SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા पक्षधर्मः । 'अनित्यः शब्दः, श्रावणत्वात्' अत्र सपक्षविपक्षाभावादेव न सपक्षसत्त्वविपक्षासत्त्वे । 'अनित्यः शब्दः, प्रमेयत्वात्, पटवत् लोहलेख्यं; वजं, पार्थिवत्वात्, दुमादिवत्; सलोमा मण्डूकः, उत्प्लुत्योत्प्लुत्यगमनात्, हरिणवत्; निर्लोमा वा हरिणः, उप्लुत्योत्प्लुत्यगमनात्, मण्डूकवत्'- एष्वनित्यत्वादिसाध्यविपर्ययेऽपि हेतूनां वर्तनान विपक्षासत्त्वम् । तत एतानि त्रीणि समुदितानि रूपाणि यस्य हेतोर्भवन्ति स एव हेतुः स्वसाध्यस्य गमको भवति नापरः। 93. જો પક્ષધર્મત્વ હેતુનું લક્ષણ ન હોય તો રસોઈઘર આદિમાં જોયેલો ધૂમ અન્યત્ર પર્વત વગેરે ઉપર પણ અગ્નિનું અનુમાન કરાવે, પરંતુ એવું થતું નથી. તેથી નિયત ધર્મીમાં જ સાધ્યના અનુમાનની વ્યવસ્થા માટે પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ અવશ્ય માનવું જોઈએ. તેવી જ રીતે જો સપક્ષસત્ત્વ હેતુનું લક્ષણ ન હોય તો જે માણસે સાધ્ય અને સાધનનો અવિનાભાવસંબંધ ગ્રહણ કર્યો નથી તેને પહેલી જ વાર ધૂમને જોતાંવેંત અગ્નિનું અનુમાન થઈ જવું જોઈએ. પરંતુ જે માણસે વ્યાપિને જાણી જ નથી તેને ધૂમ અગ્નિનું અનુમાન કરાવતો નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું લક્ષણ માનવું જોઈએ. જો વિપક્ષાસત્ત્વ હેતુનું લક્ષણ ન હોય તો ધૂમહેતુએ સાધ્યરહિત અર્થાત વિપક્ષભૂત જલ વગેરેમાં પણ અગ્નિનું અનુમાન કરાવવું જોઈએ. પરંતુ ધૂમ કદી જલાશય આદિ વિપક્ષમાં અગ્નિનું અનુમાન કરાવતો નથી. તેથી વિપક્ષાસત્ત્વ પણ હેતુનું લક્ષણ છે. અથવા “શબ્દ અનિત્ય છે કારણ કે કાગડો કાળો છે અહીં હેતુમાં પક્ષધર્મતા નથી. શબ્દ અનિત્ય છે કેમ કે તે શ્રાવણ (શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય) છે' અહીં સપક્ષ અને વિપક્ષનો જ અભાવ છે એટલે સાક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ એ બે લક્ષણો હેતુમાં નથી. “શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રમેય છે, જેમ કે પટ. વજને લોઢા દ્વારા કાપી શકાય છે કેમ કે તે પાર્થિવ છે, જેમ કે વૃક્ષ. દેડકાને વાળ નથી હોતા કેમ કે તે હરણની જેમ કુદી કુદીને ચાલે છે, હરણને વાળ નથી હોતા કેમ કે તે દેડકાની જેમ કુદી કુદીને ચાલે છે – આ અનુમાનોમાં અનિત્યત્વ આદિ સાધ્યના અભાવમાં પણ હેતુઓ રહે છે તેથી તેમનામાં વિપક્ષાસત્ત્વ લક્ષણ નથી. તેથી પક્ષધર્મવ આદિ ત્રણેય રૂપો (લક્ષણો) સમુદિત અર્થાત્ એક સાથે મળીને હેતુનું સ્વરૂપ બને છે. તેથી જેમાં ત્રણેય રૂપો એક સાથે મળે છે તે જ હેતુ સાધ્યનો ગમક બને છે અને તે જ સદ્ધતુ છે, અન્ય નથી. 94. नन्वेवंलक्षणा हेतवः कति भवन्तीति चेत् । ननूक्तं पुरापि एतल्लक्षणा अनुपलब्धिस्वभावकार्याख्यास्त्रय एव हेतव इति । एषामुदाहरणानि प्रागेवोपदर्शितानि, तथापि पुनः स्वभावहेतुरुदाहियते, सर्वं क्षणिकमिति पक्षः, सत्त्वादिति हेतुः, अयं हेतुः सर्वस्मिन् वर्तत इति पक्षधर्मत्वम्, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy