SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા . तत्त्वार्थमन्तेरणापि संकल्पवृत्ति । तद्यथा - कश्चिद्बटुः शृणोति "ग्रामान्तरे भोजनमस्ति " इति, तत्र तस्य संकल्पः स्यात् " तत्र यास्यामि तत्र चाहं किं गुडदधिरूपं भोजनं लप्स्य उतश्विद्दधि किं वा किमपि न " इत्येवंरूपं मन इति । तथाहंकारादन्यान्यपराणि रूपादितन्मात्राणि सूक्ष्मसंज्ञानि पञ्चोत्पद्यन्ते । तत्र रूपतन्मात्रं शुक्लकृष्णादिरूपविशेषः, रसतन्मात्रं तिक्तादिरसविशेषः, गन्धतन्मात्रं सुरभ्यादिगन्धविशेषः, शब्दतन्मात्रं मधुरादिशब्दविशेषः, स्पर्शतन्मात्रं मृदुकठिनादिस्पर्शविशेष:, इति षोडश । अयं षोडशको गण इत्यर्थः ૫૨૮-૩૧૫ 1 ૧૯૨ 14. શ્લોકવ્યાખ્યા– સોળના ગણમાં સ્પર્શન એટલે ત્વચા, રસન એટલે જીભ, પ્રાણ એટલે નાક, ચક્ષુ એટલે નેત્ર, શ્રોત્ર એટલે કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેમના દ્વારા તેમના પોતપોતાના વિષયોનું જ્ઞાન થાય છે એટલે તેમને બુદ્ધીન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે, જેમ કે સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શનું, રસનેન્દ્રિયથી રસનું, ઘ્રાણેન્દ્રિયથી ગન્ધનું, ચક્ષુરિન્દ્રિયથી રૂપનું અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું જ્ઞાન થાય છે. શ્લોકમાં ‘તથા’ શબ્દ ‘પંચ’ પદને અહીં ખેંચી લાવવા માટે છે. જ્ઞાનેન્દ્રિયોની જેમ કર્મેન્દ્રિયો પણ પાંચ છે. કર્મનું કારણ હોવાથી તે કર્મેન્દ્રિયો છે. તે કઈ છે ? તેના ઉત્તરમાં આચાર્ય કહે છે – પાયુ, ઉપસ્થ, વચન, પાણિ અને પાદ નામની કર્મેન્દ્રિયો છે. પાયુ એટલે ગુદા, ઉપસ્થ એટલે સ્ત્રી અને પુરુષનાં ચિહ્ન અર્થાત્ યોનિ અને લિંગ, વચન એટલે જેમના દ્વારા વચનોનું ઉચ્ચારણ થાય છે તે હૃદય, કંઠ આદિ આઠ સ્થાનો, પાણિ એટલે પ્રસિદ્ધ બે હાથ અને પાદ એટલે પ્રસિદ્ધ બે પગ. તેમના દ્વારા ક્રમશઃ મલોત્સર્જન, સંભોગ, વચન, આદાન, ચલન(ચાલવું) આદિ ક્રિયાઓ સિદ્ધ થાય છે એટલે તેમને કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. ‘તથા’ શબ્દનો પ્રયોગ સમુચ્ચયના અર્થમાં કરવામાં આવ્યો છે. અગિયારમું મન છે. મન જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે જ્ઞાનેન્દ્રિયરૂપ બની જાય છે અને કર્મેન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે કર્મેન્દ્રિયરૂપ બની જાય છે. [જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે જ્યારે મન જોડાય છે ત્યારે જ તેઓ પોતપોતાનો વ્યાપાર કરી શકે છે]. અને મન વાસ્તવિક અર્થની ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ પોતાનો સંકલ્પરૂપ વ્યાપાર કરે છે. ઉદાહરણ – કોઈક બટુક (બ્રાહ્મણ શિષ્ય) સાંભળે છે, ‘આજ બીજા ગામથી ભોજન માટે નિમન્ત્રણ આવ્યું છે.’ તે સાંભળ્યા પછી તે સંકલ્પ કરે છે, ‘તે ગામ હું જઈશ, ત્યાં મને ભોજનમાં ગોળ અને દહીં બન્ને મળશે કે એકલું દહીં જ મળશે કે પછી બેમાંથી એક્કે નહિ મળે ?’ આવો સંકલ્પવ્યાપાર એ મનનું સ્વરૂપ છે. વળી, અહંકારમાંથી બીજાં જે પાંચ તત્ત્વો ઉત્પન્ન થાય છે તે છે ‘સૂક્ષ્મ’સંજ્ઞક પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy