SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ બૌદ્ધમત च'व्यतिरेकः' इति द्वितीयमभिधानम् । एतानि पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वलक्षणानि हेतोलिङ्गस्य त्रीणि रूपाणि । एवं शब्दस्य इतिशब्दार्थत्वादिति विभाव्यतां हृदयेन सम्यगवगम्यताम् । 92. વ્યાખ્યા– સાધ્ય ધર્મથી યુક્ત ધર્મીને પક્ષ કહે છે, પક્ષના ધર્મને પક્ષધર્મ કહે છે, અર્થાત્ હેતુનું પક્ષમાં રહેવું. જો કે પક્ષ' શબ્દ સાધ્ય ધર્મથી યુક્ત ધર્મોના અર્થમાં રૂઢ છે તેમ છતાં અહીં “પક્ષ' શબ્દથી કેવળ ધર્માનું જ ગ્રહણ કરવું જોઈએ. અહીં અવયવભૂત શુદ્ધ ધર્મીમાં સમુદાયવાચી પક્ષનો ઉપચાર કરીને “પક્ષ' શબ્દથી શુદ્ધ ધર્માનું કથન કરવામાં આવ્યું છે. જો સાધ્ય ધર્મથી વિશિષ્ટ ધર્મી જ મુખ્યપણે “પક્ષ” શબ્દ દ્વારા વિવક્ષિત માનવામાં આવે તો અનુમાન જ વ્યર્થ બની જાય કેમ કે પક્ષનું ગ્રહણ કરતી વખતે જ ધર્મીની જેમ સાધ્ય ધર્મ પણ સિદ્ધ જ થઈ જશે. તેથી પક્ષધર્મત્વનો અર્થ આ છે– પક્ષમાં અર્થાત્ (શુદ્ધ) ધર્મીમાં હેતુનું હોવું. હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન ક્યાંક પ્રત્યક્ષથી થાય છે તો ક્યાંક અનુમાનથી થાય છે. કોઈ પ્રદેશમાં, જ્યાં અગ્નિ સિદ્ધ કરવો છે ત્યાં, ધૂમનું દર્શન થતાં પક્ષધર્મતાનું ગ્રહણ પ્રત્યક્ષથી જ થઈ જાય છે. અનિત્યત્વ સિદ્ધ કરવા માટે પ્રયુક્ત કૃતકત્વ હેતુનું શબ્દરૂપ પક્ષમાં રહેવું એ તો અનુમાન દ્વારા જ્ઞાત થાય છે. આ (હેતુનું પક્ષમાં હોવું એ) હેતુનું પહેલું રૂપ છે. તથા પક્ષના સમાન ધર્મવાળા ધર્મને સપક્ષ કહે છે. આ સપક્ષમાં અર્થાત દૃષ્ટાન્નધર્મીમાં હેતુની સામાન્યરૂપે વિદ્યમાનતાને સપક્ષસત્ત્વ કહે છે. આ હેતુનું દ્વિતીય રૂપ છે. તેનું બીજું નામ “અન્વય” છે. તથા પક્ષથી વિપરીત ધર્મવાળા ધર્મીને, જેમાં સાધ્ય અને સાધન બનો અભાવ છે તેને, વિપક્ષ કહે છે. આ વિપક્ષમાં હેતુનું એકાન્તપણે અર્થાત્ સર્વથા ન હોવું એ વિપક્ષનાસ્તિતા કહેવાય છે. આ હેતુનું ત્રીજું રૂપ છે. તેનું બીજું નામ “વ્યતિરેક' છે. પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ આ ત્રણ રૂપો અર્થાત લક્ષણો હેતુનાં છે. શ્લોકમાં “á' શબ્દ “તિ' શબ્દના અર્થમાં વપરાયો છે. વિભાવ્યતામ્' નો અર્થ છે – સમ્યપણે હૃદયમાં (મનમાં) સમજવું જોઈએ. 93. તત્ર તોતિં પથર્વવં રૂપ ન થાત્ તતા માનસી છો धूमोऽन्यत्र पर्वतादौ वह्निं गमयेत्, न चैवं गमयति, ततः पक्षधर्मत्वं रूपम् । तथा यदि सपक्षसत्त्वं रूपं न स्यात् तदा साध्यसाधनयोरगृहीतप्रतिबन्धस्यापि पुंसो धूमो दृष्टमात्रो धनञ्जयं ज्ञापयेत्, न चैवं ज्ञापयति, अतः सपक्षसत्त्वं रूपम् । तथा यदि विपक्षासत्त्वं रूपं न स्यात् तदा धूमः साध्यरहिते विपक्षे जलादावपि वह्निमनुमापयेत्, न चैवमनुमापयति, तेन विपक्षासत्त्वं रूपम् । अथवा 'अनित्यः शब्दः, काकस्य कार्यात्' अत्र न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy