SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તર્કરહસ્યદીપિકા ध्यात्मैकमानिनः, केचिदीश्वरदेवता:- ईश्वरो देवता येषां ते तथा । तेषां सर्वेषामपि निरीश्वराणां सेश्वराणां चोभयेषामपि तत्त्वानां पञ्चविंशतिः स्यात् । सांख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदुपघातहेतुस्तत्त्वजिज्ञासोत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । अत्राध्यात्मिकं द्विविधम्, शारीरं मानसं च । तत्र वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तं यदुःखमात्मानं देहमधिकृत्य ज्वरातीसारादि समुत्पद्यते तच्छारीरम्, मानसं च कामक्रोधलोभमोहेाविषयादर्शननिबन्धनम् । सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वेधा-आधिभौतिकमाधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुपक्षिमृगसरीसृपस्थावरनिमित्तम्, आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिनाभिहतस्य प्राणिनस्तत्त्वानां जिज्ञासा भवति दुःखविघाताय । तत्त्वानि च पञ्चविंशतिर्भवन्ति ॥३४॥ 6. શ્લોકવ્યાખ્યા-કેટલાક સાંખ્યો ઈશ્વરને માનતા નથી, તેઓ કેવળ અધ્યાત્મવાદીઓ જ છે. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે. બધા સેશ્વર સાંખ્યો અને નિરીશ્વર સાંખ્યો સમાનપણે પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે. સાંખ્યમતમાં કહ્યું છે કે જયારે પુરુષ ત્રણ પ્રકારના દુઃખોના આઘાતથી સંતપ્ત થઈ જાય છે ત્યારે તેને તે ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરવામાં ઉપાયભૂત તત્ત્વજિજ્ઞાસા જન્મે છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણ પ્રકારનાં દુઃખો છે. આધ્યાત્મિક દુઃખો બે પ્રકારનાં છે – શારીરિક અને માનસિક. વાત, પિત્ત, કફની વિષમતાથી દેહમાં વર, અતીસાર આદિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તે શારીરિક દુ:ખ છે. વિષયના સ્વરૂપના અદર્શન અર્થાત અજ્ઞાનના કારણે અને કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષાના કારણે મનમાં ઉત્પન્ન થતું દુઃખ માનસિક છે. આ બધાં આધ્યાત્મિક દુઃખો આંતરિક કારણોથી (અર્થાત્ વાતપિત્તકફની વિષમતા અને કામક્રોધાદિરૂપ આંતરિક કારણોથી) ઉત્પન્ન થતાં હોઈ આધ્યાત્મિક દુઃખો ગણાય છે. બાહ્ય કારણોથી ઉત્પન્ન થનારાં દુઃખો આધિભૌતિક અને આધિદૈવિક ભેદથી બે પ્રકારનાં છે. મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ, વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓના નિમિત્તથી ઉત્પન્ન થતાં દુઃખો આધિભૌતિક છે. યક્ષ, રાક્ષસ તથા ભૂત આદિના આવેશથી ઉત્પન્ન થતાં દુઃખો આધિદૈવિક છે. બુદ્ધિગત રજસુ ગુણના પરિણામભેદોરૂપ આ પ્રકારનાં દુઃખોથી અભિહત યા સંતપ્ત પ્રાણીઓને સર્વ દુઃખોનો આત્યન્તિક નાશ કરવા માટે તત્ત્વોને જાણવાની ઇચ્છા થાય છે. તત્ત્વો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy