SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામત ૨૬૧ જજુનું વિશેષણ અજ્ઞ અત્યન્ત મહત્ત્વનું છે કારણ કે તે જ શ્લોકના ખરા અર્થની – આશયની ચાવી પૂરી પાડે છે. સુખ અને દુઃખ જીવે કરેલાં કર્મોનાં ફળો છે. જો તેને સુખ જોઈતું હોય તો સુખને પેદા કરનાર કર્મો ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. જો તેને દુઃખ જોઈતું હોય તો દુઃખને પેદા કરનાર કર્મો કયાં છે તે તેણે જાણવું જોઈએ. પરંતુ જીવ પોતે એ જ્ઞાન ધરાવતો નથી કે ક્યાં કર્મો સુખ પેદા કરનારાં છે અને ક્યાં કર્મો દુ:ખ પેદા કરનારાં છે. તેથી માનવામાં આવ્યું છે કે જીવ પોતે પોતાનાં સુખદુઃખનો પ્રભુ નથી. આવું જ્ઞાન ઈશ્વર જ તેને આપે છે. ઈશ્વર ઉપદેશ છે કે અમુક કર્મો સુખજનક છે અને અમુક કર્મો દુ:ખજનક છે. આ જ્ઞાન તેને સુખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે સુખ ઇચ્છતો હોય છે તો; અને દુ:ખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે દુઃખ ઈચ્છતો હોય છે તો. આમ આ જ્ઞાન આપીને તે દ્વારા જ ઈશ્વર તેને સ્વર્ગે જવા કે નરક જવા પ્રેરે છે. સ્વર્ગનો અર્થ સુખ અને નરકનો અર્થ દુઃખ સમજવાનો છે. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનના મતે ઈશ્વરનું સ્વરૂપ ન્યાયભાષ્યનો સમય ઇ.સ.ની પાંચમી શતાબ્દી મનાય છે. આપણે જોયું કે કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર તરીકે ઈશ્વરનો સ્વીકાર ગૌતમે કર્યો છે. તે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે એની સ્પષ્ટતા વાત્સ્યાયને પોતાના ભાષ્યમાં (૪.૧.૨૧) કરી છે. તે નીચે પ્રમાણે છે: | (a) ગુણવિશિષ્ટમાત્માન્તરમી: I તાત્માત્ ત્યાન્તરીનુપત્તિ: | ગધર્મमिथ्यज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । तस्य च समाधिफलमणिमाद्यष्टविधमैश्वर्यम्। સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે. આત્માથી અતિરિક્ત કોઈ નવું જ દ્રવ્ય નથી. ઈશ્વર અન્ય આત્માઓ જેવો જ છે, પરંતુ અન્ય આત્માઓ અને તેનામાં ભેદ એટલો જ છે કે અન્ય આત્માઓમાં જે ગુણો હોય છે તે જ ગુણો તેનામાં પણ હોય છે પરંતુ તેના ગુણોમાં વૈશિસ્ય છે. શું વૈશિસ્ય છે? અન્ય આત્માઓમાં મિથ્યાજ્ઞાન, અધર્મ (અધર્મપ્રવૃત્તિ, ક્લેશયુક્ત પ્રવૃત્તિ, રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ) અને પ્રમાદ હોય છે. ઈશ્વરે તેમનો નાશ કર્યો હોય છે. તેથી તેનામાં જ્ઞાન (સમ્યકજ્ઞાન વિવેકજ્ઞાન), ધર્મ (ધર્મપ્રવૃત્તિ, અક્લિષ્ટ પ્રવૃત્તિ, રાગદ્વેષરહિત પ્રવૃત્તિ) અને સમાધિરૂપ સંપત્તિ હોય છે, જ્યારે અન્ય આત્માઓમાં તે સંપત્તિ હોતી નથી. તેની અંદર સમાધિના ફળરૂપ અણિમા આદિ આઠ સિદ્ધિઓ હોય છે. આ આઠ સિદ્ધિઓ તેનું ઐશ્વર્ય છે. અન્ય આત્માઓમાં આ ઐશ્વર્ય હોતું નથી. આમ અન્ય આત્માઓથી અર્થાત સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy