SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૨ તર્કરહસ્યદીપિકા કહેવામાં આવે છે. ચિતિશક્તિ અર્થાત્ પુરુષ વિષયપરિચ્છેદથી અર્થાત્ વિષયજ્ઞાનથી રહિત છે. પુરુષ જાણતો નથી અર્થાત્ જ્ઞાન તેનો ધર્મ નથી. અને બુદ્ધિ જડ છે. તિ વિષયોને જાણે છે, જ્ઞાન તેનો ધર્મ છે, પણ] તે જ્ઞાનને ચેતનાના પ્રકાશથી પ્રકાશિત નથી કરી શકતી, તે જ્ઞાનનું સંવેદન યા દર્શન નથી કરી શકતી. પુરુષ અને બુદ્ધિ બન્નેના સન્નિધાનના કારણે પુરુષ પોતાને જ્ઞાનવાળો અર્થાત્ જ્ઞાતા સમજે છે અને બુદ્ધિ પોતાને ચેતનાવાળી અર્થાત્ ચેતનાના પ્રકાશવાળી સમજે છે. પ્રકૃતિ અને પુરુષના [અવિદ્યાજન્ય સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. કર્મ અર્થાત્ પુણ્ય-પાપ (અદષ્ટ) એ પ્રકૃતિનો જ પરિણામ યા વિકાર છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ સામાન્યરૂપ છે અર્થાત્ બધા જ જડ પદાર્થોમાં અનુસ્મૃત છે તેમ જ બધા જ બદ્ધ પુરુષોની સભાનપણે ભોગ્ય છે. પ્રમાણના વિષયભૂત બાહ્ય અર્થો વાસ્તવિક છે, કાલ્પનિક યા મિથ્યા નથી. સાંખ્યમતમાં ત્રણ ગુણો છે સત્ત્વ, રજસ્ અને તમસ. ત્રિગુણને સ્વાર્થમાં પ્ય પ્રત્યય લગાવવાથી – ‘ળ્યો નઃ ' સૂત્ર અનુસાર–àગુણ્ય શબ્દ બને છે. ત્રિગુણ જ ત્રગુણ્ય કહેવાય છે, જેમ ત્રિલોક જ રૈલોક્ય કહેવાય છે અને પગુણ જ ષાગુણ્ય કહેવાય છે તેમ. ત્રગુણ્ય એ જ સ્વભાવ છે જેનો તે ત્રગુણ્યસ્વભાવ યા બૈગુણ્યરૂપ અર્થાત પ્રકૃતિ (સામાન્ય). નૈગુણ્યરૂપ સામાન્યનું છે અર્થાત્ પ્રકૃતિનું છે. પ્રમાણનું ફળ આ પ્રમાણે છે–પૂર્વ પૂર્વ પ્રમાણ છે અને ઉત્તર ઉત્તર ફળ છે, અર્થાત સન્નિકર્ષ જયારે પ્રમાણ હોય છે ત્યારે નિર્વિકલ્પક જ્ઞાન ફળ હોય છે, જયારે નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે ત્યારે સવિકલ્પક જ્ઞાનને ફળ કહેવાય છે. 35. તથા શારપને કાર્ય સવોત્પડr(8)ષ્યિો દેતુઃ | तदुक्तम्-"असदका( क )रणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् ॥१॥" [ सांख्यकारिका ९] इति ॥ अत्र सर्वसंभवाभावादिति, यद्यसत्कार्यं स्यात्तदा सर्वं सर्वत्र भवेत् । ततश्श्च तृणादिभ्योऽपि सुवणादीनि भवेयुः, न च भवन्ति, तस्मात्कारणे कार्य सदेव। तथा द्रव्याण्येव केवलानि सन्ति, न पुनरुत्पत्तिविपत्तिधर्माण: पर्यायाः केऽपि, आविर्भावतिरोभावमात्रत्वात्तेषामिति । 35. ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતું કાર્ય ઉત્પન્ન થાય છે એવું પ્રતિપાદન કરતા સત્કાર્યવાદની સિદ્ધિ ‘અસરળત' (અસતને ઉત્પન્ન કરવું શક્ય ન હોવાથી)' વગેરે હેતુઓથી થાય છે. કહ્યું પણ છે કે – “કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતું હોય છે કારણ કે અસત્ની ઉત્પત્તિ કરી શકાતી નથી, કાર્યને ઉત્પન્ન કરવા અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે, બધાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy