SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તર્કરહસ્યદીપિકા સાંખ્યાચાર્યો કેવી રીતે સમજાવે છે એ જોઈએ. મહત્ વગેરે વ્યક્ત તત્ત્વો સૃષ્ટિભેદે અને પુરુષભેદેય ભિન્ન ભિન્ન છે. મહાવિવિારાળાં તુ સર્પમલેન ભિન્નત્યં સ્પષ્ટમેવ યોગવાર્તિક ૨.૧૮. અને પુરુષમેવાત્ । અનિરુદ્ધવૃત્તિ (સાંખ્યસૂત્ર ૧.૧૨૪). આમ મહત્ અનેક છે, અહંકાર અનેક છે, સ્પર્શનેન્દ્રિય અનેક છે, ગન્ધતન્માત્રા અનેક છે, પૃથ્વી અનેક છે, વગેરે. આ બધાં તત્ત્વોનો સૃષ્ટિભેદે ભેદ છે એનો અર્થ એ છે કે પ્રલયકાળે પ્રત્યેક વ્યક્ત તત્ત્વના પ્રવાહનો વિચ્છેદ થાય છે અને નવી સૃષ્ટિ વખતે તેનો નવો પ્રવાહ શરૂ થાય છે. પ્રલયે પ્રવાહવિષ્ઠેલ વ્ । અનિરુદ્ધવૃત્તિ (સાંખ્યસૂત્ર ૫.૧૫). બધાં વ્યક્ત તત્ત્વોનો પુરુષભેદે ભેદ છે એનો અર્થ એ કે પ્રત્યેક પુરુષને પોતાની બુદ્ધિ, પોતાનો અહંકાર, પોતાની ઇન્દ્રિયો, પોતાની તન્માત્રાઓ અને પોતાનાં ભૂતો છે. બુદ્ધિથી માંડી તન્માત્રાઓ સુધીના અઢાર તત્ત્વો સૂક્ષ્મ શરીરનાં ઘટકો છે જ્યારે સ્થૂળ શરીરના કારણભૂત પાંચ ભૂતો સ્થૂળ શરીરમાં અનુસ્મૃત છે. આમ પ્રત્યેક પુરુષને પોતાનું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર હોઈ વ્યક્ત તત્ત્વો પ્રતિ પુરુષ ભિન્ન છે. સૂક્ષ્મ શરીર પ્રતિ જન્મ ભિન્ન નથી હોતું જ્યારે સ્થૂળ શરીર તો પ્રતિ જન્મેય ભિન્ન હોય છે. અર્થાત્ પ્રત્યેક પુરુષની બાબતમાં સૂક્ષ્મ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક હોય છે, તેનો પ્રવાહ તે દરમ્યાન તૂટતો નથી; જ્યારે સ્થૂળ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક નથી હોતું, તેનો પ્રવાહ અંતરાલગતિમાં તૂટે છે. આમ મહદાદિ પ્રત્યેક વ્યક્ત તત્ત્વ સૃષ્ટિભેદે અને પુરુષભેદે અનેક છે જ્યારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિનો સૃષ્ટિભેદે કે પુરુષભેદે ભેદ નથી, તે તો એક જ છે. પુરુષમેરેન સર્નમેન્ટેન મેવામાવ વ પ્રવૃત્તેરે ત્વમ્। યોગવાર્તિક ૨.૧૮. અવ્યક્તનો અર્થાત્ મૂલ પ્રકૃતિનો સૃષ્ટિભેદે ભેદ નથી એનો અર્થ એ કે તેનો પ્રવાહ અનાદિ અનન્ત છે, તે પ્રલયકાળેય તૂટતો નથી. તેનો પુરુષભેદે ભેદ નથી એનો અર્થ એ કે પુરુષોનાં પોતાનાં વ્યક્ત તત્ત્વોના (અર્થાત્ પુરુષોની પોતાની વ્યક્ત પ્રકૃતિઓના) મૂલ સ્રોતો ભિન્ન ભિન્ન નથી પણ એક જ છે અને તે એક મૂલ સ્રોત છે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ. આમ માનવું તર્કસંગત છે. મૂલ પ્રકૃતિ પ્રત્યક્ષગોચર નથી, અતીન્દ્રિય છે. તેના પ્રતિ પુરુષ ભેદ વિશે નિઃસંદિગ્ધ કોઈ પ્રમાણ નથી અને શાસ્ત્રકારો આ બાબતે સ્પષ્ટ કંઈ કહેતા નથી. તર્કથી વિચારીએ તો અપરિમિત એક મૂલ પ્રકૃતિ બધા પુરુષોનાં બધાં શરીરને – સૂક્ષ્મ, સ્થૂળ, યોગજન્ય – ઉત્પન્ન કરવા સમર્થ છે. એટલે પ્રતિ પુરુષ ભિન્ન ભિન્ન મૂલ પ્રકૃતિ માનવાનું કોઈ પ્રયોજન નથી. બીજી બાજુ, પ્રત્યેક પુરુષ માટે જુદી મૂલ પ્રકૃતિ (અવ્યક્ત)ની કલ્પના કરવા જતાં તેને પરિમિત કહેવી પડે. તેને પરિમિત માનતાં એક સમય એવો આવશે જ્યારે સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં તે નિઃશેષ બની જશે, કારણ કે પરિમિત પદાર્થ અનન્ત કાળ વસ્તુને ઉત્પન્ન કર્યા કરે એ સંભવ નથી. મૂલ પ્રકૃતિ નિઃશેષ બનતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy