SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ બૌદ્ધમત ચત્તોના સ્વરૂપનું સંવેદન સ્વસંવેદનપ્રત્યક્ષ છે. ચિત્ત એટલે કેવળ વસ્તુન ગ્રહણ કરનારું જ્ઞાન. ચિત્ત એટલે વસ્તુના વિશેષોને ગ્રહણ કરનારાં સુખ-દુઃખ-ઉપેક્ષારૂપ જ્ઞાન. ચત્તનો અર્થ છે ચિત્તમાં પેદા થનાર. ચિત્ત અને ચત્ત બન્નેના આત્માનું અર્થાત સ્વરૂપનું સંવેદન સ્વસંવેદનપ્રત્યક્ષ કહેવાય છે. ભૂતાર્થની એટલે કે ક્ષણિક નિરાત્મક આદિ અર્થોની પ્રકૃષ્ટ ભાવનાથી યોગિપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. ભૂતાર્થની એટલે કે પ્રમાણસિદ્ધ પદાર્થોની ભાવના અર્થાત ચિતમાં સતત પુનઃ પુનઃ વિચાર જયારે પ્રકર્ષે પહોંચે છે ત્યારે તેનાથી યોગિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. 83. ननु यदि क्षणक्षयिणः परमाणव एव तात्त्विकास्तहि किनिमित्तोऽयं घटपटकटशकटलकुटादिस्थूलार्थप्रतिभास इति चेत्; निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितस्थूलार्थावभासो निर्विषयत्वादाकाशकेशवस्वप्नज्ञानवद्वेति । यदुक्तम् "बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते । વાસનાનુહિત ચિત્તમથfમા પ્રવર્તતે શારૂતિ "नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात्स्वयं सैव प्रकाशते ॥२॥" [vo વી. રાષ્ટ્રર૭]રૂતિ ગ્રા 83. શંકા- જો ક્ષણિક પરમાણુરૂપ અર્થ જ તાત્ત્વિક છે તો ઘટ, પટ, ચટાઈ, ગાડું, લાઠી આદિ સ્થળ પદાર્થોનો પ્રતિભાસ થવાનું નિમિત્ત શું છે? બૌદ્ધ ઉત્તર- વસ્તુતઃ ઘટ, પટ વગેરે સ્થૂળ પદાર્થો છે જ નહિ. આ તો અમારી અનાદિકાલીન મિથ્યા વાસનાનો જ વિચિત્ર પરિપાક છે જેથી આપણને કોઈ વાસ્તવિક આલમ્બન(વિષય) વિના જ વિવિધ જાતના સ્થળ પદાર્થોનો પ્રતિભાસ થાય છે. જેમ સ્વચ્છ આકાશમાં કેશનો થતો પ્રતિભાસ નિર્વિષય અને મિથ્યા છે અથવા સ્વપ્રમાં વિવિધ પદાર્થોનો થતો પ્રતિભાસ નિર્વિષય અને મિથ્યા છે તેમ આ સ્થૂળ ઘટ, પટ આદિનો પ્રતિભાસ પણ નિરાલંબન અર્થાત નિર્વિષય તથા મિથ્યા છે. કહ્યું પણ છે કે “બાલ લોકો અર્થાત્ મિથ્યા વાસનાથી કલુષિત અજ્ઞાની છે જે જે સ્થિર, સ્થૂળ આદિ રૂપે પદાર્થોની કલ્પના કરે છે વસ્તુતઃ પદાર્થો તે તે રૂપ કોઈ પણ રીતે બહાર અસ્તિત્વ ધરાવતા નથી. સત્ય તો એ છે કે અમારી મિથ્યાવાસનાના કારણે જ ચિત્ત પોતે જ તે પદાર્થોના તે તે આકારોવાળું પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy