SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ૧૦૯ ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી ઉત્પન્ન થાય છે અને પોતાના વિષયને તેના નામ સાથે અર્થાત્ શબ્દસંસ્કૃષ્ટ જાણે છે તે જ્ઞાન તો પ્રત્યક્ષજ્ઞાન છે. તેથી તે જ્ઞાન તો અવ્યપદેશ્ય જ છે. તે જ્ઞાન પોતાના વિષયને તેના નામ (શબ્દ=વ્યપદેશ) સાથે જાણતું હોવા છતાં તે વ્યપદેશ્ય નથી. તો પછી કયું જ્ઞાન “વ્યપદેશ્ય' શબ્દથી અભિપ્રેત છે જેને વ્યાવૃત્ત કરવા પ્રત્યક્ષલક્ષણસૂત્રમાં “અવ્યપદેશ્ય” પદ મૂકવામાં આવ્યું છે ? બીજા શબ્દોમાં, એવું તે ક્યું ઇન્દ્રિયાર્થસન્નિકર્ષજન્ય જ્ઞાન છે જેને અહીં અવ્યપદેશ્ય નથી ગણવામાં આવ્યું અને પરિણામે પ્રત્યક્ષ નથી ગણવામાં આવ્યું ? આ પ્રશ્નનો ઉત્તર ન્યાયભાષ્યકાર આપે છે. તે કહે છે, “ઇન્દ્રિયાર્થસકિત્પન્ન જ્ઞાનને જ જ્યારે તેના અર્થના (વિષયના) નામથી વર્ણવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન શબ્દનો વિષય બની જતું હોવાથી વ્યપદેશ્ય (વ્યપદેશનો વિષય) કહેવાય છે, “રૂપજ્ઞાન “રસજ્ઞાન' એવાં નામોનો જ્યારે તે જ્ઞાન વિષય બને છે ત્યારે તે જ્ઞાન અર્થપ્રવણ ન રહેતાં શબ્દનો વિષય બની જાય છે, શાબ્દ બની જાય છે, વ્યપદેશ્ય બની જાય છે. આવા જ્ઞાનો – જે વ્યપદેશ્ય અર્થાતુ વ્યપદેશનો વિષય બની ગયાં છે તે – ઇન્દ્રિયાર્થસકિર્લોત્પન્ન હોવા છતાં પ્રત્યક્ષ નથી. અર્થોને પોતાનાં નામ છે પરંતુ જ્ઞાનોને પોતાનાં નામ નથી. જ્ઞાનો તો પોતાના અર્થોનાં નામોથી જ વર્ણવાય છે, જેમ કે રૂપજ્ઞાન, રસજ્ઞાન, ઈત્યાદિ. ઇન્દ્રિયાર્થસક્રિકૉંત્પન્ન જ્ઞાન જ્યાં સુધી પોતાના વિષયને તેના નામ સહિત જાણે છે ત્યાં સુધી તે પ્રત્યક્ષ છે પરંતુ જ્યારે તે જ્ઞાનને “રૂપજ્ઞાન” “રસજ્ઞાન’ એવાં નામથી વર્ણવવામાં આવે છે ત્યારે તે પ્રત્યક્ષ મટી શાબ્દ (શબ્દવિષય, વ્યપદેશવિષય, વ્યપદેશ્ય) બની જાય છે.” નવમી શતાબ્દીમાં થયેલા જયંત ભટ્ટે પોતાની પ્રૌઢ ન્યાયમંજરીમાં ન્યાયભાષ્યકારના આ મતને વૃદ્ધનૈયાયિકોના મત તરીકે ટાંક્યો છે. તે કહે છે કે વૃદ્ધનૈયાયિકોને ‘વ્યપદેશ્યથી અહીં તે જ્ઞાન અભિપ્રેત છે જે ઇન્દ્રિયાર્થસત્રિકત્પન્ન હોવા છતાં પોતાના વિષયના નામથી વર્ણવાતાં અર્થાત્ “રૂપજ્ઞાન' “રસજ્ઞાન' આદિ નામોથી વર્ણવાતાં શબ્દનું કર્મ (વિષય) બની ગયું છે અને પ્રમિતિરૂપ રહ્યું નથી.વૃદ્ધનૈયાયિકોનો કહેવાનો આશય એ છે કે ઈન્દ્રિયાર્થસમિકર્મોત્પન્ન જ્ઞાન જયાં સુધી રૂપ આદિ વિષયોનું ગ્રહણ કરવામાં અમ મુખ્ય હોય છે ત્યાં સુધી જ તે પ્રત્યક્ષ ગણાય છે, પરંતુ જયારે તે જ જ્ઞાન રૂપાન', રસજ્ઞાન' એવાં સ્વવિષયનાં નામોથી વર્ણવાય છે ત્યારે રૂપ આદિ વિષયને ગ્રહણ કરવાના પોતાના વ્યાપારને કારણે તે જ્ઞાને જે પ્રત્યક્ષપ્રમાણતા પ્રાપ્ત કરી હતી તે તે જ્ઞાન ગુમાવે છે અને શબ્દનું કર્મ બની જાય છે, પ્રમેય બની જાય છે. આમ આ મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્ન તેમજ અવ્યભિચારી અને વ્યવસાયાત્મક હોવા છતાં પોતાના વિષયના નામનો (પદેશનો) વિષય બની ગયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy