SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તર્કરહસ્યદીપિકા પ્રતિષ્ઠાનોમાં અનેક ઋષિ-મુનિ અને ચિત્તકો પોતાના વિચાર શિષ્યો અને જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરી રહ્યા હતા. આ વિચારોએ વ્યવસ્થિત રૂપ ધારણ કર્યું ન હતું. ભગવાન બુદ્ધ અને મહાવીર પછી એ સ્પષ્ટ થયું કે વૈદિક અને અવૈદિક એ બે મુખ્ય વિચારધારા છે. અવૈદિક ચિંતકોમાં પણ ગોશાલક આદિ કેટલાય હતા. તેમનામાંથી બુદ્ધ, જિન અને ચાર્વાકની વિચારધારાઓ આગળ જતાં સ્વતંત્ર દર્શનરૂપે સ્થિર થઈ. વૈદિકોમાં પણ કેટલીય શાખાઓએ સ્પષ્ટ રૂપ ધારણ કર્યું. સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક અને મીમાંસા (કર્મમીમાંસા યા પૂર્વમીમાંસા) તથા વેદાન્ત (જ્ઞાનમીમાંસા યા ઉત્તરમીમાંસા) આદિ દર્શનો વખત જતાં સ્થિર થયાં. તેમનામાંથી સાંખ્ય-યોગ અને ન્યાય-વૈશેષિક પ્રારંભમાં અવૈદિક દર્શનો હતાં પણ પછીથી વૈદિક બની ગયાં. વસ્તુતઃ તો વિવિધદર્શન એક જ તત્ત્વને અનેક રૂપે નિરૂપે છે. તેથી તત્ત્વ પૂર્ણરૂપે અખંડ જેવું હોય તેવું ભલે હો, પરંતુ તેના નિરૂપણના આ અનેક દષ્ટિબિન્દુઓ હતાં એ વાત તદ્દન સ્પષ્ટ છે. પરંતુ આ દાર્શનિક ચિન્તકો પોતાના જ મતને દઢ કરવામાં લાગેલા હતા અને અન્ય મતોનું ખંડન યા નિરાકરણ કરવામાં તત્પર હતા. તેથી દાર્શનિકો પાસેથી એ આશા રાખી શકાતી ન હતી કે તેઓ અનેક દષ્ટિઓથી એક જ તત્ત્વનું નિરૂપણ કરે. નૈયાયિક વગેરે બધાં દર્શનો વસ્તુતત્ત્વની એક નિશ્ચિત પ્રરૂપણા સ્વીકારીને ચાલતા હતા અને તે જ તરફ તેમનો આગ્રહ હોવાથી તે તે દર્શન ઊભું થયું. તે તે દર્શનના તે પરિષ્કૃત સ્થિર રૂપથી બહાર નીકળવું તેમના માટે અસંભવ હતું. જૈન દાર્શનિક ચિન્તકોની વાત જુદી હતી. તેઓ તો દાર્શનિક વાદવિવાદના ક્ષેત્રમાં તૈયાયિક વગેરે બધાં દર્શનોનો પરિષ્કાર થઈ ગયા પછી અર્થાત ઈસ્વી સનની ત્રીજી શતાબ્દી પછી પ્રવેશ્યા. તેથી તે પોતાનો માર્ગ નિશ્ચિત કરવામાં સ્વતંત્ર હતા અને તેમના માટે એ સુવિધા પણ હતી કે જૈન આગમગ્રન્થોમાં વસ્તુવિચાર અનેક નવો દ્વારા અર્થાત્ અનેક દષ્ટિઓથી થયો હતો. જૈન આગમોમાં પ્રધાનપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ ચાર દષ્ટિઓથી તથા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો દ્વારા વિચારણા કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ ઉપરાંત વ્યવહાર અને નિશ્ચય એ બે નયોથી પણ વિચારણા થતી જોવામાં આવે છે. આ આગમગ્રન્થોની જયારે વ્યાખ્યા થવા લાગી ત્યારે સાત નયોનો સિદ્ધાન્ત વિકસિત થયો. આ એ જ સમય છે જયારથી જૈન દાર્શનિક ચિન્તકો ભારતીય દર્શનના ક્ષેત્રમાં જે વાદવિવાદ ચાલી રહ્યો હતો તેમાં ક્રમશઃ ભાગ લેવા લાગ્યા. પરિણામે વિવિધ મતોની વચ્ચે પોતાના મતનું સામંજસ્ય અને ઔચિત્ય કેવું છે અને કેવું હોવું જોઈએ એ બાબત તરફ તેમની દષ્ટિ ગઈ. એ તો સ્પષ્ટ થઈ ગયું કે તેઓ જયારે દ્રવ્યાર્થિક દૃષ્ટિથી વસ્તુવિચાર કરે છે ત્યારે વસ્તુને નિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy