SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર તર્કરહસ્યદીપિકા વડે કોઈ પણ રીતે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. 42. પુર્વ સંનિવેશવિશિષ્ટત્રીતિપાદાનત્વપૂતમવિત્વાહિત્યयोऽपि स्वयमुत्थाप्याः, तुल्याक्षेपसमाधानत्वात् । किंच क्षित्यादेर्बुद्धिमत्पूर्वकत्वे साध्ये प्रदीयमानाः सर्वेऽपि हि हेतवो विरुद्धा दृष्टान्तानुग्रहेण सशरीरासर्वज्ञासर्वकर्तृपूर्वकत्वसाधनात् । न च धूमात्यावकानुमानेऽप्ययं दोषः तत्र तार्णपार्णादिविशेषाधारवह्निमात्रव्याप्तस्य धूमस्य दर्शनात् । नैवमत्र सर्वज्ञासर्वज्ञकर्तृविशेषाधिकरणतत्सामान्येन कार्यत्वस्यास्ति व्याप्तिः, सर्वज्ञस्य कर्तुरतोऽनुमानात्प्रागसिद्धेः । 42. આ જ રીતે “પૃથ્વી આદિ બુદ્ધિમાન કર્તા દ્વારા બનાવાયાં છે કારણ કે તેમની રચના વિશિષ્ટ છે”, “કારણ કે તેમનામાં અચેતન પરમાણુઓ ઉપાદાનકારણ છે', કારણ કે તેઓ પહેલાં ન હતાં પણ પછી અસ્તિત્વમાં આવ્યાં છે' ઇત્યાદિ આપવામાં આવતા હેતુઓનું ખંડન કાર્યત્વ હેતુની જેમ જ પોતે જાતે જ કરી લેવું. જે પ્રમાણે કાર્યત્વ હેતુની ચર્ચામાં શંકા-સમાધાન કરવામાં આવેલ છે તે પ્રમાણે જ આ હેતુઓમાં પણ શંકા-સમાધાન કરી લેવું. જે પ્રકારે કાર્યત્વ હેતુમાં ભાગાસિદ્ધ, વિરુદ્ધ, વ્યભિચાર, કાલાત્યયાપદિષ્ટ આદિ અનેક દોષ દર્શાવવામાં આવ્યા છે તે પ્રકારે જ આ બધા હેતુઓમાં તે દોષો દર્શાવવા. સૌથી મોટો દોષ તો વિરુદ્ધ છે. જે ઘડાને વારંવાર દૃષ્ટાન્ત તરીકે રજૂ કરવામાં આવે છે તે ઘડાના દષ્ટાન્તથી તો જગતનો કર્તા સશરીર, અસર્વજ્ઞ અને અસર્વગત બુદ્ધિમાન સિદ્ધ થાય. આમ સર્વજ્ઞ, અશરીરી અને સર્વગત વિશેષણોથી વિશિષ્ટ કર્તા ઈષ્ટ છે જ્યારે આ બધા હેતુઓ તો તેનાથી વિપરીત અસર્વજ્ઞ, સશરીર અને અસર્વગત વિશેષણોથી વિશિષ્ટ કર્તાને સિદ્ધ કરતા હોઈ વિરુદ્ધ છે. ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન કરવામાં આ દોષ નથી આવતો કેમ કે અહીં પર્વત ઉપરના, તૃણપર્ણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં અને રસોડાના લાકડાથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં રહેનાર એક અગ્નિત્વ સામાન્યનો અનુભવ થાય છે અને આ અગ્નિત્વ સામાન્યના કારણે સામાન્યરૂપે અગ્નિનું અનુમાન કરવું સહજ છે. પરંતુ આ પૃથ્વી આદિના સર્વજ્ઞ, અશરીરી કર્તા અને ઘટ આદિના અસર્વજ્ઞ, સશરીરી કર્તા – આ બે વિશેષ કર્તાઓમાં કોઈ કર્તુત્વ નામનો સામાન્ય ધર્મ અનુભવમાં આવતો નથી કે જેનાથી પહેલાં સામાન્ય કર્તાનું અનુમાન કરી શકાય, કારણ કે પહેલાં ક્યાંય પણ સર્વજ્ઞ કર્તાનું પ્રત્યક્ષ થયું નથી કે જેના આધારે અસર્વજ્ઞ કર્તા અને સર્વજ્ઞ કર્તાના કર્તુત્વ સામાન્યનું ગ્રહણ થાય. અને કર્તુત્વ સામાન્યના ગ્રહણ વિના કર્તુત્વ સામાન્ય અને કાર્યત્વ સામાન્યની વ્યાપ્તિનું ગ્રહણ થાય જ નહિ અને વ્યાપ્તિ વિના અનુમાન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy