SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૪૯ વ્યાપાર તો શરીરમાં જ અને શરીર દ્વારા જ થાય છે. ____37. ऐश्वर्यमपि ज्ञातृत्वं कर्तृत्वमन्यद्वा । ज्ञातृत्वं चेत् तत्कि ज्ञातृत्वमात्रं सर्वज्ञातृत्वं वा । आद्यपक्षे ज्ञातैवासौ स्यानेश्वरः, अस्मदाद्यन्यज्ञातृवत् । द्वितीयेऽप्यस्य सर्वज्ञत्वमेव स्यान्नैश्वर्यं, सुगतादिवत् । अथ कर्तृत्वम् तर्हि कुम्भकारादीनामप्यनेककार्यकारिणामैश्वर्यप्रसक्तिः । नाप्यन्यत्; इच्छाप्रयत्नव्यतिरेकेणान्यस्यैश्वर्यनिबन्धनस्येश्वरेऽभावात् । 37. [ઈશ્વરને ઐશ્વર્યના કારણે જગતનો કર્તા કહેવો પણ તર્કસંગત લાગતું નથી કેમ કે જેના કારણે તે જગતનો કર્તા બને છે તે ઐશ્વર્યનું સ્વરૂપ જ અનિશ્ચિત છે.] ઈશ્વરમાં જે ઐશ્વર્ય છે તે કેવું છે? શું છે? શું તેનામાં જગતનું જ્ઞાન હોવાથી જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય છે, કે તે જગતની રચના કરે છે એટલે કર્તૃત્વરૂપ ઐશ્વર્ય છે, કે પછી તેનામાં કોઈ બીજા પ્રકારનું ઐશ્વર્ય છે? જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય પણ બે પ્રકારનું હોઈ શકે છે – અલ્પનું જ્ઞાતૃત્વ (અલ્પજ્ઞાતૃત્વ) અને સર્વનું જ્ઞાતૃત્વ (સર્વજ્ઞાતૃત્વ). જો ઈશ્વરનું જ્ઞાતૃત્વ પહેલા પ્રકારનું હોય તો તે આપણી જેમ કેવળ જ્ઞાતા જ બની શકે, જગતનો કર્તા ન બની શકે. જો તેનામાં સર્વજ્ઞાતૃત્વરૂપ જ્ઞાતૃત્વ હોય તો તે બુદ્ધ આદિની જેમ સર્વજ્ઞ જ બની શકે, પણ જગતનો કર્તા ઈશ્વર નહિ. જો ઈશ્વરમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી તે જગતનો કર્તા બનતો હોય તો અનેક કાર્યોના કરનારા હોવાથી કુંભાર વગેરેમાં પણ કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી જગતના કર્તા ઈશ્વર બની જાય. [ઈશ્વરમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી તે ઈશ્વર હોય તો ઘડાને કુંભાર બનાવે છે, વણકર કાપડ બનાવે છે, ચિત્રકાર ચિત્રની રચના કરે છે, તેથી તે બધામાં કર્તુત્વ હોવાના કારણે ઈશ્વરના આસન પર જઈ બેસશે. અનેક કાર્યોને કરવાં એ કંઈ ખાસ ઐશ્વર્ય ન કહેવાય કેમ કે અનેક કલાઓમાં કુશલ એક જ વ્યક્તિ ભિન્ન ભિન્ન સહકારી કારણોની મદદથી ઘટ, કાપડ, ચિત્ર, મૂર્તિ આદિ અનેક કાર્યો ઉત્પન્ન કરી શકે છે અને કરે પણ છે, તેથી તે પણ ઈશ્વરના સર્વોચ્ચ પદના અધિકારી બની જશે.] ઉપરાંત, ઈચ્છા અને પ્રયત્ન સિવાય અન્ય કોઈ વસ્તુ ઈશ્વરમાં ઐશ્વર્ય દર્શાવનારી છે પણ નહિ કે જેના દ્વારા ઈશ્વરમાં કોઈ અન્ય પ્રકારના ઐશ્વર્યની કલ્પના કરી શકાય. 38. લિવ રચનાન્નિHoો યથાપ્રવૃત્તિઃ ૨, પારતિચેor ૨, करुणया ३, क्रीडया ४, निग्रहानुग्रहविधानार्थं ५, स्वभावतो ६ वा। [38. વળી, [ઈશ્વર જગતનું સર્જન શા માટે કરે છે? જગતનું નિર્માણ કરવા માટે તેનું પ્રયોજન શું છે? પ્રયોજન વિના તો મૂર્ખ પણ પ્રવૃત્તિ ન કરે. શું ઈશ્વર(૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy