SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૫૩ સંભવે. આપનૈયાયિકો જે અનુમાનથી સર્વજ્ઞ કર્તાને સિદ્ધ કરવા માગો છો તે અનુમાન પૂર્વે કયાંય પણ સર્વજ્ઞ કર્તાનું પ્રત્યક્ષ થયું ન હોઈ અસિદ્ધ છે એટલે વ્યાપ્તિ સંભવતી નથી. 43. અમિરશ્મિાની શુદ્ધિમત્તમ વિઘુવીનાં પ્રથમવવિभावनात्, स्वप्नाद्यवस्थायामबुद्धिमत्पूर्वस्यापि कार्यस्य दर्शनाच्चेति । 43. નૈયાયિકોએ ઈશ્વરને પૃથ્વી આદિના કર્તા સિદ્ધ કરવા આપેલા બધા હેતુઓ – “કાર્ય હોવાથી (કાર્યત્વ) “કાર્ય રચનાવિશિષ્ટ હોવાથી સિન્નિવેશવિશિષ્ટત્વ)' આદિ – વ્યભિચારી પણ છે. વીજળી, મેઘ આદિ કાર્ય છે, વિશિષ્ટ રચનાવાળાં છે, તેમનાં ઉપાદાનકારણ અચેતન પરમાણુઓ છે, તેઓ પહેલાં ન હતાં પણ પછી અસ્તિત્વમાં આવ્યાં છે – આમ તેમનામાં બધા હેતુઓ મોજૂદ છે પરંતુ તેમને કોઈ બુદ્ધિમાન બનાવ્યાં નથી, તેઓ આપોઆપ પરમાણુઓનો સંયોગ થતાં બની ગયાં છે. વીજળી આદિમાં હેતુના રહેવાથી અને સાધ્યના ન રહેવાથી ઉક્ત બધા હેતુઓ વ્યભિચારી છે. વળી, સ્વપ્ન તથા મૂર્શિત આદિ અવસ્થાઓમાં અબુદ્ધિમાન કર્તા વડે જ અનેક કાર્યો ઉત્પન્ન થતાં દેખાય છે. 44. ત્રિાયાવતિષ્ઠશ્ચતે, પ્રત્યક્ષામાંધિત પક્ષાનન્ત પ્રયુત્વીત્T तद्बाधा च पूर्वमेव दर्शिता। 44. વળી, આ બધા હેતુઓ કાલાત્યયાપદિષ્ટ પણ છે કેમ કે ખેડ્યા વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતા જંગલી ઘાસ આદિમાં પ્રત્યક્ષથી કર્તાનો અભાવ પહેલેથી જ નિશ્ચિત છે. આગમમાં (ગીતામાં) પણ “તૃત્વ મffખ તો મૃગતિ પ્રમ:' – ઈશ્વરમાં જગતનું કર્તત્વ પણ નથી કે કર્મોનો તે સર્જક પણ નથી ઈત્યાદિ વર્ણનથી અકર્તારૂપે પણ ઈશ્વરનું પ્રતિપાદન થયું છે. આમ પ્રત્યક્ષ અને આગમથી બાધિત પક્ષમાં આ બધા હેતુઓની પ્રવૃત્તિ હોવાથી તેઓ બાધિતવિષય છે એટલે કાલાત્યયાપદિષ્ટ છે. પ્રત્યક્ષ આદિથી પક્ષમાં બાધા કેવી રીતે આવે છે તે પહેલાં દર્શાવી દીધું છે. 45. પ્રરVIEાશાવી, પ્રવિરચિનાપ્રવર્તિાનાં હેત્વનરાઇri સદ્ધवात् । तथाहि- ईश्वरो जगत्कर्ता न भवति निरुपकरणत्वात्, दण्डचक्रचीवराधुपकरणरहितकुलालवत्, तथा व्यापित्वादाकाशवत्, एकत्वात्तद्वदित्यादय इति । 45. જગતને અકર્તક સિદ્ધ કરનારા અનેક પ્રત્યનુમાનો અર્થાત્ વિપરીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy