SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ તર્કરહસ્યદીપિકા પોતાની રુચિથી જગનિર્માણમાં પ્રવૃત્ત થાય છે, કે (૨) આપણાં પુણ્ય-પાપરૂપ કર્મોને અધીન થઈને જગતને ઉત્પન્ન કરે છે, કે (૩) દયા યા કરુણાને લીધે જગતને સર્જે છે, કે (૪) ક્રીડા માટે જગત બનાવે છે, કે (પ) સજ્જનોનું ભલું કરવા અને દુર્જનોને દંડ દેવા જગતનું નિર્માણ કરે છે, કે (૬) પછી પોતાના સ્વભાવથી જ જગતનું સર્જન કરે છે અર્થાત્ જગતનું સર્જન કરવું એ એનો સ્વભાવ છે માટે ઈશ્વર જગતનું સર્જન કરે છે? 39. ત્રાવિન્યૂ વિયેવ કૃષ્ટિ સાત્ nિી સ્વાતિन्व्यहानिः । तृतीये सर्वमपि जगत्सुखितमेव कुर्यात्, अथेश्वरः किं करोति पूर्वाजितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति तदा तस्य कः पुरुषकारः, अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदधीनतैवास्तु, किमनेनान्तर्गडुनात्र। 39. (૧) જો ઈશ્વર પોતાની રુચિ અનુસાર અસ્કૃત ઇચ્છાનુસાર જેવી ઇચ્છા થાય તેવું જગત બનાવતો હોય તો ઈશ્વરની ક્યારેક અન્ય પ્રકારની ઈચ્છા થતાં વિલક્ષણ પ્રકારનું જગત બની જાય. [ઈશ્વરતો સ્વતંત્ર છે, તેની ઇચ્છા પર કોઈ જાતનો અંકુશ પણ નથી, એટલે વિલક્ષણ પ્રકારનું જગત બનાવવાની તેની ઇચ્છા સંભવે છે. પરંતુ આજ સુધી આ જગતનું એક જ રૂ૫, તેના એકસરખા નિયમો જ જોયા જાણ્યા છે, અન્ય પ્રકારનું જગત ન તો સાંભળ્યું છે કે દેખ્યું છે.] (૨) જો ઈશ્વર આપણાં પુણ્ય-પાપરૂપ કર્મોને અધીન થઈને જગતનું નિર્માણ કરતો હોય તો તેની સ્વતંત્રતા ક્યાં રહી? તિ શેનો ઈશ્વર? તે તો અમારાં કર્મોના હુકમનું પાલન કરનારો એક સાધારણ મેનેજર બની ગયો.] (૩) જો ઈશ્વર દયા યા કરુણા કરીને જગતનું નિર્માણ કરતો હોય તો જગતમાં કોઈ દુઃખી પ્રાણી ઉત્પન્ન થવું જ ન જોઈએ. આખું જગત સુખી જ સુખી ઉત્પન્ન થવું જોઈએ. નૈયાયિક- ઈશ્વર શું કરે? આ દુ:ખી જીવો પોતાના પૂર્વજન્મમાં કમાયેલાં કર્મોને વશ થઈને તે કર્મોના ફળરૂપ દુઃખ ભોગવે છે. [જેવું કર્યું તેવું પામે છે.] જૈન - જો બધું સુખ-દુઃખ આપણને આપણાં કર્મો અનુસાર જ મળે છે તો ઈશ્વરે શું પુરુષાર્થ કર્યો? [ઈશ્વરથી ચડિયાતી કર્મોની શક્તિ સિદ્ધ થાય છે.] જો ઈશ્વરને પણ છેવટે કર્મોને વશ થઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તો વચમાં દલાલ સમાન તેની કલ્પના કરવી જ નિરર્થક છે. [કર્મો પોતે જ પોતાનાં ફળો સીધેસીધા જ જીવોને આપશે. ખરો પુરુષાર્થી તો તે કહેવાય જે કર્મોની પરવા કર્યા વિના જ જગતને સુખી બનાવે, વસ્તુતઃ તે જ ઈશ્વર ગણાય. કર્મપરત– ઈશ્વર નિરર્થક છે.] તેના કરતાં તો એ જ સારું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy