SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૭૫ બૌદ્ધ સમાધાન– એવું નથી પણ થતું, કેમ કે ‘વા આહિતાન્યાલિવુ’ એ સૂત્રમાં ‘વા’ (અથવા) છે. તેથી નિષ્ઠાન્તનો પૂર્વનિપાત વિકલ્પે થાય છે, તેથી ‘કલ્પનાપોઢ’ને વૈકલ્પિક રૂપ માનવું જોઈએ. અથવા ‘આહિતાગ્નિ' આદિ શબ્દોનો આકૃતિગણમાં પાઠ હોવાથી તેમની સંખ્યા નિશ્ચિત છે, તેથી અહીં પૂર્વનિપાત નથી. અથવા ‘કલ્પનાપોઢ’ પદમાં બહુવ્રીહિ સમાસ ન માનીને ‘કલ્પનાથી અપોઢ(રહિત)' એ પ્રમાણે તૃતીયા તત્પુરુષ સમાસ માનવો જોઈએ. કલ્પનાપોઢ એટલે નામ અર્થાત્ વાચક શબ્દ તથા જાતિ આદિ વાચ્યોની કલ્પનાથી રહિત અથવા નામ, જાતિ આદિના નિમિત્તથી થનારી કલ્પનાથી રહિત જ્ઞાનને કલ્પનાપોઢ કહે છે. કોઈ કલ્પના નામ અનુસાર – અર્થાત્ ઇચ્છા મુજબ આપવામાં આવેલી સંજ્ઞા અનુસા૨ – ક૨વામાં આવે છે, જેમ કે કોઈ વ્યક્તિનું નામ વ્યવહાર માટે ડિલ્થ રાખવામાં આવે છે.જાતિના આધારે કરવામાં આવતી કલ્પના જાતિકલ્પના કહેવાય છે, જેમ કે ગોત્વજાતિરૂપ નિમિત્ત લઈને કરવામાં આવતી ગૌરૂપ કલ્પના. ‘આદિ’ શબ્દથી ગુણ, ક્રિયા તથા દ્રવ્યના આધારે કરવામાં આવતી કલ્પનાઓનો સંગ્રહ કરી લેવો જોઈએ. ‘આ શુક્લ છે' આ કલ્પના કરવામાં નિમિત્ત છે શુક્લ ગુણ. ‘આ પાચક છે’ આ કલ્પના કરવામાં નિમિત્ત છે પચનક્રિયા. દંડ આદિ દ્રવ્યોના સંબંધથી ‘આ દંડવાળો યા દંડી છે’ ‘આ પૃથ્વી પર રહેલો યા ભૂસ્થ છે’ ઇત્યાદિ કલ્પનાઓ થયા કરે છે. પ્રત્યક્ષ આ બધી જ કલ્પનાઓથી રહિત હોય છે, તથા તે એવા સ્વલક્ષણરૂપ અર્થથી ઉત્પન્ન થાય છે જે શબ્દસંસર્ગથી રહિત છે. તેથી જ્યારે પદાર્થમાં જ શબ્દસંસર્ગ નથી ત્યારે તેનાથી ઉત્પન્ન થનારા નિર્વિકલ્પક જ્ઞાનમાં શબ્દની સંભાવના જ શક્ય નથી. કહ્યું પણ છે કે “ન તો સ્વલક્ષણરૂપ અર્થમાં શબ્દ છે કે ન તો સ્વલક્ષણ પોતે શબ્દાત્મક છે, તો પછી સ્વલક્ષણરૂપ અર્થનો જ્ઞાનમાં પ્રતિભાસ થતાં શબ્દનો પણ સાથે સાથે પ્રતિભાસ ક્યાંથી સંભવે ?” [ ] ઇત્યાદિ. પ્રત્યક્ષના નિર્વિકલ્પક વિશેષણ દ્વારા ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોને સ્થિર તથા સ્થૂળ રૂપે ગ્રહણ કરનારા સવિકલ્પક જ્ઞાનની પ્રત્યક્ષતાનો નિરાસ થઈ જાય છે. પ્રત્યક્ષ અભ્રાન્ત અર્થાત્ ભ્રાન્તિરહિત હોય છે. “જે પદાર્થ જે રૂપવાળો નથી તે પદાર્થમાં (અતસ્મિન્) તે રૂપનું ગ્રહણ કરનારા જ્ઞાનને (તગ્રહ) ભ્રાન્તિ કહે છે’’ આ ભ્રાન્તિનું લક્ષણ છે. આમ પ્રત્યક્ષ અસદ્ભૂત અર્થને ગ્રહણ કરતું નથી. પરંતુ પરસ્પર ભિન્ન ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણોનો યથાર્થ પરિચ્છેદ (જ્ઞાન) કરે છે. ‘અભ્રાન્ત’ વિશેષણથી તિમિરરોગના રોગી વગેરેને થતાં ભ્રાન્ત નિર્વિકલ્પક જ્ઞાનોની પ્રત્યક્ષતાનો નિરાસ થઈ જાય છે. .. 82. રૂર્વ પ્રત્યક્ષ ચતુર્થાં કૃન્દ્રિયજ્ઞાન માનાં સ્વસંવેનું યોશિજ્ઞાન । तत्र चक्षुरादीन्द्रियपञ्चकाश्रयेणोत्पन्नं बाह्यरूपादिपञ्चविषयालम्बनं ज्ञान Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy