SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૬૩ તેમને સમજાતું નથી. આ ગૂંચવાડાનું કારણ ઉપરિનિર્દિષ્ટ પદોનું કરવામાં આવેલું ખોટું અર્થઘટન છે. જો તે પદોનું નીચે મુજબ સાચું અને સંગત અર્થઘટન કરવામાં આવે તો ગૂંચવાડો તરત જ દૂર થઈ જાય. અહીં “પ્રતિ' પદનો પ્રયોગ “પ્રત્યક્ષ' ગત “પ્રતિ' પદના પ્રયોગની જેમ “આભિમુખ્ય” કે “સમિકૃષ્ટ'ના અર્થમાં થયો છે. તેથી “પ્રત્યામવૃત્તી' એટલે માત્મસાન'. “પ્રત્યાત્મવૃત્તીનું સમાસનો અર્થ આ થશે – “માત્માનું પ્રતિ અમુશેન સમવાઘેન ચેષાં વૃત્તિઃ તે, તાન પ્રત્યાત્મવૃત્તી'. આમ ‘પ્રત્યાત્મવૃત્તીનું ધર્મધર્મલગ્નયાન' ની સમજૂતી છે – ઈશ્વરના પોતાના જ આત્મામાં સમવાયસંબંધથી રહેલા સંચિત ધર્માધર્મોને. “નિર્માણાધ્યમ્' થી સમજવાનું છે “નિર્માણ પ્રાખ્યમ્' (અને નહિ કે “કસિfપ્રાિણH'). “નિર્માળા પ્ર[િ 'નો અર્થ છે નિર્માણકાર્યને અર્થાત યોગજ શરીરને બનાવવાની વ્યાઘાત ન પામતી ઇચ્છા. આમ આ કંડિકામાં એવી બે વિભાવનાઓનો ઉલ્લેખ છે જે જીવન્મુક્તનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તે બે વિભાવનાઓ આ છે – (૧) જીવન્મુક્ત પોતાના વર્તમાન જન્મમાં, જે તેનો અન્તિમ જન્મ છે તેમાં, પોતાનાં બધાં સંચિત કર્મોને તેમનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે, વિપાકોનુખ કરે છે. એવું મનાયું છે કે જીવન્મુક્ત તેના છેલ્લા જન્મમાં પોતાનાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જ જોઈએ. વાસ્યાયન જીવન્મુક્તનું અસ્તિત્વ સ્વીકારે છે, તે તેના માટે “વિહર—ક્ત' પદનો પ્રયોગ કરે છે. તે લખે છે – વરિશ વિવિજીવિત્ત વિદભુજી રૂત્યુચ્યતે ૪.૧.૬૪. વળી, તે સ્વીકારે છે કે જીવન્મુક્ત છેલ્લા જન્મમાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જોઈએ. તે લખે છે – સર્વાનિ પૂર્વર્માણ હાન્ત ગનિ વિપશ્ચત્ત તા ૪.૧.૬૪. (૨) અંતિમ જન્મના ટૂંકા ગાળામાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા માટે જીવન્મુક્તને અનેક યોગજ શરીરોનું નિર્માણ કરવાની જરૂરત પડે છે. તે અનેક યોગજ શરીરો દ્વારા એટલાં બધાં ફળોને ટૂંકા ગાળામાં ભોગવી લે છે. વાત્સ્યાયન આ માન્યતાને સ્વીકારે છે. તે લખે છે – યોગો રજુ શ્રી પ્રદુષ્કૃતીયાં વિરાધમ નિર્માય સેન્દ્રિય શરીરાન્તિ તેવુ યુપર્યાનિ ૩પત્રમતા ૩.૨.૧૯. જયંત ભટ્ટના નીચેના શબ્દો આ માન્યતાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. વો દિ योगद्धिसिद्ध्या विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय तदुपभोगयोग्यनि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि Jદીવા સત્સંવર્ધનનુમતિ સૈશ્વર્ય તીર્થીમુપમોન શર્મનાં ક્ષય: ન્યાયમંજરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy