SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તર્કરહસ્યદીપિકા કાશી સંસ્કૃત સિરિઝ, ભાગ ૨,પૃ. ૮૮. હવે ન્યાયભાષ્યની પ્રસ્તુત કંડિકાની અમારી સમજૂતી આપીએ છીએ. તે નીચે પ્રમાણે છે: ઈશ્વરમાં એક વિશિષ્ટ ધર્મ સમવાય સંબંધથી રહેલો છે. આ ધર્મ તેણે પૂર્વે કરેલા સારા કાર્યનું પરિણામ છે. આ ધર્મ બે ફળો આપે છે – (૧) તે ધર્મ ઈશ્વરમાં સમવાયસંબંધથી રહેલા બધા સંચિત ધર્માધર્મને વિપાકોનુખ કરે છે. (૨) તે ધર્મ પુથ્વી આદિ ભૂતોને યોગજ શરીરનું નિર્માણ કરવા પ્રવૃત્ત કરે છે. પરંતુ આ બે ફળો તે ધર્મ ક્યારે આવે છે? આ બે ફળો તે ધર્મ ત્યારે જ આપે છે જ્યારે ઈશ્વર પોતાનાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને ભોગવી લેવાની ઈચ્છા કરે છે અને તે માટે યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઇચ્છા કરે છે. આ કારણે કહ્યું છે કે તે ધર્મ ઈશ્વરની પોતાની ઈચ્છાને અનુસરે છે. આમ યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છા વ્યાઘાત પામતી નથી, આવી વ્યાઘાત ન પામતી ઇચ્છા ઈશ્વરે પૂર્વે કરેલા કોઈ ખાસ સારા કાર્યનું ફળ છે. આ અવ્યાહત ઇચ્છાને ઈશ્વરના પૂર્વકૃત કર્મનું ફળ ગણવી જોઈએ કારણ કે પૂર્વે કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે. (c) आप्तकल्पश्चायम्। यथा पिता अपत्यानां तथा पितृभूत ईश्वरो भूतानाम् । સમજૂતી: ઈશ્વર આપ્ત છે- જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા રાખી શકાય એવો છે, જેને પ્રમાણ તરીકે સ્વીકારી શકાય એવો છે. જેમ પિતા પુત્ર માટે આમ છે તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓને માટે આપ્ત છે. પિતા પુત્રનો માર્ગદર્શક છે, ઈશ્વર સર્વ પ્રાણીઓનો માર્ગદર્શક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઈશ્વર સર્વ જીવોને દુઃખમુક્તિ માટે ઉપદેશ આપે છે. વાસ્યાયન કેવળ આપતાની બાબતમાં જ પિતાપુત્ર અને ઈશ્વર-જીવ સંબંધો વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દષ્ટાન્ત (analogy) એથી વિશેષ લંબાવવું વાત્સ્યાયનને ઈષ્ટ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને ઈશ્વર પેદા કરે છે, અથવા જેમ પુત્ર પિતાનો અંશ છે તેમ જીવ ઈશ્વરનો અંશ છે, વગેરે આવું વાત્સ્યાયનને માન્ય નથી, અભિપ્રેત નથી. વાત્સ્યાયનના મતે ઈશ્વર એવી વ્યક્તિ છે જેના ઉપદેશમાં નિઃશંકપણે વિશ્વાસ મૂકી શકાય – ખાસ કરીને દુઃખમુક્તિના ઉપાયની બાબતના ઉપદેશમાં. ઈશ્વરે આપતા કેવી રીતે પ્રાપ્ત કરી? તેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી તે દ્વારા સમ્યક જ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરીને આપ્યતા પ્રાપ્ત કરી છે. વળી, આ પુરવાર કરે છે કે ઈશ્વર જીવન્મુક્ત જ છે કારણ કે જીવનમુક્ત જ પરમોત્કૃષ્ટ ઉપદેષ્ટા છે. (d) न च आत्मकल्पादन्यः कल्प: संभवति । न तावद् अस्य बुद्धि विना कश्चिद् धर्मो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy