SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ તર્કરહસ્યદીપિકા 23. નિત્ય ચિત્ અર્થાત ચેતના જ પુરુષનો સ્વભાવ છે. તેથી ચૈતન્ય જ પુરુષનું સ્વરૂપ છે, જ્ઞાન પુરુષનું સ્વરૂપ નથી કેમ કે જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કેવલ એટલું અવશ્ય છે કે પુરુષ પોતાનાથી સર્વથા ભિન્ન બુદ્ધિને પોતાનાથી અભિન્ન માની લે છે. સુખ, દુઃખ આદિ વિષયો ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે. બુદ્ધિ બન્ને તરફ પ્રતિબિંબગ્રાહી લીસી ચમકતી સપાટી ધરાવતા દર્પણ જેવી છે. તેથી એક તરફ સુખ, દુઃખ આદિ વિષયો બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે અને બીજી બાજુ ચૈતન્યશક્તિનું અર્થાત્ પુરુષનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં પુરુષ અને વિષયનું પ્રતિબિંબ પડવાના કારણે પુરુષ “હું જ્ઞાતા છું, હું ભોક્તા છું, હું સુખી છું, હું દુઃખી છું' એમ ઉપચારથી માનવા લાગે છે. અને પતંજલિ પણ કહે છે, “શુદ્ધ એવો પુરુષ પણ બુદ્ધિના પ્રત્યયને અર્થાત્ બુદ્ધિની જ્ઞાનવૃત્તિને પછી દેખે છે, તેને દેખતો તે અતદાત્મા (જ્ઞાનવૃત્તિરહિત) હોવા છતાં જાણે કે તદાત્મક (જ્ઞાનવૃત્તિવાળો અર્થાત જ્ઞાતા) હોય એવો ભાસે છે.” [યોગભાષ્ય, ૨. ૨૦). “બુદ્ધિ સ્વયં અચેતન છે પરંતુ પુરુષના સાંનિધ્યના કારણે ચેતનાવાળી હોય એવી ભાસે છે.” [બુદ્ધિ જડ છે જ્યારે પુરુષ ચેતન છે. બુદ્ધિનો ધર્મ જ્ઞાન છે જ્યારે પુરુષનો ધર્મ દર્શન છે. બુદ્ધિ જાણે છે જ્યારે પુરુષ દેખે છે. બુદ્ધિ જ્ઞાત્રી છે જયારે પુરુષ દ્રષ્ટા છે. બુદ્ધિ ઘટ, પટ આદિ વિષયોના આકારે પરિણમે છે. આ પરિણામ એ બુદ્ધિવૃત્તિ છે. આ બુદ્ધિવૃત્તિ એ જ જ્ઞાન છે. બુદ્ધિનું ઘટાકારે પરિણમવું એ જ બુદ્ધિનું ઘટને જાણવું છે. બુદ્ધિનો ઘટાકાર પરિણામ એ જ બુદ્ધિનું ઘટજ્ઞાન છે, ઘટાકાર બુદ્ધિવૃત્તિ છે. ઘટાકાર બુદ્ધિવૃત્તિ યા બુદ્ધિપરિણામ એ જ બુદ્ધિને થયેલું ઘટજ્ઞાન છે. આમ વિષયાકાર બુદ્ધિવૃત્તિ એ જ જ્ઞાન છે. પુરુષના દર્શનનો વિષય આ વિષયાકાર બુદ્ધિવૃત્તિ છે. પુરુષ વિષયાકાર બુદ્ધિવૃત્તિને જ દેખે છે અર્થાતુ પુરુષ ઘટ, પટ આદિ આકારે પરિણમેલી બુદ્ધિને અર્થાત બુદ્ધિવૃત્તિને જ સાક્ષાત્ દેખે છે, તે ઘટ, પટ આદિને સાક્ષાત દેખતો નથી, તેમને તો તદાકાર બુદ્ધિવૃત્તિ દ્વારા જ દેખે છે. હવે પ્રશ્ન એ છે કે પુરુષ બુદ્ધિવૃત્તિને દેખે છે કઈ પ્રક્રિયાથી? વિજ્ઞાનભિક્ષુ આદિ જેવા કેટલાક સાંખ્યાચાર્યો કહે છે કે પુરુષ બુદ્ધિવૃત્તિને બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરીને દેખે છે. અર્થાત્ પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવું એ જ પુરુષ દ્વારા બુદ્ધિવૃત્તિનું દર્શન છે. વિજ્ઞાનભિક્ષુ આદિ સંખ્યાચાર્યો પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવાથી તેનામાં કોઈ જાતનો વિકાર થતો માનતા નથી. પરંતુ વાચસ્પતિ મિશ્ર જેવા સાંગાચાર્યો પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવાથી તેનામાં વિકારની આપત્તિ આવે એમ માને છે, એટલે તેઓ બુદ્ધિમાં પડેલું પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિવૃત્તિને ધારણ કરે છે, દેખે છે એમ માને છે. તેથી વાચસ્પતિના મતે તો એવું થાય કે બુદ્ધિવૃત્તિનું દર્શન ખરા પુરુષને નહિ પણ પ્રતિબિંબરૂપ તુચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy