SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ તૈયાયિકમત છીએ. અર્થોપલબ્ધિનું જે સાધતમ ઉત્પાદક કારણ હોય તેને પ્રમાણ કહે છે. એક જ આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધથી રહેતા જ્ઞાનો સ્વિસંવેદ્ય નથી પણ પોતાના પછી ઉત્પન્ન થતા અન્ય જ્ઞાન (અનુવ્યવસાય) વડે જ્ઞાત થાય છે. પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્ન છે. પૂર્વ અર્થાત્ સાધકતમ કાર પ્રમાણ છે તથા ઉત્તર અર્થાત્ તેનું કાર્ય ફળ છે. સ્મૃતિ પ્રમાણ નથી. સામાન્ય અન વિશે અત્યન્ત ભિન્ન છે. નિત્ય (દ્રવ્ય) અને અનિત્ય (અર્થાત્ દ્રવ્યમાં રહેતા ગુણો ન કર્મો) અત્યન્ત ભિન્ન છે. ભાવ અને અભાવ અર્થાત સત અને અસત્ અત્યન્ત ભિન્ન છે. પ્રમાણનો વિષય પરમાર્થસ છે. તમ અને છાયા દ્રવ્યરૂપ નથી પરંતુ તેજ(પ્રકાશ)ના અભાવરૂપ છે. શબ્દ પૌગલિક નથી પણ આકાશનો ગુણ છે. સંકેતના કારણે જ શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. શબ્દમાં અર્થને જણાવવાની સ્વાભાવિક શક્તિ નથી. ધર્મ અને ધર્મીનો અત્યન્ત ભેદ છે. સામાન્ય [નિત્ય અને એક છે અને અનેક વિશેષોમાં (વ્યક્તિઓમાં) રહે છે. કર્મ (અર્થાત્ પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ) આત્માના વિશેષગુણરૂપ છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, સુખ, દુઃખ આદિનો ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાં જ અવસ્થાન એ મુક્તિ છે. પરંતુ ન્યાયસારમાં તો નિત્યસંવેદ્ય સુખથી વિશિષ્ટ આત્મત્તિક દુઃખનિવૃત્તિને પુરુષનો મોક્ષ ગણવામાં આવ્યો છે. _140. ઉષ તસ્થા ચાલૂત્ર-ભાણ-વાયવર્તિા-તાત્પર્યટીतात्पर्यपरिशुद्धि-न्यायालंकारवृत्तयः । क्रमेणाक्षपादवात्स्यायनोद्योतकरवाचस्पतिश्रीउदयनश्रीकण्ठाभयतिलकोपाध्यायविरचिताः ५४००० प्रमिताः । भासर्वज्ञप्रणीते न्यायसारेऽष्टादश टीकाः ॥ तासु मुख्या टीका न्यायभूषणाख्या तेनैव रचिता, न्यायकलिका जयन्तरचिता, न्यायकुमुमाञ्जलितर्कश्च Iરૂર 140. નૈયાયિકોના પ્રમુખ તર્કગ્રન્થો નીચે પ્રમાણે છે – અક્ષપાદકૃત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનકૃત ન્યાયભાષ્ય, ઉદ્યોતકરકૃત ન્યાયવાર્તિક, વાચસ્પતિકૃત ન્યાયવાર્તિકતાત્પર્યટીકા, ઉદયનકૃત તાત્પર્યપરિશુદ્ધિ, શ્રીકંઠકૃત ટિપ્પનક અને અભયતિલકોપાધ્યાયકૃત ન્યાયાલંકારવૃત્તિ. તેમનું પ્રમાણ પ૪૦૦૦ શ્લોકપ્રમાણ છે. [ભાષ્યવાર્તિક-તાત્પર્યટીકા-પરિશુદ્ધિને ન્યાયચતુર્ગન્ધિક કહેવામાં આવે છે. આ ચતુર્ઝેન્થિક સહિત ન્યાયસૂત્ર ઉપર શ્રીકંઠે ટિપ્પનક લખ્યું છે પણ તે કેવળ પ્રથમ ત્રણ સૂત્રો સુધી જ સીમિત છે, જ્યારે ખરતરગચ્છના અભયતિલકોપાધ્યાયે વિસ્તૃત સંપૂર્ણ સમીક્ષાત્મક પ્રૌઢ ટીકા ન્યાયાલંકારવૃત્તિ નામની લખી છે.] ભાસર્વજ્ઞકૃત ન્યાયસાર ઉપર અઢાર ટીકાઓ છે. તે બધીમાં ભાસર્વ પોતે જ રચેલી ન્યાયભૂષણ નામની ટીકા પ્રમુખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy