55. अन्यच्च, अनाद्यनन्तः संसारः । तद्वस्तून्यप्यनन्तानि क्रमेण विदन् कथमनन्तेनापि कालेन सर्ववेदी भविष्यति ? 55. વળી, જગત અનાદિ પણ છે અને અનન્તપણ છે. આ જગતમાં વસ્તુઓ પણ અનન્ત છે. તે અનન્ત વસ્તુઓને ક્રમથી જાણનારો તો કેવી રીતે અનન્ત કાળે પણ સર્વજ્ઞ બની શકે ? ક્રમથી અનન્ત પદાર્થોને જાણી શકાય જ નહિ. 56. , તસ્ય યથાસ્થિતવસ્તુલિત્વે અશુદ્યાલિસીસ્વારિ , तेषां यथावस्थिततया संवेदनात् । आह च “શુવ્યવિરચિપ્રસવનવારિત " રૂતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy