SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૩ માનનાર દાર્શનિક ચિન્તકો સાથે તેમનું ઐકમત્ય થાય છે અને જ્યારે પર્યાયાર્થિક દૃષ્ટિથી વસ્તુવિચાર કરે છે ત્યારે વસ્તુને અનિત્ય માનનાર બૌદ્ધો સાથે તેમનું ઐકમત્ય થાય છે. તેથી તેઓને દર્શનોના અન્ય વિચારોથી પરિચિત થવાની આવશ્યકતા જણાવા લાગી અને અન્ય દર્શનો સાથે જૈન દર્શનનું કઈ કઈ વાતોમાં મસૈક્ય યા ભેદ છે તેને શોધી કાઢવા તેઓ પ્રવૃત્ત થયા. તેમને અન્ય દર્શનોના મતોનું સાચું યા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યન્ત જરૂરી લાગ્યું. આ અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ નયસિદ્ધાન્તની સમયાનુકૂળ વ્યાખ્યા કરીને કરવામાં આવી અને અન્ય દર્શનો વિશે સાચું જ્ઞાન આપનારા પ્રકરણગ્રન્થો લખીને તેમ જ અન્ય દર્શનોનો નયસિદ્ધાન્ત સાથે સંબંધ જોડીને પણ કરવામાં આવી. આ પ્રવૃત્તિનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળોના રૂપે આપણને પ્રાપ્ત થયા છે હરિભદ્રસૂરિના બે ગ્રન્થો ષગ્દર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચ. આ બે ગ્રન્થોની પોતપોતાની વિશેષતા અંગે આપણે આગળ જોઈશું. પરંતુ ષગ્દર્શનસમુચ્ચયની પૂર્વભૂમિકા કેવી રીતે બની એ પ્રથમ દર્શાવવું જરૂરી હોઈ તેની ચર્ચા પ્રથમ કરીએ. ન નયોની બાબતમાં સૌપ્રથમ આચાર્ય ઉમાસ્વાતિએ પ્રશ્ન ઉઠાવ્યો કે એક જ વસ્તુનું વિવિધરૂપે નિરૂપણ કરનારા આ નયો શું તન્ત્રાન્તરીય મતો છે કે પોતાના જ મતમાં પ્રશ્નકર્તાઓએ પોતપોતાની સમજ અનુસાર કેટલાક ખડા કરેલા મતભેદો છે ? ઉત્તર આપવામાં આવ્યો છે કે ન તો તેઓ તન્ત્રાન્તરીય મતો છે કે ન તો પોતાના જ મતમાં વિચારકોએ ઊભા કરેલા મતભેદો છે. તેઓ એક જ વસ્તુને જાણવાની અનેક રીતો છે. પુનઃ પ્રશ્ન ઊભો કર્યો છે કે તો પછી એક જ વસ્તુની બાબતમાં અનેક પ્રકારનું નિરૂપણ કરનારા નયોમાં પરસ્પર વિરોધ કેમ નહિ ? ઉત્તરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ વસ્તુને અનેક દૃષ્ટિઓથી જોઈ શકાય છે, તેથી તેમનામાં વિરોધને કોઈ અવકાશ નથી. જેમ એક જ વસ્તુ વિવિધ પ્રકારનાં જ્ઞાનોથી અનેક રૂપે જાણી યા દેખી શકાય છે તેમ એક જ વસ્તુ અનેક નયોથી અનેક રૂપે જાણી શકાય છે – એમાં કોઈ વિરોધ નથી. જુઓ તત્ત્વાર્થભાષ્ય ૧.૩૫. આથી એ સ્પષ્ટ છે કે વિવિધ નયો દ્વારા કરવામાં આવેલું દર્શન એ એક જ મતના અનુયાયી દ્વારા અર્થાત્ જૈન ધર્મના અનુયાયી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રકારના અધ્યવસાયો યા નિર્ણયો છે. તેમનો સંબંધ પરવાદીઓના મતો સાથે નથી એવો સ્પષ્ટ અભિપ્રાય આચાર્ય ઉમાસ્વાતિનો છે. પરંતુ ચિન્તનશીલ વ્યક્તિને આચાર્ય ઉમાસ્વાતિના આ ઉત્તરથી સન્તોષ થઈ શકે જ નહિ, કેમ કે દાર્શનિક વાદવિવાદના ક્ષેત્રમાં પરસ્પર વિરોધી એવા કેટલાય મતોને તે જુએ છે અને તેમનું સામ્ય જૈનોએ વિવિધ નયો દ્વારા વિવિધ પ્રકારે કરેલા નિર્ણયો સાથે પણ તે જુએ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy