SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૦૭ ચક્ષુથી બધું જ જોઉં છું પરંતુ ચાલવાની ક્રિયા હું કરી શકતો નથી, તું ચાલવાની ક્રિયા કરી શકે છે પણ દેખતો નથી.' આ સાંભળીને આંધળો બોલ્યો, “અરે, આ તો બહુ સારું થયું, હું મારા ખભા ઉપર તમને બેસાડીશ, તમે માર્ગ બતાવજો અને હું ચાલીશ], આ પ્રમાણે આપણે બે વર્તીશું.’ આમ આંધળાએ દેખતા લંગડાને પોતાના ખભા ઉપર બેસાડ્યો અને આંધળાના ખભા પર બેઠેલો લંગડો નગરે પહોચીને નાટક આદિ જોઈને, ગીતો સાંભળીને તથા અન્ય ઇન્દ્રિયોના વિષયોને પામીને યથેષ્ટ ભોગવીને – અનુભવીને ખુશ થાય છે. બરાબર તેવી જ રીતે ક્રિયાશક્તિથી વિકલ (અકર્તા) એવો, પંગુ જેવો શુદ્ધચૈતન્યસ્વભાવ પુરુષ સક્રિય આંધળા જેવી જડ પ્રકૃતિના ખભા ઉપર ચડીને અર્થાત્ પ્રકૃતિનો સંયોગ પામીને બુદ્ધિ દ્વારા અધ્યવસિત શબ્દાદિ વિષયોને, જે પોતાના સ્વચ્છ સ્વરૂપમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે તેમને, અનુભવતો ખુશ થાય છે અને આમ ખુશ થતો પુરુષ મોહના અર્થાત્ અવિદ્યાના કારણે પ્રકૃતિને જ સુખરૂપ માનતો, તે આંધળી પ્રકૃતિના ખભા ઉપર ચડેલો ભવભ્રમણ કર્યા કરે છે. (૪૨) [સાંખ્ય શાસ્ત્રકારોનો મત છે કે પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગ માટે ક્રિયા કરે છે અર્થાત્ પ્રવૃત્તિ કરે છે. આની સામે એવી શંકા કરવામાં આવે છે કે અચેતન જડ પ્રકૃતિ પ્રયોજનપૂર્વકની ક્રિયા કેવી રીતે કરી શકે? પ્રસ્તુત શંકાનું સમાધાન પંગુઅંધના દૃષ્ટાન્તમાંથી મળે છે. જડ પ્રકૃતિને દોરવણી આપનાર તેની સાથે સંયુક્ત અદેયુક્ત યા કર્મયુક્ત પુરુષ છે. સ્વયં ક્રિયાશીલ પ્રકૃતિની ક્રિયાને ભોગ તરફ વાળવી કે અપવર્ગ યા કૈવલ્ય તરફ વાળવી તે અદષ્ટયુક્ત પુરુષના હાથમાં છે. પ્રકૃતિની પ્રયોજનપૂર્વિકા ક્રિયામાં ક્રિયાનું પ્રયોજનપૂર્વકત્વ પ્રકૃતિ સાથે સંયુક્ત પુરુષના કારણે છે જયારે માત્ર ક્રિયા જ પ્રકૃતિના કારણે છે. પ્રકૃતિ અને પુરુષનું જોડું, પંગ અને અંધના જોડાની જેમ, એક વ્યક્તિની માફક વર્તે છે.] 27. તર્દિતસ્ય : યત્યિાદિप्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरज्ञानात् । मानत्रितयं चात्र प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥४३॥ 27. તો પછી પુરુષની મુક્તિ કેવી રીતે થશે? એનો ઉત્તર આચાર્ય આપે છે પ્રકૃતિના વિયોગનું નામ મોક્ષ છે.મોક્ષ પ્રકૃતિ અને પુરુષના ભેદના જ્ઞાનથી થાય છે. સાંખ્યમતમાં પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ(આગમ) એ ત્રણ પ્રમાણ છે. (૪૩). 28. व्याख्या-बतेति पृच्छकानामामन्त्रणे, एतयोः प्रकृतिपुरुषयोर्यदन्तरं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy