SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૦૭ દ્રવ્યરૂપ ઇન્દ્રિયોનો દ્રવ્ય સાથે સંયોગસંબંધ થાય છે.] (૨) સંયુક્તસમવાય- દ્રવ્યમાં રહેતા રૂપ આદિ ગુણો સાથે ઇન્દ્રિયોનો સંયુક્તસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો સાથે સંયુક્ત દ્રવ્યમાં રૂપ આદિ ગુણો સમવેત છે અર્થાત્ સમવાય સંબંધથી રહે છે. (૩) સંયુક્ત સમવેતસમવાય– રૂપ આદિમાં સમવાયસંબંધથી રહેનાર રૂપ– આદિની સાથે ઇન્દ્રિયનો સંયુક્તસમવેતસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે, કેમ કે ચક્ષુસંયુક્ત દ્રવ્યમાં રૂપાદિ સમવેત છે અને તે રૂપાદિમાં રૂપસ્વાદિ સમવાયસંબંધથી રહે છે. (૪) સમવાય– શ્રોત્ર દ્વારા શબ્દનું પ્રત્યક્ષ થાય છે ત્યારે શ્રોત્રનો શબ્દ સાથે સમવાયરૂપ સકિર્થ થાય છે કેમ કે શ્રોત્ર પોતે જ કર્ણશખુલીમાં રહેલું આકાશદ્રવ્ય છે અને શબ્દ તો આકાશદ્રવ્યનો ગુણ છે જે આકાશદ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. (૫) સમવેતસમવાય- શબ્દતની સાથે શ્રોત્રનો સમાવેતસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે, કેમ કે આકાશમાં સમવેત અર્થાતુ સમવાયસંબંધથી રહેતા શબ્દમાં શબ્દત સમવાય સંબંધથી રહે છે. (૬) વિશેષણવિશેષ્યભાવ- ઉપર જણાવવામાં આવેલા પાંચ પ્રકારના સંબંધથી સંબદ્ધ પદાર્થોમાં સમવાય તેમજ ઘટાદિ દશ્ય પદાર્થોનો અભાવ વિવક્ષા અનુસાર વિશેષણરૂપે યા વિશેષ્યરૂપે સંબંધ રાખે છે. ઉદાહરણાર્થ, “તસ્તુઓ પટસમવાયવાળા છે – અહીં સમવાયની વિશેષણરૂપે પ્રતીતિ થાય છે, જ્યારે “તખ્તઓમાં પટનો સમવાય છે – અહીં સમવાયની વિશેષરૂપે પ્રતીતિ થાય છે. તેવી જ રીતે “ભૂતલ ઘટશૂન્ય છે'- અહીં અભાવ ભૂતલના વિશેષણરૂપે પ્રતીત થાય છે, જયારે “આ ભૂતલમાં ઘટ નથી– અહીં અભાવ વિશેષ્યરૂપે પ્રતીત થાય છે. આમ સકિર્ય છ પ્રકારનો છે. 19. Hથ નિવર્ષામેવાસ્તુ સંપ્રદ ચર્થ, R; - હાસ્ય सन्निकर्षषट्कप्रतिपादनार्थत्वात् । एतदेव सन्निकर्षषट्कं ज्ञानोत्पादे समर्थं कारणम्, न संयुक्तसंयोगादिकमिति 'सं'ग्रहणाल्लभ्यते । 19. શંકા- “સજ્ઞિકર્ષના બદલે “નિકર્ષ' જ કહેવું જોઈએ, ‘સમ' ઉપસર્ગનો પ્રયોગ કરવો વ્યર્થ છે, કેમ કે કેવળ નિકર્ષ' શબ્દના પ્રયોગથી પણ સમ્બન્ધનો બોધ તો થઈ જ જાય છે. સમાધાન– “સમ્ શબ્દનું ગ્રહણ છ પ્રકારના જ સર્ષોિનું પ્રતિપાદન કરવા માટે છે. આ છ જ સકિર્યો જ્ઞાનની ઉત્પત્તિમાં સમર્થ છે, સંયુક્તસંયોગ આદિ સમર્થ નથી. આ વાત જ “સમ્'ને ગ્રહણ કરવાથી સૂચિત થાય છે. 20. જિયાર્થસંનિષત્પન્ન ગીતમ્ સત્પત્તિનું વારત્વજ્ઞાપकार्थम् । अत्रायं भावः- इन्द्रियं हि नैकट्यादर्थेन सह संबध्यते, इन्द्रियार्थ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy