SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૦૫ પુરુષને થાય છે. આ બધી પરિભાષાને બાજુએ રાખીએ તો નિષ્કર્ષ એટલો નીકળે છે કે બુદ્ધિ ઘટ,પટ આદિ વિષયોને જાણે છે, અર્થાત્ બુદ્ધિને ઘટજ્ઞાન, પટજ્ઞાન થાય છે જ્યારે પુરુષને ઘટજ્ઞાન, પટજ્ઞાને આદિનું જ્ઞાન થાય છે અને આ જ્ઞાનના જ્ઞાનને યા જ્ઞાનના સંવેદનને દર્શન કહે છે. પરંતુ જ્ઞાન એક (અર્થાત્ બુદ્ધિ) કરે છે અને દર્શન બીજું (અર્થાત પુરુષ) કરે છે. એટલે જ્ઞાન સ્વસંવેદી નથી.] (24. પુમાનિચેત્ર નીત્યવેક્ષdવનમ્, તેના ડોડયુપીન્તવ્ય , जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिप्रवृत्तिनानात्वाच्च । ते च सर्वेऽप्यात्मानः सर्वगता नित्याश्चावसेयाः । उक्तं च - "अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। કર્તા નિ: સૂક્ષ્મ માત્મા શ્રાપિનવને 'રૂતિ ૪૨ 24. શ્લોકમાં ‘પુનાનું' એમ એકવચનનો પ્રયોગ પુરુષત્વ જાતિની અપેક્ષાએ કર્યો છે. વ્યક્તિશઃ તો પુરુષ અનેક છે, કેમ કે જન્મ, મરણ અને કરણીની વ્યવસ્થા દેખાય છે અને વળી ધર્મ આદિ પ્રવૃત્તિઓ પણ ભિન્ન ભિન્ન અનેક થાય છે. તે અનેક પુરુષો સર્વગત અને નિત્ય (કૂટનિત્ય) છે એમ સમજવું જોઈએ. કહ્યું પણ છે કે“સાંખ્યદર્શનમાં પુરુષ (આત્મા) અમૂર્ત, ચેતન, ભોક્તા, નિત્ય, સર્વગત, નિષ્ક્રિય, અકર્તા, નિર્ગુણ તથા સૂક્ષ્મ છે.” [સાંખ્યદર્શને પુરુષબહુત્વ સ્વીકાર્યું છે. તેના અનુસાર બધાં શરીરોમાં આત્મા એક જ નથી પરંતુ પ્રત્યેક શરીરમાં તે જુદો જુદો છે. સાંખ્યોની દલીલો નીચે પ્રમાણે છે – (૧) જન્મની વ્યવસ્થાના કારણે એ માનવું આવશ્યક છે કે આત્મા અનેક છે. જગતમાં ભિન્ન કાળમાં અને ભિન્ન દેશમાં અનેક પુરુષોને જન્મ લેતા આપણે જોઈએ છીએ. પુરુષ એક હોય તો બધાં જન્મો યુગપતું થઈ જાય. ૨) મરણની વ્યવસ્થા પણ પુરુષો અનેક માન્યા વિના ઘટતી નથી. જો પુરુષ એક હોય તો બધાં મૃત્યુઓ એક સાથે થઈ જાય. (૩) કરણોની વ્યવસ્થા દ્વારા પણ પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ચક્ષુ વગેરે તેર કરણો છે. જો આત્મા એક હોય તો વિકલ ચક્ષુરિન્દ્રિય સાથેનો તેનો સંયોગ બધાને એક સાથે અંધ બનાવશે. (૩) જો પુરુષ એક હોય તો એક વ્યક્તિ ધર્મમાં પ્રવૃત્ત થતાં બધી જધર્મમાં પ્રવૃત્ત થવી જોઈએ. પરંતુ એવું તો છે નહિ. કેટલીક વ્યક્તિઓ ધર્મમાં પ્રવૃત્ત થાય છે જ્યારે કેટલીક અધર્મમાં. ] (૪૧) 25. તસ્વીપસંન્નાર્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy