SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ૯૮ પોતાનું શરીર સ્વયં બનાવ્યું છે એવા ઈશ્વરને કેમ સ્વીકારી લેતા નથી ? [સ્વીકારવા જ પડે.] અને તો પછી ઈશ્વર અશરીરી કેવી રીતે સદ્ધ થાય ? [ન જ થાય.] તેથી અમારા કાર્યત્વ હેતુમાં પ્રકરણસમ હેત્વાભાસનો દોષ નથી. એટલે યોગ્ય જ કહ્યું છે કે સૃષ્ટિ અને સંહારના કર્તા શિવ છે. 9. तथा विभुराकाशवत् सर्वजगद्व्यापकः । नियतैकस्थानवर्तित्वे ह्यनियतप्रदेशवर्तिनां पदार्थानां प्रतिनियतयथावन्निर्माणानुपपत्तेः । न ह्येकस्थानस्थितः कुम्भकारोऽपि दूरतरघटादिघटनायां व्याप्रियते, तस्माમુ:। 9. ઈશ્વર આકાશની જેમ સમસ્ત જગતમાં વ્યાપેલા છે અર્થાત્ સર્વવ્યાપી છે, સર્વગત છે. જો ઈશ્વરને કોઈ નિયત સ્થાનમાં રહેતા માનવામાં આવે તો વિભિન્ન દેશવર્તી પદાર્થોનું પોતપોતાના નિશ્ચિત રૂપમાં યથાવત્ નિર્માણ ઈશ્વર વડે થઈ શકે નહિ. એક સ્થાનમાં રહેનારો કુંભાર અતિ દૂર દેશમાં ધડાને ઉત્પન્ન કરી શકતો નથી. તેથી સમસ્ત જગતમાં પદાર્થોની પ્રતિનિયત રૂપમાં ઉત્પત્તિ જ ઈશ્વરને સર્વવ્યાપક અર્થાત્ વિભુ સિદ્ધ કરી દે છે, કેમ કે ઈશ્વરની ઉપસ્થિતિ જ્યાં ન હોય ત્યાં કાર્યોની ઉત્પત્તિ થઈ શકશે જ નહિ. 10. તથા નિત્યં સર્વજ્ઞ। નિત્યશ્ચાસાવેજી નિત્યેઃ સ ચાસૌ સર્વજ્ઞश्चेति विशेषणत्रयसमासः । तत्र नित्योऽप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः कूटस्थः । ईश्वरस्य ह्यनित्यत्वे पराधीनोत्पत्तिसव्यपेक्षया कृतकत्वप्राप्तिः । स्वोत्पत्तावपेक्षितपरव्यापारो हि भावः कृतक इष्यते । कृतकश्चेत् जगत्कर्ता स्यात्, तदा तस्याप्यपरेण कर्त्रा भाव्यम्, अनित्यत्वादेव । अपरस्यापि च कर्तुरन्येन कर्त्रा भवनीयमित्यनवस्थानदी दुस्तरा स्यात् । तस्मान्नित्य एवाभ्युपगमनीयः । 10. ઈશ્વર નિત્ય છે, એક છે અને સર્વજ્ઞ છે. ‘નિર્ત્યસર્વજ્ઞઃ' પદમાં નિત્ય, એક અને સર્વજ્ઞ એ ત્રણ વિશેષણોનો સમાસ છે. ઈશ્વર નિત્ય છે. ઈશ્વરના કોઈ પૂર્વસ્વભાવનો નાશ નથી થતો તથા નવીન સ્વભાવની ઉત્પત્તિ નથી થતી. પરંતુ તે તો સદા એક રૂપમાં સ્થિર રહેનારા છે, અપરિવર્તનશીલ છે. તેથી તે કૂટનિત્ય છે. ઈશ્વરને અનિત્ય માનવામાં આવે તો ઈશ્વર પોતાની ઉત્પત્તિ માટે પણ અન્ય કારણોની અપેક્ષા રાખશે અને પરિણામે તે કૃતક બની જશે. પોતાની ઉત્પત્તિમાં અન્યના વ્યાપારની અપેક્ષા રાખનાર પદાર્થને મૃતક માનવામાં આવે છે. જો ઈશ્વર ખુદ કૃતક હોવા છતાં પણ જગતનો કર્તા હોય તો ઈશ્વરને ખુદને બનાવનારો બીજો કર્તા હોવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy