SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૧૯૭ " लिङ्गम् । तत्र भूतानि तन्मात्रेषु लीयन्ते, तन्मात्राणीन्द्रियाणि मनश्चाहंकारे, स च बुद्धौ सा चाव्यक्ते, तच्चानुत्पाद्यत्वान्न क्वचित्प्रलीयते । सावयवमिति शब्दस्पर्शरूपरसगन्धात्मकैरवयवैर्युक्तत्वात्, परतन्त्रमिति कारणायत्तत्वादित्येवंरूपं व्यक्तं महदादिकम् । अव्यक्तं तु प्रकृत्याख्यम्, एतद्विपरीतमिति । तत्र विपरीतता सुयोज्यैव । नवरं प्रधानं दिवि भुव्यन्तरिक्षे च सर्वत्र व्यापितया वर्तत इति व्यापित्वं तस्य, तथाव्यक्तस्य व्यापकत्वेन संचरणरूपाया: क्रियाया अभावान्निष्क्रियत्वं च द्रष्टव्यमिति दिङ्मात्रमिदं दर्शितम् । विशेषव्याख्यानं तु सांख्यसप्तत्यादेस्तच्छास्त्रादवसेयमिति । 20. મહત્ (બુદ્ધિ) આદિ વ્યક્ત હેતુમમ્ એટલે સકારણ છે, કારણો વડે ઉત્પન્ન છે અને ઉત્પન્ન થવાના કારણે જ તે અનિત્ય છે, નાશવંત છે. વળી, તે અવ્યાપી છે એટલે કે પ્રતિનિયતદેશવર્તી છે, સર્વગત નથી. તે સક્રિય છે અર્થાત્ અધ્યવસાય આદિ ક્રિયાઓ કરવાના કારણે સવ્યાપાર છે અને સંચરણ આદિ ક્રિયાઓ પણ કરે છે. તે તેવીસ ભેદરૂપ હોવાથી અનેક છે. તે આશ્રિત છે અર્થાત્ આત્માના ભોગમાં નિમિત્ત હોવાના કારણે આત્માનું ઉપકારક હોવાથી પ્રધાનરૂપ કારણને અધીન છે. જે જેમાંથી ઉત્પન્ન થયું હોય તેનું તેનામાં લય પામવું – આવું જેની બાબતમાં થાય છે તે લિંગ છે. મહદાદિ વ્યક્ત લિંગ છે – પોતાના કારણમાં લય પામનારું છે. લયનો ક્રમ આ પ્રમાણે છે – પાંચ ભૂતો પાંચ તન્માત્રાઓમાં લય પામે છે, પાંચ તન્માત્રાઓ, દસ ઇન્દ્રિયો અને મન અહંકારમાં લય પામે છે, અહંકાર બુદ્ધિમાં (મહમાં) લય પામે છે અને બુદ્ધિ અવ્યક્તમાં (પ્રકૃતિમાં) લય પામે છે અને અવ્યક્ત પોતે કોઈ કારણથી ઉત્પન્ન થઈ નથી અર્થાત્ તેનું કોઈ કારણ જ નથી એટલે તેનો ક્યાંય લય થતો નથી. મહદાદિ વ્યક્ત સાવયવ છે અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગન્ધ આદિ અવયવોથી યુક્ત છે. વળી તે કારણ ઉપર આધાર રાખતું હોઈ પરતન્ત્ર છે. આવા સ્વરૂપવાળું મહદાદિ વ્યક્ત છે. અવ્યક્તનું નામ પ્રકૃતિ છે. તે વ્યક્તથી વિપરીત છે. વિપરીતતા બરાબર યોજી શકાય તેવી જ છે. પ્રધાન અર્થાત્ પ્રકૃતિ કારણરહિત છે અર્થાત્ અનુત્પન્ન છે, નિત્ય છે, વ્યાપી છે, નિષ્ક્રિય છે, એક છે, અનાશ્રિત છે, કશામાં લય પામતી ન હોઈ અલિંગ છે, નિરવયવ છે તથા સ્વતન્ત્ર છે. પ્રધાન સ્વર્ગ, આકાશ, પૃથ્વી આદિ બધાં સ્થાનોને વ્યાપીને રહે છે એટલે તે સર્વગત છે. અવ્યક્ત અર્થાત્ પ્રધાન સર્વવ્યાપી હોવાથી તેનામાં કોઈ સંચરણ આદિ ક્રિયાઓ પણ નથી, એટલે તે નિષ્ક્રિય છે. આ બધા ધર્મોનું વિશેષ વ્યાખ્યાન તો સાંખ્યસપ્તતિ આદિ સાંખ્યશાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. [મહદાદિ વ્યક્ત અનેક છે જ્યારે અવ્યક્ત અર્થાત્ પ્રકૃતિ એક છે, આ ભેદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy