SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૨૩ त्थम् - इदं जीवच्छरीरं सात्मकम्, प्राणादिमत्त्वात् यन्न सात्मकं तन्न प्राणादिमद्यथा लोष्टमिति प्रसङ्गपूर्वकः केवलव्यतिरेकीति ॥ ३ ॥ 39. અથવા, ત્રિવિધનો અર્થ છે ત્રિરૂપ. ત્રણ રૂપો કયાં ? પૂર્વવત્ વગેરે ત્રણ રૂપો છે. સૌપ્રથમ પક્ષનો પ્રયોગ કરવામાં આવે છે, એટલે ‘પૂર્વ' શબ્દથી પક્ષને કહેવામાં આવેલ છે. પક્ષમાં રહેનાર હેતુને પૂર્વવત્ યા પક્ષધર્મવાળો કહેવાય. શેષ એટલે પક્ષથી અન્ય સદેશ ધર્મી સપક્ષ છે અર્થાત્ અન્વયદૃષ્ટાન્ત છે. જે હેતુનું શેષ અર્થાત્ અન્વયદેષ્ટાન્ત મળતું હોય તે હેતુ શેષવત્ અર્થાત્ સપક્ષસત્ત્વવાળો કહેવાય. ‘સામાન્યતોદષ્ટ’માં ‘અ’કારનો પ્રશ્ર્લેષ કરવાનો છે, એટલે ‘સામાન્યતોદષ્ટ' શબ્દ બને છે. જે હેતુ કોઈપણ વિપક્ષમાં કોઈ પણ રીતે રહેતો નથી તે હેતુ સામાન્યતોડદષ્ટ અર્થાત્ વિપક્ષાસત્ત્વરૂપવાળો છે. ‘વ’ શબ્દથી અબાધિતવિષયત્વ અર્થાત્ પ્રત્યક્ષ અને આગમથી હેતુનું બાધિત ન હોવાપણું તથા અસત્પ્રતિપક્ષત્વ અર્થાત્ સાધ્યના અભાવને સિદ્ધ કરનારા વિપરીત અનુમાનનું ન હોવાપણું આ બે રૂપોનું પણ ગ્રહણ થઈ જાય છે. આ રીતે પાંચ રૂપવાળા લિંગથી અર્થાત્ હેતુથી પ્રત્યક્ષપૂર્વક થતું અનુમાન અન્વય-વ્યતિરેકી હોય છે. વિપક્ષાસત્ત્વ રૂપ સિવાયનાં બાકીનાં ચાર રૂપવાળા લિંગથી થતું અનુમાન કેવલાન્વયી હોય છે. સપક્ષસત્ત્વ રૂપ સિવાયનાં બાકીનાં ચાર રૂપવાળા લિંગથી થતું અનુમાન કેવલવ્યતિરેકી હોય છે. હવે ક્રમશઃ આ ત્રણ પ્રકારનાં ઉદાહરણો જોઈએ. (૧) શબ્દ અનિત્ય છે કેમ કે તે કાર્ય છે, જે જે કાર્ય હોય છે તે અનિત્ય હોય છે જેમ કે ઘટ, જે અનિત્ય નથી તે કાર્ય પણ નથી જેમ કે આકાશ. આ અનુમાનમાં હેતુ અન્વયવ્યતિરેકી છે, અને આ અન્વયવ્યતિરેકી હેતુથી થતું અનુમાન પણ અન્વયવ્યતિરેકી છે. (૨) અદૃષ્ટ (પુણ્ય-પાપ) વગેરે કોઈને પ્રત્યક્ષ છે, કેમ કે તે પ્રમેય છે, જે પ્રમેય હોય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે જેમ કે હાથની હથેળી. આ અનુમાનમાં અર્દષ્ટ આદિ બધા પદાર્થોને કોઈ સર્વજ્ઞ વ્યક્તિના પ્રત્યક્ષજ્ઞાનના વિષય સિદ્ધ કરવાનું પ્રસ્તુત છે. જગતમાં સર્વજ્ઞને અપ્રત્યક્ષ તો કોઈ વસ્તુ છે જ નહિ જેને વિપક્ષ ગણી શકાય, આ રીતે વિપક્ષનો અભાવ હોવાથી આ હેતુમાં વિપક્ષાસત્ત્વ રૂપ મળતું નથી, તેથી આ અનુમાનમાં હેતુ કેવલાન્વયી છે, અને આ કેવલાન્વયી હેતુથી થતું અનુમાન પણ કેવલાન્વયી છે. (૩) બધાં કાર્યો સર્વજ્ઞ કર્તા દ્વારા ઉત્પન્ન કરાયાં છે, કેમ કે તે બધાં કાદાચિત્ક છે અર્થાત્ ક્યારેક ક્યારેક નિયત સમયે ઉત્પન્ન થાય છે અર્થાત્ અનિત્ય છે, જે સર્વજ્ઞ કર્તા દ્વારા ઉત્પન્ન નથી તે કાદાચિત્ક અર્થાત્ અનિત્ય પણ નથી જેમ કે આકાશ. અહીં બધાં કાર્યોનો પક્ષ બનેલો છે, તેથી જગતમાં પક્ષની બહાર કોઈ કાર્ય બચ્યું નથી જેને સપક્ષ બનાવી સપક્ષસત્ત્વ રૂપની સિદ્ધિ કરી શકાય. તેથી આ હેતુ કેવળ વ્યતિરેકવ્યાપ્તિ જ મળવાના કારણે કેવળવ્યતિરેકી છે, અને આ કેવળવ્યતિરેકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy