SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૧૯૩ તન્માત્રાઓ. શુક્લ, કૃષ્ણ આદિ રૂપવિશેષ રૂપતન્માત્રા છે, તિક્ત આદિ રસવિશેષ રસતન્માત્રા છે, સુગન્ધ આદિ ગન્ધવિશેષ ગન્ધતન્માત્રા છે, મધુર આદિ શબ્દવિશેષ શબ્દતન્માત્રા છે, મૃદુ-કઠિન આદિ સ્પર્શવિશેષ સ્પર્શતક્નાત્રા છે. આમ સોળ તત્ત્વો થયાં અર્થાત્ સોળનો ગણ થયો. (૩૮-૩૯) [તન્માત્રાઓ અતિસૂક્ષ્મ દ્રવ્યરૂપ છે. રૂ૫ આદિ તેમના ગુણો છે. આ ગુણો આપણા અનુભવમાં આવતા નથી અને તેથી તન્માત્રાઓ પણ અનુભવમાં આવતી નથી. યુક્તિદીપિકા (કારિકા ૩૮) સ્પષ્ટપણે કહે છે કે શબ્દતન્માત્રામાં સામાન્યરૂપે શબ્દગુણ હોય છે પરંતુ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક આદિ વિશેષોથી યુક્ત શબ્દગુણ હોતો નથી. એ જ રીતે, સ્પર્શતન્માત્રામાં સામાન્યરૂપે સ્પર્શગુણ હોય છે પરંતુ મૃદુ, કઠિન વગેરે વિશેષોથી યુક્ત સ્પર્શગુણ હોતો નથી. રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગન્ધતન્માત્રામાં પણ તેમનાં ગુણો સામાન્યરૂપે જ હોય છે, વિશેષરૂપે હોતા નથી. તન્માત્રાઓના ગુણો બાબતે સાંગાચાર્યોમાં બે મત છે. વાચસ્પતિ મિશ્ર જેવા કેટલાક પ્રતિતન્માત્રાએ એક એક ગુણ જ માને છે પરંતુ વાર્ષગણ્ય, યોગભાષ્યકાર વ્યાસ, યુક્તિદીપિકાકાર વગેરે પૂર્વ પૂર્વની તન્માત્રાના ગુણ કે ગુણોની અપેક્ષાએ પરવર્તી તન્માત્રામાં એક ગુણ વધુ માને છે. પૂર્વ પૂર્વની તન્માત્રાનો ગુણ કે ગુણો પરવર્તી તન્માત્રામાં આવે છે. તેમના મતે શબ્દન્માત્રાનો ગુણ કેવળ શબ્દ છે, સ્પર્શતક્નાત્રાના ગુણો શબ્દ અને સ્પર્શ છે, રૂપતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે, રસતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે, અને ગન્ધતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ છે.] 15. અથ તાત્રેગ્ય: પન્નુમૂતાન્યુFા રૂત્યાरूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥४०॥ 15. તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે એમ આચાર્યનિરૂપે છે– રૂપતન્માત્રામાંથી અગ્નિ, રસતન્માત્રામાંથી જલ, ગન્ધતન્માત્રામાંથી પૃથ્વી, શબ્દતન્માત્રામાંથી આકાશ અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ આ રીતે પાંચ તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. (૪૦). 16. વ્યાયા-રૂપતની ત્રીસૂક્ષ્મસંગોનિજ્ય, રસતનાत्रादापो जलानि जायन्ते, गन्धतन्मात्रात्पृथिवी समुत्पद्यते, स्वराच्छब्दतन्मात्रादाकाशमुद्भवति, तथा स्पर्शतन्मात्राद्वायुः प्रादुर्भवति, एवं च पञ्चभ्यस्तन्मा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy