SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૯૭ કાર્ય હોય છે તે કોઈ ને કોઈ બુદ્ધિમાન દ્વારા જ ઉત્પન્ન કરાય છે જેમકે ઘડો, આ જગત પણ કાર્ય છે, તેથી તે પણ કોઈ બુધિમાન દ્વારા જ ઉત્પન્ન થયું હોવું જોઈએ. જે આ જગતનો બુદ્ધિમાન સર્જક છે તે જ ઈશ્વર છે. આ અન્વયવ્યાપ્તિ અને અન્વયદેષ્ટાન્તવાળું અનુમાન છે. જે બુદ્ધિમાન દ્વારા ઉત્પન્ન થયાં નથી તે બધાં કાર્યો પણ નથી જેમ કે આકાશ. આ વ્યતિરેક દૃષ્ટાન્ત છે. [અહીં આપવામાં આવેલો કાર્યત્વ હેતુ સદ્વેતુ છે, કોઈ પણ પ્રકારનો હેત્વાભાસ નથી.]. તે અસિદ્ધ હેત્વાભાસ નથી કેમ કે પૃથ્વી, પર્વત વગેરે બધા પદાર્થો પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થયા હોવાના કારણે તથા અવયવીરૂપ હોવાના કારણે કાર્યરૂપ છે એ વાત જગપ્રસિદ્ધ છે. તે કાર્યત્વ હેતુ વિરુદ્ધ યા અનૈકાન્તિક હેત્વાભાસ પણ નથી કેમ કે જેમને બુદ્ધિમાનોએ ઉત્પન્ન કર્યા નથી એવા આકાશ વગેરે વિપક્ષભૂત પદાર્થોમાં તે બિલકુલ હોતો નથી. તે કાર્યત્વ હેતુ કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત હેત્વાભાસ પણ નથી કેમ કે તેના વિષયમાં અર્થાત્ સાધ્યમાં પ્રત્યક્ષ કે આગમથી કોઈપણ જાતની બાધા આવતી નથી. તે કાર્યત્વ હેતુ પ્રકરણસમ હેત્વાભાસ પણ નથી કેમ કે જગતને અબુદ્ધિમત્કર્તૃક સિદ્ધ કરનારું કોઈ પણ પ્રત્યનુમાન અર્થાત્ વિરોધી અનુમાન નથી. [જે હેતુના સાધ્યથી વિપરીત અર્થને સિદ્ધ કરનાર પ્રસિદ્ધ પ્રત્યનુમાનનું અસ્તિત્વ હોય છે તે હેતુ પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે.] 8. अथ निर्वृतात्मवदशरीरत्वादेव न संभवति सृष्टिसंहारकर्तेश्वर इति प्रत्यनुमानोदयात् कथं न प्रकरणसम इति चेत्; उच्यते-अत्र त्वदीयानुमाने साध्यमान ईश्वरो धर्मी त्वया प्रतीतः, अप्रतीतो वाभिप्रेयते ? अप्रतीतश्चेत्; तदा त्वत्परिकल्पितहेतोराश्रयासिद्धिदोषः प्रसज्येत । प्रतीतश्चेत्; तर्हि येन प्रमाणेन प्रतीतस्तेनैव स्वयमुद्भावितनिजतनुरपि किमिति नाभ्युपेयत इति कथमशरीरत्वम् । ततो न प्रकरणसमदोषता हेतोः । अतः साधूक्तं 'सृष्टिसंहारવૃદ્ધિવઃ ' કૃતિ । 8. શંકા— ‘ઈશ્વર સૃષ્ટિ તથા સંહારના કર્તા નથી કેમ કે તે અશરીરી છે, જેમ કે મુક્તજીવ’ – આ પ્રત્યનુમાન મોજૂદ છે, તેથી કાર્યત્વ હેતુ પ્રક૨ણસમ હેત્વાભાસ કેમ ન કહેવાય ? સમાધાન આપે આપના આ અનુમાનમાં ઈશ્વરને ધર્મી બનાવેલ છે. આ ધર્મારૂપ ઈશ્વરને આપ જાણો છો કે નહિ ? જો નથી જાણતા તો આશ્રયની અર્થાત્ પક્ષની અસિદ્ધિ હોવાથી આપનો અશરીરીત્વ હેતુ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ બની જશે. જો જાણો છો તો જે પ્રમાણથી આપે ધર્મરૂપ ઈશ્વરને જાણ્યા તે જ પ્રમાણથી જેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy