SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ ૨ તર્કરહસ્યદીપિકા આત્માઓથી તેનો ભેદ છે. વાત્સ્યાયને મુક્ત (વિદેહમુક્ત) આત્માઓથી તેનો ભેદ કહ્યો ન હોવા છતાં સ્પષ્ટ છે. મુક્ત આત્માઓમાં કોઈ આત્મવિશેષગુણ હોતો નથી જ્યારે ઈશ્વરમાં જ્ઞાન, ધર્મ, સમાધિ અને ઐશ્વર્ય હોય છે. આમ ઈશ્વર આત્મા હોઈ સંસારી અને મુક્ત આત્માઓથી તેનો જાતિભેદ નથી. ઈશ્વર, સંસારી અને મુક્ત એ ત્રણ જુદી જાતિઓ નથી પણ એક જ જાતિ છે. જેમ સંસારી અને મુક્ત આત્મા છે તેમ ઈશ્વર પણ આત્મા જ છે. આમ જે આત્મા પોતાના મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી જ્ઞાન, ધર્મ અને સમાધિ સંપાદન કરે છે તે વાત્સ્યાયનના મતે ઈશ્વર છે. આ અર્થમાં દરેક જીવમાં ઈશ્વર બનવાની શક્યતા રહેલી છે અને ઈશ્વરો અનેક પણ હોઈ શકે છે. આ દર્શાવે છે કે વાત્સ્યાયનનો ઈશ્વર વિવેકીયા સમ્યજ્ઞાની અને ક્લેશરહિત જીવન્મુક્ત જ છે. (b) सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम्। સમજૂતીઃ ટીકાકારો આમાં ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાને વાંચે છે, તેથી તેઓ “પ્રત્યત્મિવૃત્તીન્' સમાસગત “તિનો અર્થ પ્રત્યેક કરે છે અને નિર્મળપ્રા'નો અર્થ ‘નિર્માણઝાવાગ્યમ્' (જગતનું નિર્માણ કરવાની અવ્યાહત ઇચ્છા) કરે છે. જગતનું સર્જન કરવાની ઇચ્છા જેવી તે કરે છે તેવું જ જગતનું સર્જન શરૂ થાય છે. જ્યારે તે જગતનું સર્જન કરવાની ઇચ્છા કરે છે ત્યારે તેની ઇચ્છાને અનુસરનારો તેનો ધર્મ પ્રત્યેક આત્મામાં રહેલા સંચિત ધર્માધર્મને પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત કરે છે તેમ જ પૃથ્વી વગેરે ભૂતોને (પરમાણુઓને) યાણકાદિક્રમે કાર્યો ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત કરે છે. જગતનું સર્જન કરવાની તેની ઇચ્છા વ્યાઘાત પામતી નથી. આ તેની અવ્યાહત ઇચ્છા તેના પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ જાણવું કારણ કે પોતે કરેલા કર્મના ફળનો લોપ થતો નથી એવો નિયમ છે. અહીં ઘણાને એ સમજાતું નથી કે જે ઈશ્વર પ્રત્યેક આત્માનાં સંચિત કર્મોને પોતાનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે અને જગતનું સર્જન કરે છે તે પોતે જ કર્મના નિયમથી કેમ બંધાયેલો છે, તેમ જ જગતનું સર્જન કરવાની ઈશ્વરની અવ્યાહત ઇચ્છા તેના પોતાના જ પૂર્વકૃત કર્મનું ફળ કેવી રીતે હોય ! તે બધાને વાત્સ્યાયનની વાતો ગૂંચવાડાભરી લાગે છે. તેમની મતિ મૂંઝાય છે કારણ કે જગત્કર્તા ઈશ્વરને તેનું ઈશ્વરપણું તેના પોતાના પૂર્વકૃત કર્મના ફળરૂપે પ્રાપ્ત થતું કેવી રીતે ગણી શકાય એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy