SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તર્કરહસ્યદીપિકા અત્યંકર દ્વારા સંપાદિત, પૂનાથી ૧૯૫૧માં પ્રકાશિત થઈ છે. ડૉ. એસ્તેરબેન સોલોમને સર્વદર્શનસંગ્રહનો કરેલો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો છે. (૫) સર્વદર્શનકૌમુદી – માધવસરસ્વતીએ (ઈ.સ. ચૌદમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) આ ગ્રન્થની રચના કરી છે. તે ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રન્થમાળામાં ઈ.સ. ૧૯૩૮માં પ્રકાશિત થયો છે, તેના સંપાદક છે કે. સામ્બસિવ શાસ્ત્રી. આ ગ્રન્થકારે પણ વૈદિક અને અવૈદિક એવો દર્શનવિભાગ કર્યો છે. વેદને પ્રમાણ માનનારાઓને તે શિષ્ટ ગણે છે જ્યારે વેદના પ્રામાણ્યને ન સ્વીકારનાર બૌદ્ધને અશિષ્ટ કહે છે. (પૃ.૩). વૈદિક દર્શનોમાં તેમના અનુસાર તર્ક, તત્ર અને સાંખ્ય આ ત્રણ દર્શન છે. તર્કના બે ભેદ છે – વૈશેષિક અને નૈયાયિક તત્રના ભેદ-પ્રભેદ નીચે મુજબ છે. તત્રના મુખ્ય બે ભેદ છે – શબ્દમીમાંસા (વ્યાકરણ) અને અર્થમીમાંસા. પછી અર્થમીમાંસાના બે ભેદ થાય છે – કર્મકાંડવિચાર (પૂર્વમીમાંસા) અને જ્ઞાનકાંડવિચાર (ઉત્તરમીમાંસા). વળી, કર્મકાંડવિચાર યા પૂર્વમીમાંસાના બે ભેદ છે – ભટ્ટ અને પ્રાભાકર. સાંખ્યદર્શનના બે ભેદોનો નિર્દેશ છે–સેશ્વર સાંખ્ય યોગદર્શન) અને નિરીશ્વર સાંખ્ય (પ્રકૃતિ-પુરુષના ભેદનું પ્રતિપાદક). આ રીતે વૈદિક દર્શનોના છ ભેદ છે – યોગ, સાંખ્ય, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, નૈયાયિક અને વૈશેષિક. અવેદિક દર્શનના ત્રણ ભેદ છે-બૌદ્ધ, ચાર્વાક અને આહત (જૈન), બૌદ્ધદર્શનના ચાર ભેદ છે– માધ્યમિક, યોગાચાર, સૌત્રાન્તિક અને વૈભાષિક (પૃ.૪). આ ગ્રન્થની વિશેષતા એ છે કે તે આ ક્રમે દર્શનોનું નિરૂપણ કરે છે. સૌ પ્રથમ વૈશેષિક અને ન્યાયનું અતિ વિસ્તારથી નિરૂપણ છે અને પછી સાંખ્ય, યોગ વગેરેનું સંક્ષિપ્ત નિરૂપણ છે અને છેલ્લે અદ્વૈત વેદાન્તનું વળી અતિ વિસ્તારથી નિરૂપણ છે. વૈશેષિકો દ્વારા વિપર્યયના નિરૂપણપ્રસંગે અધ્યાતિવાદની ચર્ચા કરવામાં આવી છે, તેમાં સદસખ્યાતિને માનનારા જૈનોના દર્શનનું પૂર્વપક્ષના રૂપમાં નિરૂપણ છે. વૈશેષિકો પોતાની વિપરીતખ્યાતિ સ્થાપવા માટે જૈન પક્ષનું નિરાકરણ કરે છે. તેથી જૈનદર્શનના પૃથફ નિરૂપણની આવશ્યકતા લેખકે માની નથી (પૃ. ૩૪ અને ૧૦૮). અહીં નોંધવું જોઈએ કે લેખકે જૈનદર્શનનો જે પૂર્વપક્ષ રજૂ કર્યો છે તે બ્રાન્તિરહિત નથી. વૈશેષિક પછી ક્રમશઃ ન્યાય, મીમાંસા, સાંખ્ય, યોગ અને અદ્વૈત વેદાન્તનું નિરૂપણ છે. (૬) ષદર્શનસમુચ્ચય – આ કૃતિના કર્તા જૈન રાજશેખર (ઈ.સ.ની ચૌદમી શતાબ્દી) છે. તે આચાર્ય હરિભદ્રના પદૃર્શનસમુચ્ચયનું અનુકરણ હોવા છતાં પણ સામગ્રીની દૃષ્ટિએ વિસ્તૃત છે. આ ગ્રન્થમાં તે તે દર્શનોના આચારો અને વેશભૂષાનું પણ નિરૂપણ છે. તેમાં દર્શનોનો પરિચય આ ક્રમે આપવામાં આવ્યો છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy