SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. પ્રસ્તાવના દર્શાવતા નથી અને તેમની આલોચનાત્મક સમીક્ષા કરતા નથી. પદર્શનસમુચ્ચય ઉપર તેમણે પોતે ટીકા રચી નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચય આચાર્ય હરિભદ્ર જ રચેલો વિસ્તૃત પદ્યબદ્ધ ગ્રન્થ છે, તેમાં ૭૦૧ કારિકાઓ છે, તેના ઉપર તેમણે પોતે જ ગદ્યમાં દિપ્રદા' નામની ટીકા રચી છે. પદર્શનસમુચ્ચયથી વિપરીત શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જૈનદૃષ્ટિએ વિવિધ દર્શનોનું નિરાકરણ કરીને જૈનદર્શન અને અન્યદર્શનોનો મતભેદ દૂર કરવો હોય તો તે દર્શનોમાં કેવા પ્રકારનું સંશોધન જરૂરી છે તે દર્શાવવામાં આવ્યું છે. અર્થાત્ જૈન દર્શનની સાથે અન્યા દર્શનનો સમન્વય તે દર્શનોમાં કંઈક સંશોધન કરવામાં આવે તો થઈ શકે છે એ તરફ આચાર્ય હરિભદ્ર ઈશારો કર્યો છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં મુખ્ય મુખ્ય દર્શનોનો અને તેમાં પણ તેમના મુખ્ય સિદ્ધાન્તોનો જ સંગ્રહ છે એ સાચું પણ સાથે સાથે જ અન્ય સર્વ દર્શનો દુર્બલ છે અને કેવળ જૈનદર્શન જ યુક્તિક છે એ સ્થાપના પણ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયની રચના બૌદ્ધ આચાર્ય શાન્તરક્ષિત(મૃત્યુ ઈ. સ. ૭૬૨)ની અતિ વિશાલ રચના તત્ત્વસંગ્રહને સામે રાખીને કરવામાં આવી છે. બન્નેમાં પોતપોતાની દૃષ્ટિએ જ્ઞાત દર્શનોનું નિરાકરણ મુખ્ય છે. તેમ છતાં શાન્તરક્ષિત અને હરિભદ્રમાં નોંધપાત્ર અન્તર છે. પોતાના પ્રતિદ્વન્દીઓ વિરુદ્ધ શાન્તરક્ષિતનું અભિયાન સાવ સમાધાનવિહીન છે, જ્યારે હરિભદ્ર પોતાના કોઈ પણ પ્રતિદ્વન્દીના સંબંધમાં એ કહેવાનું ભૂલ્યા નથી કે તેનું મૂલ મન્તવ્ય પણ તેમને સ્વીકાર્ય છે, શરત એટલી કે તેને અમુક અર્થવિશેષ પહેરાવી દેવામાં આવે. એ સાચું કે પોતાના પ્રતિદ્વન્દ્રીઓનાં મૂલ મન્તવ્યોને જે અર્થવિશેષ પહેરાવવો હરિભદ્રને અભીષ્ટ છે તે સ્વયં તે પ્રતિદ્વન્દીઓને ભાગ્યે જ અભીષ્ટ હોય, તેમ છતાં પોતાના વિરોધીઓના મતોનું સ્વાગત કરવાની દિશામાં દર્શાવવામાં આવેલી હરિભદ્રની આટલી આતુરતા પણ ભારતીય દર્શનના ઇતિહાસમાં અપૂર્વ છે, જોઈ નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જે દર્શનોનું નિરાકરણ કરવામાં આવ્યું છે તેમનું દર્શનવિભાગક્રમથી નહિ પણ વિષયવિભાગક્રમથી નિરાકરણ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ભૌતિકવાદ(ચાર્વાકદર્શન)નું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે પછી કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, કર્મવાદનું નિરાકરણ છે. પછી ન્યાયવૈશેષિક દર્શનના ઈશ્વરવાદનો, સાંખ્ય દર્શનના પ્રકૃતિ-પુરુષવાદનો, સૌત્રાન્તિક બૌદ્ધોના ક્ષણિકવાદનો, યોગાચાર બૌદ્ધ દર્શનના વિજ્ઞાનાદ્વૈતવાદનો અને માધ્યમિક બૌદ્ધ દર્શનના શૂન્યવાદનો નિરાસ કરવામાં આવ્યો છે. તે પછી જૈનોના નિત્યાનિત્યવાદની સ્થાપના કરીને અદ્વૈત વેદાન્તના બ્રહ્માદ્વૈતવાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે પછી જૈનોના મુક્તિવાદની સ્થાપના છે અને મીમાંસાદર્શનના સર્વજ્ઞતાપ્રતિષેધવાદનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy