SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તર્કરહસ્યદીપિકા તેમની વચ્ચે સંબંધ ન ઘટે. હવે જો કાર્ય સાથે અસંબદ્ધ રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે છે એવું કલ્પવામાં આવે તો આવું અસંબદ્ધપણે બધાં જ કારણોનું બધાં જ કાર્યો સાથે એકસરખું હોઈ ગમે તે કારણ ગમે તે કાર્યને પેદા કરે, બીજી રીતે કહીએ તો પ્રત્યેક કારણ બધાં જ કાર્યોને પેદા કરી શકે. આનો અર્થ એ થાય કે તો પછી ગોટલામાંથી આંબો જ નહિ પણ લીમડો, પીપળો વગેરે બધું જ ઉત્પન્ન થઈ શકે પરંતુ જગતમાં આવી અવ્યવસ્થા નથી. જગતમાં તો એવી વ્યવસ્થા છે કે અમુક કારણમાંથી જ અમુક કાર્ય ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ કે કારણ કાર્ય સાથે સંબંદ્ધ રહીને જ તેને ઉત્પન્ન કરે છે, તે પોતાની સાથે અસંબદ્ધ એવાં કાર્યોને ઉત્પન્ન કરતું નથી. આમ કાર્ય ઉત્પત્તિ પહેલાં સત્ છે એ સિદ્ધ થાય છે.] [(૪) શસ્ય શરVIK - કોઈ શંકા કરે કે ઉપર જે દોષો બતાવ્યા તે કાર્યને ઉત્પત્તિ પહેલાં અસત્ માનનારના મતમાં આવતા જ નથી કારણ કે કારણ પોતાના કાર્ય સાથે અસંબદ્ધ રહીને પણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે જેને ઉત્પન્ન કરવા તે શક્ત (સમર્થ) હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે કારણમાં જે કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે તે કારણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે, બીજાને નહિ. ઉદાહરણાર્થ, માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, એટલે તે ઘટને ઉત્પન્ન કરે છે અને પટને ઉત્પન્ન કરતું નથી. કારણગત ઉત્પાદકત્વશક્તિનું જ્ઞાન કાર્યને જોઈને થાય છે. માટીરૂપ કારણમાંથી પટરૂપ કાર્યની ઉત્પત્તિ ક્યાંય દેખાતી નથી, તેમાંથી તો ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ થતી દેખાય છે. એટલે આપણે અનુમાન કરીએ છીએ કે માટીમાં પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી પણ ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે. • ઉપર જણાવેલી શંકાનું સમાધાન સાંગાચાર્યો નીચે પ્રમાણે કરે છે. એ વાત સાચી કે તૈલોત્પત્તિ પહેલાં તલમાં વિદ્યમાન જે તૈલોત્પાદકત્વ શક્તિ છે તેનું જ્ઞાન તેલની ઉત્પત્તિ જોયા પછી અનુમાનથી થાય છે. એમાં કોઈ વિવાદ નથી. પરંતુ તેલની ઉત્પત્તિ પહેલાં તલમાં વિદ્યમાન જે તૈલોત્પાદકત્વશક્તિ છે તે તેલની ઉત્પત્તિ પહેલાં તેલ સાથે સંબદ્ધ છે કે અસંબદ્ધ? જો સંબદ્ધ માનશો તો ઉત્પત્તિ પહેલાં કાર્યનું (તેલનું) સત્ત્વ સિદ્ધ થઈ જશે. જો અસંબદ્ધ કહેશો તો તલમાં તેલની ઉત્પત્તિ પહેલાં તૈલોત્પાદકત્વશક્તિ હોય છે એમ નહિ કહી શકાય. વળી, તેલ જોઈને તલમાં તૈલોત્પાદત્વશક્તિનું અનુમાન પણ નહિ થઈ શકે, કારણ કે અસંબદ્ધ હેતુ (તેલ) સાધ્યતિલોત્પાદકત્વશક્તિ)નો અનુમાપક કેવી રીતે બની શકે. આ મુદ્દાને બીજી રીતે સમજીએ. અશક્ત કારણમાંથી અશક્ય કાર્યની ઉત્પત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy