SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૧૩ કારણોમાંથી બધાં કાર્યોની ઉત્પત્તિ સંભવતી નથી, જે કારણ જે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ યા શક્ત હોય તે જ કારણ તે કાર્યને ઉત્પન્ન કરે છે, અને કારણ જે જાતિનું હોય છે તે જાતિનું કાર્ય હોય છે.' [સાંખ્યકારિકા, ૯] - [(૧) ‘અસરળાત્ – પોતાની ઉત્પત્તિ પહેલાં પોતાના કારણમાં અવ્યક્તરૂપે અસ્તિત્વ ન ધરાવતા કાર્યને તો કોઈ ઉત્પન્ન ન કરી શકે. અસત્ ઘટ વગેરે કાર્યો સત્ માટી વગેરેમાંથી ઉત્પન્ન થાય છે એવો મત બરાબર નથી. જો કોઈ કહે કે અસત્ત્વ ધર્મવાળું કાર્ય કારણવ્યાપાર પછી સત્ત્વ ધર્મવાળું બને છે તો તે યોગ્ય નથી. અહીં અસત્ત્વ ધર્મને કાર્યનો ધર્મ ગણ્યો છે પણ ધર્મ ધર્મી (આશ્રય) વિના રહી શકે નહિ, એટલે અસત્ત્વ ધર્મના આશ્રયને તેની ઉત્પત્તિ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતો માનવો જ જોઈએ. આથી સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય અસ્તિત્વ ધરાવે છે જ. કોઈને શંકા થાય કે ઘટ વગેરે કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલાં જો અસ્તિત્વ ધરાવતા જ હોય તો તેમની ઉત્પત્તિ માટે કુંભાર વગેરેના વ્યાપારની જરૂરત જ ક્યાં રહી ? આ શંકાનું નિરાકરણ એ છે કે કુંભાર વગેરેના વ્યાપારથી ઘટ વગેરે કાર્યોની કેવળ અભિવ્યક્તિ થાય છે. કારણવ્યાપાર પહેલાં કારણમાં અનભિવ્યક્ત રહેલો ઘટ પછીથી કારણવ્યાપાર દ્વારા અભિવ્યક્ત થાય છે. કારણવ્યાપાર અભિવ્યંજક છે. (૨) ૩પાવનપ્રદળાત્ -- જો ઉત્પત્તિ પહેલાં કાર્ય તેના કારણમાં અસ્તિત્વ ધરાવતું ન હોય તો આપણે અમુક કાર્યને ઉત્પન્ન કરવા અમુક જ ઉપાદાનનું ગ્રહણ કરીએ છીએ એ હકીકતનો ખુલાસો થઈ શકશે નહિ. આપણે તો કેરી યા આંબો ઉત્પન્ન કરવા માટે ગોટલો જ વાવીએ છીએ, ધતુરાનું બી વાવતા નથી. જો ઉત્પત્તિ પહેલાં કેરી કે આંબો ગોટલામાં અસત્ છે એમ માનીએ તો તેવું અસત્ત્વ તો ધતુરાના બીમાં પણ છે અને તો પછી ધતુરાના બીમાંથી પણ કેરી કે આંબો ઉત્પન્ન થવો જોઈએ; પરિણામે અમુક કાર્યનું અમુક જ ઉપાદાનકારણ છે એવો નિયમ કે વ્યવસ્થા જે આ જગતમાં પ્રવર્તે છે તેનો ખુલાસો નહિ થઈ શકે. આ દર્શાવે છે કે ગોટલામાં આંબો અવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ધતુરાના બીમાં તે અસ્તિત્વ ધરાવતો નથી.] (૩) સર્વસંમવામાવાત્ – જો કાર્ય ઉત્પત્તિ પહેલાં કારણમાં અસત્ હોય તો બધામાંથી બધાંની ઉત્પત્તિ થવી જોઈએ, તો પછી તૃણમાંથી સુવર્ણ ઉત્પન્ન થવું જોઈએ, પરંતુ તૃણમાંથી સુવર્ણ ઉત્પન્ન થતું નથી. તેથી કાર્યને ઉત્પત્તિ પહેલાં કારણમાં સન્ માનવું જ જોઈએ. [જો ઉત્પત્તિ પહેલાં કાર્યને અસત્ માનવામાં આવે તો તે કાળે સત્ કારણ અને અસત્ કાર્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન બની શકે, કારણ કે સંબંધ તો બે સત્ વસ્તુઓ વચ્ચે જ સંભવી શકે, બે સંબંધીમાંનો એક પણ અસત્ હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy