SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ તર્કરહસ્યદીપિકા આવ્યું છે કે અનુમાન બ્રાન્ત છે. અર્થાત અનુમાન ભ્રાન્ત હોવા છતાં પ્રમાણ છે. અનુમાન બ્રાન્ત આ રીતે છે–અનુમાન બ્રાન્ત છે કેમ કે તે સામાન્ય પદાર્થને વિષય કરે છે. સામાન્ય પદાર્થ તો “તે સ્વલક્ષણરૂપ વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન' ઇત્યાદિ વિકલ્પોથી ખંડિત થઈ જવાના કારણે સિદ્ધ નથી થતો પરંતુ અનુમાન તે મિથ્યા સામાન્યને જ સ્વલક્ષણરૂપે ગ્રહણ કરે છે. તેથી જે જે રૂપ નથી તેને તે રૂપે ગ્રહણ કરવું એ જ તો અનુમાનની ભ્રાન્તતા છે. જે સ્વલક્ષણરૂપ નથી એવા સામાન્યન સ્વલક્ષણરૂપે ગ્રહણ કરવું એ જ અનુમાનની બ્રાન્તતા છે. જો કે અનુમાન ઉપર દર્શાવ્યું તે રીતે ભ્રાન્ત છે તેમ છતાં તે પરંપરાથી બાહ્ય સ્વલક્ષણના બળે ઉત્પન્ન થાય છે તેથી તે પ્રમાણ છે. તે આ રીતે– સ્વલક્ષણરૂપ ધૂમ આદિ બાહ્ય અર્થ વિના તો તાદામ્ય યા તદુત્પત્તિરૂપ અવિનાભાવસંબંધ (વ્યાપ્તિસંબંધ) સાધ્ય સાથે ધરાવનાર લિંગના સાધનના) અસ્તિત્વની સંભાવના નથી, અને લિંગના અસ્તિત્વ વિના તો લિંગનું જ્ઞાન (લિંગદર્શન અર્થાત્ લિંગપ્રત્યક્ષ) જ ન થાય, અને લિંગજ્ઞાનના અભાવમાં પહેલાં નિશ્ચિત કરેલી વ્યાપ્તિનું સ્મરણ ન થાય, અને વ્યાપ્તિસ્મરણ વિના અનુમાન ઉત્પન્ન ના થાય. આમ અનુમાન ભ્રાન્ત હોવા છતાં પણ તેનો પરંપરાથી સ્વલક્ષણરૂપ અર્થની (ધુમાદિની) સાથે સંબંધ હોવાથી તેની પ્રમાણતાનો સ્વીકાર કરવામાં આવે છે. કહ્યું પણ છે કે “જે સ્વલક્ષણરૂપ નથી તે મિથ્થા સામાન્યમાં (અતસ્મિનું) સ્વલક્ષણરૂપતાનું ગ્રહણ (તગ્રહ) કરવાના કારણે અનુમાન બ્રાન્ત છે તેમ છતાં અનુમાનનો સ્વલક્ષણ સાથે પરંપરાથી સંબંધ હોવાના કારણે તે પ્રમાણ છે.” આ જ વાતને ધર્મકીર્તિએ પોતાના પ્રમાણવાર્તિક ગ્રન્થમાં દૃષ્ટાન્ત દ્વારા આ રીતે સમજાવી છે- “જેમ મણિની પ્રભામાં થતું મણિજ્ઞાન તથા દીપકની પ્રભામાં થતું મણિજ્ઞાન એ બન્ને જ્ઞાનો આલમ્બનની (વિષયની) દૃષ્ટિએ ભ્રાન્ત છે તેમ છતાં તે બન્ને જ્ઞાનોના આધારે પ્રવૃત્તિ કરનારા પુરુષોની અર્થક્રિયામાં (કાર્યકારિતામાં, પ્રવૃત્તિસફળતામાં) ભેદ જ છે. અર્થાત્ મણિપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારને મણિની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે તેની પ્રવૃત્તિ સફળ થાય છે, તેનું જ્ઞાન (મણિજ્ઞાન) કાર્યકારી બને છે; પરંતુ પ્રદીપપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારને મણિ પ્રાપ્ત થતો નથી એટલે કે તેની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, તેનું જ્ઞાન (મણિજ્ઞાન) કાર્યકારી બનતું નથી. તેવી જ રીતે અનુમાન અને અનુમાનાભાસ બન્ને મિથ્યા યા બ્રાન્ત હોવા છતાં પણ અનુમાનના આધારે પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિ સફળ થાય છે એટલે તેમાં પ્રમાણતા છે, અનુમાનાભાસમાં નથી.” [પ્રમાણવાર્તિક, ૨,૫૭-૫૮]. 86. થાનુમાનનક્ષપામાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy